________________
Compodium of Jainism - Part (II)
તત્વાર્થ સૂત્ર
ઉમાસ્વાતિ
ઈ.સ.૨૦૦
તત્વાર્થસૂત્ર પરની ટીકા
સમંતભદ્ર
ઈ.સ.૬૦૦
તત્વાર્થસૂત્ર પરની ટીકા
પૂજ્યપાદ
ઈ.સ.૭૦૦
નત્વાર્થસૂત્ર પરની ટીકા
અકલંક
ઈ.સ.૭૫૦
તત્વાર્થસૂત્ર પરની ટીકા
વિદ્યાનંદ
ઈ.સ.૮૦૦
આપ્ત મીમાંસા
સમંતભદ્ર
ઈ.સ.૬૦૦
આપ્ત મીમાંસા પરની ટીકા
અકલંક
ઈ.સ.૭૫૦
આપ્ત મીમાંસા પરની ટીકા
વિદ્યાનંદ
ઈ.સ.૮૦૦
કોષ્ટક E.2.K
E.2.8 બિનમાગમ સાહિત્ય
જૈન ધર્મમાં સેંકડો અને હજારો પુસ્તકો છે જે આગમ સાહિત્યનો ભાગ નથી અને આ સાહિત્ય આગમ સાહિત્ય પરની ટીકાઓ કે તેની સમજૂતી અથવા આચાર્યો અને વિદ્વાનો દ્વારા રચાયેલી કેટલીક સ્વતંત્ર કૃતિઓનો પણ સમાવેશ કરે છે. આ કૃતિઓ ઘણી બધી ભાષા જેવી કે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ (જૂની ગુજરાતી), જુની મરાઠી, રાજસ્થાની, ગુજરાતી, હિન્દી, કન્નડ, તમિલ, જર્મન અને અંગ્રેજીમાં લખાયેલી છે. દિગંબર બિનઆગમ ગ્રંથોની વાત આપણે આગળ દિગંબર સાહિત્ય વિભાગમાં જોઈ ગયા.
કેટલાક શ્વેતાંબર બિનઆગમ ગ્રંથોના ઉદાહરણ આ મુજબ છે: તત્વાર્થ સૂત્ર, શ્રી સન્મતિ તર્ક, શ્રી પ્રમાણ નય, શ્રી સ્યાદ્વાદ રત્નાકર, શ્રી વિશેષ આવશ્યક મહાભાષ્ય, શ્રી તત્વ લોકાલંકાર, શ્રી કમ્મ- પયડી, શ્રી ધર્મ-પરીક્ષા, શ્રી ધર્મ સંગ્રહણી, શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય, શ્રી યોગશાસ્ત્ર, શ્રી યોગબિંદુ, શ્રી અનેકાંત જય પતાકા, શ્રી શાસ્ત્ર વાર્તા સમુચ્ચય,શ્રી જ્ઞાનસાર, શ્રી અધ્યાત્મસાર, શ્રી અધ્યાત્મ- આત્મ-પરીક્ષા, શ્રી અન્યયોગ વ્યવદીકા, શ્રી શાંત સુધારસ વગેરે.
E.2.10 કેટલાક પવિત્ર ગ્રંથો
બધા જ જૈન સંપ્રદાયો સર્વસંમતિથી શ્રી તત્વાર્થ સૂત્રને આજે મુખ્ય જૈન ગ્રંથ ગણે છે. આ વિભાગમાં આપણે શ્રી તત્વાર્થ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (શ્વેતાંબર શાસ્ત્ર) અને શ્રી સમયસાર (દિગંબર નો પવિત્ર ગ્રંથ) ની થોડી ઝલક જોઈશું. આજના સમયમાં આ ત્રણે જૈન ધર્મના મુખ્ય પુસ્તક છે.
E.2.10.1 ઉત્તરાધ્યયન સૂત્ર (આગમ સાહિત્ય)
ઉત્તરાધ્યયન સૂત્ર સૌથી મહત્વના શાસ્ત્રોમાંનું એક છે અને ત્રીજું મૂળ આગમ સૂત્ર છે. પારંપરિક રીતે તેમાં ભગવાન મહાવીરની છેલ્લી દેશના હોવાનું કહેવાય છે. ઘણાં વિદ્વાનો માને છે કે આજના
Page 132 of 307