SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) માતાને ચિંતિત જોઈ ભગવાન મહાવીરે ગર્ભમાં જ માતાપિતાના જીવ્યા સુધી દીક્ષા ન લેવાનો અને પરિવારને ન છોડવાનું નક્કી કર્યું હતું. ભારતીય કેલેન્ડર મુજબ મહાવીર ભગવાનનો જન્મ ૫૯૯ બી.સી.માં ચૈત્ર સુદ તેરસના દિને થયો હતો. આ દિવસ એપ્રિલ મહિનામાં આવે છે અને આપણે આ દિવસ મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક તરીકે ઉજવીએ છીએ. ભગવાન મહાવીરને નંદિવર્ધન નામે એક મોટા ભાઈ હતા અને સુદર્શના નામે એક બહેન હતી. તેમના જન્મ પછી તરત જ ઇન્દ્ર મહારાજ (દેવતાઓના રાજા) બાળક તીર્થંકરને મેરુ પર્વત પર લઈ ગયા. હર્ષોઉલ્લાસ અને આનંદ સાથે તેમનો જન્માભિષેક કર્યો. તે પછી ઇન્દ્ર મહારાજ બાળકને પાછા માતા ત્રિશલા પાસે મૂકી ગયા. આખા દેશમાં આનંદ ફેલાયો. જે ક્ષણથી ભગવાનના આત્માએ ગર્ભમાં પ્રવેશ કર્યો તે જ ક્ષણેથી તે રાજ્યના સુખ, સંપતિ, ગૌરવ, આરોગ્ય અને ખ્યાતિમાં સતત વૃદ્ધી થઈ હતી અને પરિવારના આદર અને પ્રતિષ્ઠામા વધારો થયો હતો. આજ કારણથી બાળકનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું જેનો અર્થ છે “સતત વધતી સમૃદ્ધિ.” વર્ધમાન બાલ્ય અવસ્થા અને યુવા અવસ્થા દરમ્યાન તેમની હિંમત, નિર્ભયતા અને તેમની ક્ષમાની અસંખ્ય ઘટનાઓ બની હતી. એક દિવસ આઠ વર્ષના રાજકુમાર વર્ધમાન તેમના રાજ્ય પરિવારના મિત્રો સાથે નગરની સીમમાં રમતા હતા. ત્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રએ રાજકુમાર વર્ધમાનની હિંમત અને નિર્ભયતાની પ્રશંસા કરી. બીજા એક સ્વર્ગીય દેવે આ નિવેદનને પડકાર ફેક્યો. તેઓ માનતા હતા કે બધા મનુષ્યોમાં ભયના લક્ષણ હોય જ છે. તેમણે વર્ધમાનની હિંમતની કસોટી કરવાનું નક્કી કર્યું. તેમણે ભયાનક નાગનું સ્વરૂપ ધારણ કર્યું અને બાળકો જયાં રમત હતા ત્યાં ગયા. બધા બાળકો ડરીને ચીસો પાડી ભાગવા લાગ્યા પરંતુ વર્ધમાન ત્યાં શાંતિથી અને નિર્ભયતાથી ઊભા રહ્યા. તેમણે કોમળતાથી નાગને હાથમાં લઈ અને બાજુમાં ઘાસમાં મૂકી દીધો. નાગના રૂપમાં રાજકુમાર વર્ધમાનને ડરાવવામાં નિષ્ફળ થયેલ દેવે ફરી એકવાર તેમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એક સામાન્ય બાળકનું સ્વરૂપ ધારણ કરી તે બાળકોના જૂથમાં જોડાઈ ગયા અને એક લક્ષ્ય બનાવેલા વૃક્ષ સુધીની દોડની સ્પર્ધાનું સૂચન કર્યું. જીતનાર હારનાર પર સવાર થઈ જ્યાંથી સ્પર્ધા ચાલુ થઈ હતી ત્યાં પાછા ફરવું એવી શરત મૂકી. સ્વર્ગીય દેવ રમત હારી ગયા અને તેમણે રાજકુમાર વર્ધમાનને ખભા પર ઊચકીને લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો. રાજકુમારને ખભા ઉપર મુક્તાની સાથે જ એ દેવે વિશાળ રૂપ ધારણ કર્યું. પરંતુ ભય વિના રાજકુમાર વર્ધમાને તેમના ખભા પર બંધ મુઠીથી ફટકો આપ્યો હતો. દેવ આ ફટકો સહન ન કરી Page 152 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy