SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) આ ગ્રંથ માત્ર બાહ્ય દુનિયાનું જ જ્ઞાન મેળવવા માટેની રીતોનું વર્ણન કરતો નથી. પરંતુ તે અંતરની દુનિયાનું પણ જ્ઞાન મેળવવાના રસ્તાઓનું વર્ણન કરે છે. તેના માટે તપ અને ધ્યાન દ્વારા મન, વચન અને શરીરની શુદ્ધિ કરવી જરૂરી છે. આ ગ્રંથ સાત પ્રકારના શાબ્દિક અને અશાબ્દિક દ્રષ્ટિકોણ અને અનેકાંતવાદના સિદ્ધાંત વિશે પણ સમજ આપે છે. તે સમ્યગ જ્ઞાન મેળવવા માટે પાયાની સમજ છે. સમ્યગ જ્ઞાનની સાથે સમ્યગ દર્શન આવે છે. સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાન જો સાથે હોય તો સમ્યક આચાર પણ તેની પાછળ આવે છે. ઉમાસ્વાતિને આ સિદ્ધાંતોને માનવીય માનસશાસ્ત્ર મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે ચોક્કસથી માન આપવું જોઈએ. આગળના શાસ્ત્રો ક્રમની દ્રષ્ટિએ થોડાક ફેરફારો દર્શાવે છે. ઉમાસ્વાતિએ જૈન પ્રણાલીના તાર્કિક ક્રમ મુજબ તેને વ્યવસ્થિત કર્યા છે. આ સૃષ્ટિમાં અસંખ્યાત જીવો છે, અને દરેક જીવને સુખી થવું છે. જોકે દરેક જીવના સુખી થવાના રસ્તા સરખા નથી હોતા. મોટાભાગના સુખી થવા માટે ભૌતિક સાધનો ઉપર આધાર રાખે છે. તેઓ બાહ્ય વસ્તુઓની મદદ લઇને પોતાની ઈચ્છાઓને સંતોષવાનો પ્રયત્ન કરે છે. આ એક ક્ષણિક સુખ છે, જ્યાં દુઃખ અને બીજી વધુ ઇચ્છાઓ તેની પાછળ આવે છે. પુરુષાર્થનો ઉપયોગ અર્થ એટલે કે ધન કમાવા થાય છે જેથી પોતાની ઇચ્છાઓને માણસ સંતોષી શકે. આપણા મહાન આચાર્યોએ આવા પ્રકારના જીવોને ઓછા વિકસિત જીવો કહ્યા છે. ત્યારબાદ એવા લોકો હોય છે જેઓ સુખી થવા માટે આધ્યાત્મિક રસ્તા (આંતરિક સાધનો) પર આધાર રાખે છે. આ રસ્તાઓ સ્વનિર્ભર છે અને તેમાં પુરુષાર્થ ધર્મ કરીને કાયમી સુખ કે મોક્ષ મેળવવા વપરાય છે. આવા જીવોને વધુ વિકસિત જીવો કહે છે. આથી આ શાસ્ત્રનો વિષય કાયમી સુખ (મોક્ષ) છે, અને તેના પ્રથમ પ્રકરણના પ્રથમ સૂત્રમાં ત્રણ આવશ્યક વસ્તુઓ જે કાયમી સુખ કે મોક્ષ મેળવવા માટે જરૂરી છે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે: सम्यग्दर्शन ज्ञान चरित्राणि मोक्ष मार्ग: तत्त्वार्यसूत्र (11) – 'સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ આ જૈન દર્શનનો સાર છે. તેનો અર્થ થાય છે કે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર ત્રણે સાથે મોક્ષનો માર્ગ છે. ત્યારબાદના બીજા ત્રણ પદો સાત તત્વોની વાત કરે છે. પ્રથમ પ્રકરણના બાકીના સૂત્રોમાં જુદા જુદા પ્રકારના જ્ઞાન અને તર્કની પ્રક્રિયા સમજાવે છે. સમ્યક ચારિત્ર વિષેની વાત આઠમા અને નવમા પ્રકરણમાં સમાવવામાં આવી છે. • બીજું, ત્રીજું અને ચોથું પ્રકરણ જીવ વિશે સમજાવે છે. ૦ બીજું પ્રકરણ જીવ વિશે સમજાવે છે. છે. ત્રીજું પ્રકરણ નર્ક, નારકી જીવ,મનુષ્યજીવો, પ્રાણીઓ અને ભૂગોળ વિશે સમજાવે છે. Page 138 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy