________________
♦ પુણ્ય અને પાપ
. આશ્રવ
• સંવર
• નિર્જરા
♦ બંધ
• મુક્તિ
.
સંપૂર્ણ અને શુદ્ધ જ્ઞાન
Compodium of Jainism – Part (II)
જો કોઇ આ ગ્રંથ સમજી શકે કે જે સાપેક્ષતાની દ્રષ્ટિએ મુખ્યત્વે લખવામાં આવ્યો છે, તો તેની આત્માના સાચા સ્વભાવ વિષેની સમજ વધુ વિસ્તૃત થશે. ત્યારબાદ તે સમજી શકશે કે છેવટે પુણ્ય અને પાપ બંનેને છોડવાના છે. જેથી સાચી શ્રદ્ધા પ્રાપ્ત થઈ શકે અને છેવટે મોક્ષ મેળવી શકાય. અંતિમ લક્ષ્ય આત્માને તેના મૂળ સ્વભાવ કે શુદ્ધ સ્વભાવમાં લાવવાનું છે. આ લક્ષ્યને મેળવવા માટે આપણે વ્રત-તપ, પ્રાર્થના વગેરે જેવા સમ્યક આચારની મદદ લેવાની છે પરંતુ તેના ઉપર સંપૂર્ણ આધાર રાખવાનો નથી.
વધુ માહિતી માટે જો 5 બાચાર્ય કક
E.2.10.4 તત્વાર્થ સૂત્ર (બિન આગમ સાહિત્ય)
મોટાભાગના જૈન પવિત્ર સાહિત્ય મૂળભૂત રીતે અર્ધ-માગધી ભાષામાં લખાયેલા છે. અર્ધ-માગધી તે સમયે લોકોની સ્થાનિક ભાષા હતી. પરંતુ ધીરે ધીરે સમય બદલાતો ગયો અને સંસ્કૃત રાજવી અને ભદ્ર ભાષા બની રહી. જૈન વિદ્વાનોએ પણ ધાર્મિક અને કેટલાક બીજા ગ્રંથો સંસ્કૃતમાં લખવાની શરૂઆત કરી. તત્વાર્થ સૂત્ર આવો પ્રથમ ગ્રંથ છે જે સૂત્રમય કથનના સ્વરૂપમાં છે. તેના બીજા બે નામ છે: તત્વાર્થ અધિગમ સૂત્ર (તત્વના મૂળ સ્વભાવ વિષયનું જ્ઞાન આપતું પુસ્તક) અને મોક્ષ શાસ્ત્ર (મોક્ષના સિદ્ધાંતો). જોકે પ્રખ્યાત રીતે તત્વાર્થસૂત્રના નામથી જ ઓળખાય છે.
તત્વાર્થ સૂત્ર ત્રણ સંસ્કૃત શબ્દોનો બનેલો શબ્દ છે: તત્વ (સાચો સ્વભાવ), અર્થ (વસ્તુઓ કે વાસ્તવિકતા) અને સૂત્ર (કેટલાક શબ્દોનો સમૂહ). આથી તેને તેના વિષયને અનુલક્ષીને તત્વના સાચા સ્વભાવ વિશેનું સૂત્ર પણ કહેવાય છે.
આ ગ્રંથ ક્યારે રચાયો તેની કોઇ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે ભવ્ય સૂત્રોની કે કાવ્યોની રચના કરવાના યુગમાં રચાયો હશે. ઈસુની આગળની સદીઓમાં પૂર્વના મોટા ભાગના ધર્મના તત્વજ્ઞાનના સિદ્ધાંતો સાદી અને સરળ રીતે લખવામાં આવ્યા હતા. બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર, વૈશેષિક સૂત્ર, ન્યાય સૂત્ર વગેરે જુદી-જુદી માન્યતાની સૂત્રમય રચનાઓ છે. તત્વાર્થ । જૈન દર્શનની રચના છે. તે ઈ.સ. ૨૦૦ થી ૪૦૦ ની વચ્ચે રચાયેલું હોવું જોઈએ.
સૂત્ર
Page 136 of 307