________________
Compodium of Jainism – Part (II)
ધ્યાનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ ઊંડી ધ્યાનસ્થ અવસ્થામાં રહેવા લાગ્યા પાછળથી તેઓ પાર્શ્વનાથ તરીકે ઓળખાયા. એકવાર તેઓ કાઉસગ્ગ અવસ્થામાં હતા ત્યારે વરસાદના દેવ મેઘમાળીએ તેમને જોયા. પાર્શ્વકુમારે પોતાના યજ્ઞમાં દખલગીરી કરી હતી તે પૂર્વભવનો બનાવ તેમને યાદ આવ્યો અને બદલો લેવાની વૃત્તિ થઈ.
પોતાની દેવી શક્તિથી હાથી, સિંહ, ચિત્તો તથા નાગ એમ ચારેય પ્રકારના હિંસક પ્રાણીઓ પાર્શ્વકુમાર ને મારવા માટે મોકલ્યા પણ પાર્શ્વનાથ ને જોઈને તેઓ શાંત થઈ ગયા. પછી મેઘમાળીએ ભારે વરસાદ વરસાવ્યો. પાર્શ્વનાથ તો ધ્યાનમાં હતા વરસતો વરસાદ છેક તેમના ગળા સુધી આવી ગયો.
તે વખતે સ્વર્ગમાં રહેતા રાજા ઘરણેન્દ્રએ જોયું કે મેઘમાળીના ઉપદ્રવથી પૂરના પાણીમાં પાર્શ્વનાથ તણાઇ જશે. તરત જ એ તેમણે કમળનું ફૂલ તેમના પગ નીચે મુક્યુ જેના કારણે પાર્શ્વનાથ પાણીની સપાટી ઉપર આવી ગયા. પોતાની ફેણ તેમના માથા પર છત્રીની જેમ ધરી અને વરસાદથી તેમનું રક્ષણ કર્યું. મેઘમાળીને કડક શબ્દોમાં તેના અધમ કાર્યો તથા વરસાદ ને રોકવા કહ્યું. મેઘમાળીના પાર્શ્વનાથને હેરાન કરવા ના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આવા દયાળુ ભગવાન જેવા માણસને પોતે હેરાન કર્યા તેનો તેને ખૂબ જ પસ્તાવો થયો. પોતાની તમામ દેવી શક્તિ પાછી ખેંચી લીધી અને પોતાના દુષ્કૃત્યોની માફી માંગતો તેમના પગમાં પડી ગયો.
શારીરિક યાતનાના આ સમગ્ર સમય દરમિયાન પાર્શ્વનાથ ઊંડા કાઉસગ્ગમાં જ હતા. તેથી તેમને મેઘમાળીનો ઉપદ્રવ કે ઘરણેન્દ્રનુ રક્ષણ એ બંને પ્રસંગો સમાન હતા. સંપૂર્ણ સમતાનો ગુણ વિકસાવ્યો હોવાથી ધરણેન્દ્ર પ્રત્યે પક્ષપાત ન હતો કે ન હતી મેઘમાળી પ્રત્યે ધૃણા. આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાને વિકસાવતા તેઓ આખરે પોતાના સંસાર ત્યાગના ૮૪ માં દિવસે કેવળજ્ઞાની એટલે સર્વજ્ઞ બન્યા. આ દિવસ ફાગણ વદ (એપ્રિલ માસ) ચોથ હતી.
તેઓએ હવે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી સાચા ધર્મનો સહુને ઉપદેશ આપ્યો. તેઓ જૈન ધર્મના ૨૩મા તીર્થંકર બન્યા. તેમના ઘણા અનુયાયીઓ હતા. દસ ગણધર હતા. તેમના માતા-પિતા તથા પત્ની પણ સંસારનો ત્યાગ કરી સાધુ સાધ્વી થયાં. બિહારમાં આવેલા જૈનોના પવિત્ર સ્થળ એવા સમેતશિખરમાં ૧૦૦ વર્ષે તેઓ નિર્વાણ પામ્યા.
ભૌતિક પદાર્થ નું પરિગ્રહણ તથા સાંસારિક સંબંધો પ્રત્યેના રાગ સામે તથા લોકો સાથેના વૈરાગ્ય અને અહિંસાના ઉત્કૃષ્ટ પાલનનું ઉદાહરણ ભગવાન પાર્શ્વનાથનું જીવન છે. આત્મ સાક્ષાત્કાર માટે આ પાયાના ગુણો છે. મિત્ર અને દુશ્મન માટે દિલમાં માધ્યસ્થ ભાવ કેમ રાખવો તે આચરણમાં કરી બતાવ્યું. કોઈનું આપણા તરફનું ખરાબ વર્તન આપણાં પુર્વ કર્મોનુ પરિણામ હશે એમ વિચારીએ તો આપણને એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ ન થાય.
Page 161 of 307