SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) આચાર્યશ્રી ઉમાસ્વાતિ(શ્વેતાંબર માન્યતા પ્રમાણે) અથવા ઉમાસ્વામી (દિગંબર માન્યતા પ્રમાણે) ની રચના તત્વાર્થ સૂત્ર બધાજ સંપ્રદાયો દ્વારા આજના સમયમાં માનવામાં આવતું એવું જૈન શાસ્ત્ર છે. જેમાં ઉમાસ્વાતિના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. તેઓ બ્રાહ્મણ પરિવારમાં નયોગ઼ધિક ગામમાં જમ્યા હતા. તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ વત્તી હતું. તેમણે આચાર્ય ઘોષનંદી (શ્વેતામ્બર પરંપરા મુજબ) અથવા આચાર્ય કુંદકુંદ (દિગંબર પરંપરા મુજબ) પાસેથી દીક્ષા લીધી હતી. પુરાતત્વ વિભાગના વિશેષજ્ઞોને મળેલા પુરાવા મુજબ તેઓ બીજી સદીની શરૂઆતમાં અથવા તો પ્રથમ સદીના અંતમાં થઇ ગયા હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તેઓ હિન્દુ, વેદિક અને બૌદ્ધ તત્વજ્ઞાનના ઘણા મોટા પંડિત હતા અને તેમને ભૂગોળશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, આત્મા, જીવન વગેરે વિશે પણ ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન હતું. ઈતિહાસકારો તેમને સંસ્કૃત ભાષાના સૌથી મોટામાં મોટા વિદ્વાન જણાવે છે. જૈન વિદ્વાનો માને છે કે સંસ્કૃત ભાષામાં લખનાર તેઓ પ્રથમ હતા. તત્વાર્થ સૂત્રની રચના વિષે એક કથા પ્રચલિત છે. સિધ્ધય નામે શાસ્ત્રોના એક મોટા વિદ્વાન હતા. તેમણે એક કાગળના ટુકડા પર લખ્યું કે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે. ત્યારબાદ તેઓ કોઇ કારણોસર ઘરથી બહાર ગયા. ઉમાસ્વાતિ ગોચરી લેવાના માટે સંજોગોવશાત તેમના ઘરે જ આવ્યા અને તેમણે તે વિદ્વાન દ્વારા લખેલા શબ્દો જોયા અને તેની આગળ સમ્યગ એવો શબ્દ લખ્યો. એટલે કે સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે. જ્યારે સિધ્ધય પાછા આવ્યા ત્યારે તેમણે તેમની માતાને પૂછ્યું કે તેમના વાક્યની આગળ આ શબ્દ કોણે ઉમેર્યો? ઉમાસ્વાતિ વિષે તેમની માતા પાસેથી જાણ્યા બાદ તેઓ આચાર્ય પાસે ગયા અને તેમણે મોક્ષ અને તેને મેળવવાના માર્ગો વિશે પૂછ્યું. આ પ્રશ્નોના જવાબ તત્વાર્થસૂત્રની રચનાનો આધાર છે. તત્વાર્થ સૂત્રમાં ૩૪૪ થી ૩૫૭ જેટલાં સૂત્રો છે. જે ૧૦ પ્રકરણમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ ગ્રંથમાં સૌપ્રથમ વખત જૈન દર્શનના બધા જ સૈદ્ધાંતિક અને વ્યવહારિક મુદ્દાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. આ નાનો ગ્રંથ છે પરંતુ તે જૈન દર્શનના બધા જ મૂળભૂત વિષયોનું વર્ણન કરે છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને પ્રકારના જૈન સિદ્ધાંતોનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, સફળ જીવનનું અંતિમ લક્ષ એ કાયમી આંતરિક સુખ અથવા તો મોક્ષ મેળવવાનું છે. આ લક્ષ્ય આપણે તો જ મેળવી શકીએ જો આપણે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના માર્ગ ઉપર ચાલીએ. આ માર્ગ પર ચાલવું ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી આપણી પાસે તત્વો વિષેનું યોગ્ય જ્ઞાન ન હોય. આ જ્ઞાન અંતઃસ્ફુરણાથી મળી શકે અથવા તો શાસ્ત્રોને વાંચવાથી, સાંભળવાથી અને તેને સમજવાથી અને આધ્યાત્મિક ગુરુની મદદથી મળી શકે. આ માપદંડ તો જ સફળતાપૂર્વક પાર કરી શકાય જો કોઈ જ્ઞાનને, જ્ઞાનના દરેક પ્રકારને જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજી શકે. આ જ પ્રક્રિયાનો આપણે આજે પણ જ્ઞાન મેળવવા ઉપયોગ કરીએ છે. Page 137 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy