________________
Compodium of Jainism – Part (II)
શકયા અને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને રાજકુમારને વંદન કરીને સ્વર્ગમાં પાછા ફર્યા. ઇન્દ્ર અને અન્ય તમામ સ્વર્ગીય દેવોએ રાજકુમાર વર્ધમાનની પ્રશંસા કરી અને કહ્યું કે આ તો મહાવીર
જ્યારે વર્ધમાન ૯ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતાએ વિચાર્યું કે હવે ઔપચારિક શિક્ષણ આપવાનો સમય આવી ગયો છે. તેઓ ઇચ્છતા હતા કે, ક્ષત્રિય રાજકુમારને અનુરૂપ શિક્ષા રાજકુમાર શીખે અને તેમણે રાજકુમારને નિશાળે મૂકવાનું નક્કી કર્યું.
વર્ધમાન જ્યારે નિશાળે ગયા ત્યારે તેમણે સામાન્ય બાળકની જેમ શિક્ષકનો પણ આદર કર્યો. સ્વર્ગમાંથી ઇન્દ્રદેવે આવીને વર્ધમાનને થોડા શ્લોકોનુ પઠન કરવા કહ્યું, ત્યારે અગાઉ શીખેલા ન હોવા છતાં વર્ધમાને શ્લોકોનું અસ્ખલિતપણે પઠન કર્યું. શિક્ષકને તરત જ સમજાઈ ગયું કે વર્ધમાન તેમના કરતા વધારે જાણકાર છે. વર્ધમાને ત્યાં શિક્ષણ પૂર્ણ કર્યું અને મહેલમાં પાછા ફર્યા.
F.1.3.ત્યાગ
F.1.3.1 દીક્ષાની તૈયારી
યુવાનીમાં રાજકુમાર વર્ધમાન ખૂબજ સરળ અને શિસ્તબદ્ધ જીવન જીવતા હતા. તેઓ શાશ્વત સુખની શોધમાં દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છતા હતા. પરંતુ માતાના ગર્ભમાં જ તેમણે નક્કી કર્યું હતું કે માતા-પિતાના જીવન પર્યંત કુટુંબનો ત્યાગ ન કરવો.
૨૮ વર્ષની ઉંમરે તેમના માતા-પિતા મૃત્યુ પામ્યા. એટલે હવે તેઓ દીક્ષા લેવા તૈયાર હતા. તેથી તેમણે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનને દીક્ષાની પરવાનગી આપવાની વિનંતી કરી.
રાજકુમાર વર્ધમાનનું ગૃહસ્થ જીવનનું એક વર્ષ બાકી હતું, ત્યારે તેમણે પોતાની તમામ સાધન, સામગ્રી અને સંપતિ જરૂરિયાતમંદોને દાન આપવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ અનેક સોનાના સિક્કાઓ, જવેરાત, કીમતી રત્નો અને વસ્ત્રો દાનમાં આપતા. આ અનન્ય અને અભૂતપૂર્વ દાનથી લોકોના મનમાં પ્રભાવ પડ્યો કે દાન જેઓ આપે છે અને જેને દાન મળે છે તે બંને માટે આશીર્વાદરૂપ છે.
ઉદારતાપૂર્વક વિતેલા વર્ષના અંતે રાજકુમાર વર્ધમાને અપરિગ્રહવ્રત ગ્રહણ કર્યું. બધા રાગ અને સંપતિથી મુક્તિ સ્વતંત્રતા મેળવી તે સાધુ વન માટે પૂર્ણપણે તૈયાર હતા. તેમના મોટા ભાઈ નંદીવર્ધને દીક્ષા માટેની વિસ્તૃત તૈયારીઓ કરી હતી અને સમગ્ર દેશમાં ભારે ઉતેજના ફેલાઈ હતી. ઇન્દ્ર મહારાજાએ અને અન્ય સ્વર્ગીય દેવતાઓએ પણ સમારોહમાં ભાગ લીધો હતો. સોના-
Page 153 of 307