SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) વિદ્વાને તેનો અનુવાદ કરીને પ્રથમ વખત કલ્પસૂત્રને પ્રકાશિત કર્યું. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જીવનના પ્રસંગોનું જીવંત વર્ણન, તેમજ તેમના ૨૭ પૂર્વ ભવોનું વર્ણન છે. ત્રિશલા માતાના સ્વપ્નનું કાવ્યાત્મક વર્ણન, તીર્થંકર મહાવીરનો જન્મ મહોત્સવ, તેમના બાળપણના કેટલાક કિસ્સાઓ, દીક્ષાનો વરઘોડો, તેમની છદ્મસ્થ અવસ્થામાં થયેલા ઉપસર્ગો અને કેવળ જ્ઞાન તથા નિર્વાણનું વર્ણન સાંભળનારના મનમાં તેનું ચિત્રાત્મક દ્રશ્ય ઉભું કરે છે. તીર્થંકર ઋષસદેવ, નેમિના અને પાર્ષનાથના જીવન ચરિત્રોનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. સંવત્સરીના દિવસે આખું શાસ્ત્ર ખૂબ જ આદરપૂર્વક વાંચવામાં આવે છે. E.2.10.3 શ્રી સમયસાર (બિન આગમ સાહિત્ય) આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામીએ શ્રી સમયસાર ઈ.સ.૧૦૦ માં લખ્યું હતું. તેના ૮૦૦ વર્ષ પછી દસમી સદીમાં શ્રી અમૃતચંદ્ર આચાર્યએ સમયસાર પર આત્મખ્યાતિ નામે ટીકા લખી. શ્રી જયસેન અને અમૃતચંદ્ર આચાર્યએ સંસ્કૃતમાં પણ ટીકા લખી છે. આ સદીમાં શ્રીકાનજી સ્વામીએ સમયસાર વિશેની વિસ્તૃત સમજ તેમની ગુજરાતી પ્રવચન માળામાં આપી છે, જે ઘણા બધા શ્રાવકો માટે સમજવા માટેની સરળ ભાષા છે. સમયસારનું ઘણી ભાષાઓ જેવી કે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, કન્નડ, અંગ્રેજી વગેરેમાં પણ અનુવાદ થયેલો છે. આ ગ્રંથ મુખ્યત્વે આત્મા વિશેના જૈન સિદ્ધાંતોને સમજાવે છે. તે નવ તત્વોને સાપેક્ષતાથી સમજાવે છે. આ ગ્રંથ કહે છે કે આત્માના આ બંધનો કર્મના કારણે નથી પરંતુ પોતાના જ પુરુષાર્થમાં ખોટને કારણે છે. જ્યારે વ્યક્તિ પોતે પુરુષાર્થ કરે ત્યારે આત્માને મોક્ષ મળે છે. શાસ્ત્રો અને પ્રબુદ્ધ ઉપદેશકો આત્માને સાચી દિશા તરફ માર્ગદર્શન આપે છે. કુંદકુંદ સ્વામીએ કહ્યું કે અનંત સમયથી આત્મા પોતાનો મૂળ સ્વભાવ ભૂલી ગયો છે. તેમણે આત્માની વિશેષતા બીજા દ્રવ્યો, તેના પર્યાયો વગેરેના સંદર્ભમાં સમજાવી છે. અને સમ્યગ શ્રદ્ધા ઉપર ભાર મૂક્યો છે. આ ગ્રંથ કહે છે કે સાચી શ્રદ્ધા તે સમ્યગ દર્શન અને મોક્ષ તરફનું પ્રથમ પગથિયું છે. વ્રતો, નિયમો, તપ, પૂજા પ્રાર્થના વગેરે સમ્યગ દર્શનની પાછળ પાળવામાં આવતા સમ્યક આચાર છે. તે એ વાત પર ભાર મૂકે છે કે આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટે પ્રથમ મિથ્યાત્વથી દૂર થવું જોઈએ. નિશ્ચય દ્રષ્ટિએ આત્મા શુદ્ધ છે પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ તેની સાથે પ્રાથમિક કે સહાયક કારણોથી કર્મો બંધાયેલા છે. આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે અને દરેક જીવાત્મા દ્વારા તે અનુભવી શકાય છે. આ વાત ઉપર ખુબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ૪૧૫ સૂત્રો છે જેને નવ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે: • જીવ અને અજીવ ♦ કર્મ બંધના કારણો અને તેની ક્રિયા Page 135 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy