SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) સમયમાં ઉપલબ્ધ આવૃત્તિમાં જુદા જુદા સમયના કાર્યનું સંકલન છે. જો કે તે મૂળભૂત શાસ્ત્રોનો સમકાલીન એક જૂનામાં જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં જૈન સિદ્ધાંનો શીખવવાની જુદી જુદી રીનો છે. તેમાં દ્રષ્ટાંતો, રૂચકાઓ, ધારાવાહિકો અને ઐતિહાસિક વાર્તાઓના સ્વરૂપમાં ઉદાહરણો આપેલા છે. તેમાં ૩૬ પ્રકરણો આપેલા છે. જેના ત્રીજા ભાગના પ્રકરણમાં ઐતિહાસિક વાર્તાઓ અને ઘટનાઓ છે. કેટલાક આગળના પ્રકરણમાં દ્રષ્ટાંતો અને જૈન ધર્મના જુદા જુદા વિષયો છે. જુદા જુદા પ્રકારની રીતો આ ગ્રંથને ખુબ જ ઉદાહરણ રૂપ અને રસપ્રદ બનાવે છે. આ ગ્રંથ ઉપર નવમી સદીથી શરૂ કરીને ઘણી જ લાંબી કે ટૂંકી ટીકાઓ લખાયેલી છે. તેનું પ્રથમ અંગ્રેજી અનુવાદ છેક ઇ.સ.૧૮૯૫ માં પ્રકાશિત થયો હતો. આ ગ્રંથ હવે ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થઈને ઉપલબ્ધ છે જેવીકે જર્મન, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વગેરે. અનુવાદની મદદથી કોઈ પણ માણસ તેને વાંચી અને સમજીને આ ગ્રંથનું મૂલ્ય આંકી શકે છે. ચાલો હવે આપણે આ ગ્રંથના મહત્વના વિષયોને જોઈએ. આ ગ્રંથ કહે છે કે મનુષ્યજીવન ખૂબ જ દુર્લભ છે અને મનુષ્ય જીવન થકી જ શાશ્વત સુખ મેળવી શકાય છે. આથી મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જરૂરી છે. દરેકે પોતાનું જીવન સારા આદર્શોથી અને સમજણપૂર્વક જીવવું જોઈએ. તે લોકોને સાધુ જીવન તરફ વળવાની પ્રેરણા આપે છે જે આંતરિક સુખનો રસ્તો છે. આ સૂત્ર કહે છે કે નીચે પ્રમાણેની ચાર વસ્તુઓ ખૂબ જ દુર્લભ છે: • મનુષ્યભવ • જિનવાણી શ્રવણ (ધર્મશ્રવણ) • સમ્યગ દર્શન (શ્રદ્ધા) • સમ્યક ચારિત્ર (સંયમ) આપણે એ નોંધવું જોઇએ કે મહાવીર તેમના સમયના સાધુઓમાં સૌથી મોખરે હતા. તેમના સાચી શ્રદ્ધા અને સમજવાળા ઘણા અનુયાયીઓ હતા. તેમણે ઘણા બધા લોકોને બાહ્ય અને આંતરિક સુખની પ્રાપ્તિ માટે આ માર્ગની પ્રેરણા આપી હતી. તેમણે સાધુ જીવન, વીતરાગતાનો માર્ગ વગેરે ઉપર પણ ભાર મૂક્યો. જ્યાં ૨૨ પ્રકારના પરિષહો સહન કરવા પડે છે. વ્યક્તિએ પોતાની જાતને સાધુ બનાવવા માટે શારીરિક અને માનસિક કઠીનાઈઓનો પણ સામનો કરવો પડે છે. ઉત્તરાધ્યયન સૂત્ર આપણને કપિલ, નમી, મૃગપુત્ર, સંજય રથનેમી, જયઘોષ, વિજયઘોષ અને બીજી ઘણી વાર્તાઓ દ્વારા સાધુ જીવનના ઘણા બધા મુદ્દાઓ શીખવે છે. તે બતાવે છે કે સાધુ જીવન આગળના સારા કર્મોના પરિણામ સ્વરૂપે મળે છે. વ્યક્તિએ દરેક સમયે સારું વિચારવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ. એક પ્રકરણમાં એક સાધુની વાત આવે છે, જેને ઉંચી જાતિના લોકો દ્વારા યોગ્ય માન મળ્યું ન હતું. પાછળથી તેમની દેશનાએ તેમને આ માન અપાવ્યું. Page 133 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy