________________
Compodium of Jainism – Part (II)
મહાવીર કહે છે કે સાધુ બનવા માટે અને તેના ગુણો કેળવવા માટે કોઈ એક ચોક્કસ જાતિની જરૂર નથી. આ જૈન ધર્મની મૂળભૂત વૈશ્વિકતા છે.
આ સૂત્ર એવું સૂચવે છે કે બેકાળજી અને બેદરકારી સારા નથી. તેમજ વધારે પડતો રાગ અને ભોગવિલાસ પણ ખરાબ છે. મનુષ્યની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ અસીમ છે. જે અસંતોષની લાગણી ઊભી કરીને જીવનને દુખી બનાવે છે. વ્યક્તિએ સારા ગુણો કેળવીને ખરાબ ક્રિયાઓ અને વિચારોથી દૂર રહેવું જોઈએ.
સારા એવા પ્રકરણો જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને શીખવે છે. આ સિદ્ધાંતનો અભ્યાસ કરવાથી આંતરિક અને બાહ્ય શુદ્ધિ થાય છે. કર્મનો સિદ્ધાંત જૈન દર્શનનો સાર છે. સમતાનો અભ્યાસ (સામાયિક) અને ધ્યાનની પણ ચર્ચા આ સૂત્રમાં થયેલી છે. લેશ્યા (મન અને કર્મ બંધન મુજબની અવસ્થા) વિશેની થીયરી એક ખૂબ જ મહત્વના માનસિક સિદ્ધાંત તરીકે દર્શાવવામાં આવી છે. જે વ્યક્તિની વિચાર પ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે.
જૈન દર્શન ક્રિયા લક્ષી ધર્મ છે. જોકે આ સૂત્ર એવું કહે છે કે ક્રિયાના ફળ ત્યારે જ મળે છે, જ્યારે તે નેક ઈરાદા સાથે અને ક્ષતિઓ અને ભૂલથી દુર રહીને કરવામાં આવે.
છેલ્લું પ્રકરણ દુનિયાના જીવ અને અજીવ તત્વની સમજ આપે છે. તે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર વિશેની માહિતી આપે છે. સાધુના જુદા જુદા ગુણ અને વ્રત વિશેના પ્રકરણમાં અહિંસા વિશેની સમજ મળે છે.
E.2.10.2 કલ્પસૂત્ર (આગમ સાહિત્ય)
પારંપરિક રીતે શ્વેતાંબર સંપ્રદાયમાં સૌથી મહત્વનું શાસ્ત્ર કલ્પસૂત્ર છે. જે પર્યુષણના ચોથાથી આઠમા દિવસ સુધી વાંચવામાં આવે છે. કલ્પ એટલે એવી ક્રિયા જે ધાર્મિક જ્ઞાન, આચાર અને સંયમને વધારે. આ શાસ્ત્ર કે જે વર્ષાઋતુ દરમ્યાન સાધુ જીવનના નિયમોની સમજ આપે છે. તે દશશ્રુતસ્કંધ નામના અંગ બાહ્ય આગમનું આઠમું પ્રકરણ છે. આ પ્રકરણ ઉપરથી એક અલગ પુસ્તક બનાવવામાં આવ્યું છે. જેમાં તીર્થંકરોના જીવનચરિત્ર અને ગણધરોની પાટ પરંપરા વિશેની માહિતી છે.
આચાર્ય ભદ્રબાહુએ અર્ધમાગધી ભાષામાં ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં આ ત્રણ પ્રકરણ (૧૨૧૬ પદો)ની રચના કરી હતી જેને કલ્પસૂત્ર કહેવાય છે. ઈ.સ.૪૫૪માં વલભીપુર વાંચના દરમિયાન સૌપ્રથમ વખત તેને તાડપત્ર પર લખવામાં આવ્યું. ઐતિહાસિક રીતે સાધુઓની વચ્ચે પર્યુષણ દરમ્યાન જ તેને વાંચવામાં આવતું. પરંતુ લગભગ ૧૫૦૦ વર્ષથી જ્યારથી દેવર્ધિગણીએ વલ્લભીના રાજા ધ્રુવસેન સમક્ષ તેના પુત્રના મૃત્યુનું દુઃખ ઓછું કરવા તે વાંચ્યું. ત્યારથી તે જાહેરમાં શ્રાવકો સમક્ષ પણ વાંચવામાં આવે છે. ઇ.સ.૧૮૭૯ માં હર્મન જેકોબી નામના એક જર્મન
Page 134 of 307