SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) પાંચમી અને છઠ્ઠી સદીમાં થઇ ગયા. તેમની નિયુક્તિમાં તેમણે ખૂબ જ આકર્ષક રીતે તત્વજ્ઞાનને લગતા વિષયોની ચર્ચા કરી છે. તેમણે પ્રમાણ, નય, વિક્ષેપ વગેરે વિષયો પર લખીને જૈન તત્વજ્ઞાનનો ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે. જો કોઈને કોઈ ચોક્કસ વિષયને સંપૂર્ણ રીતે સમજવો હોય તો તેણે ભાષ્ય વાંચવું જોઇએ કે જે આજના દિવસ સુધી તેમની રચનાઓનો સંદર્ભ લઈને સમજવામાં આવે છે. ભાષાના બીજા લેખોમાં સંઘદાસ ગણી અને જિનભદ્ર સૌથી વધારે પ્રખ્યાત છે તેઓ સાતમી સદીમાં થઇ ગયા. આપણી પાસે અત્યારે જે ચુર્ણિ ઉપલબ્ધ છે તે સાતમી અને આઠમી સદીમાં લખાયેલી છે. ચુર્ણિના લેખકોમાં જીનદાસ મહત્તર પ્રખ્યાત છે. આગમ પર લખાયેલી જૂનામાં જૂની સંસ્કૃત ટીકા આચાર્ચ હરિતદ્રસુરીએ લખેલી છે. તેઓ વિક્રમ સંવત ૭૫૭ થી ૮૫૭ ની વચ્ચે થઈ ગયા. હરિભદ્રસૂરિ મુખ્યત્વે પ્રાકૃત યુર્ણિઓની સંસ્કૃત આવૃત્તિ આપી છે. હરિભદ્રસૂરિ બાદ શિલાંક સુરી દસમી સદીમાં થઇ ગયા જેમણે સંસ્કૃત ટીકાઓ લખી. શિલાંક સુરી બાદ સન્ય આચાર્યએ ઉત્તરાધ્યયન સૂત્ર પર પ્રખ્યાત સંસ્કૃત ટીકા બૃહત-ટીકા લખેલી છે. તેમના બાદ ખૂબ જ પ્રખ્યાત ટીકાકાર અભય દેવ વિ.સં.૧૦૭૨ થી ૧૧૩૪ સુધીમાં થઈ ગયા. તેમણે નવ અંગ ઉપર સંસ્કૃત ટીકાઓ લખી છે. અહીં આપણે મલધારી હેમચંદ્ર આચાર્યનું નામ ચોક્કસ યાદ કરવું જોઈએ જેઓ સંસ્કૃત ટીકાકાર હતા. તેઓ ૧૨મી સદીના મહાન વિદ્વાન હતા. જોકે આગમ પરની સંસ્કૃત ટીકાઓના લેખકોમાં મલયગિરિનું નામ સૌથી મોખરે છે. તેઓ હેમચંદ્રાચાર્યના સમકાલીન હતા. બીજા સમકાલીન વિદ્વાનોએ ત્યારબાદ બાલાવબોધ ટીકાઓ લખવાની ચાલુ કરી જે અપભ્રંશ (જૂની ગુજરાતી) ભાષા છે તેમાં લખાયેલી છે. ૧૮મી સદીમાં થઈ ગયેલા ધરમસિંહ મુનિએ જૂની ટીકાઓના બધા અર્થોને અમાન્ય કર્યા અને તેમણે પોતાના નવા અર્થઘટનો લખ્યા. જોકે તેમના અર્થઘટનો એ તેમના સંપ્રદાયલોક ગચ્છ)ના સિદ્ધાંતો સાથે વધુ બંધબેસતા છે જે મૂર્તિપૂજાના વિરોધમાં ઉભો થયો હતો. E.2.8 દિગંબરોને માન્ય સાહિત્ય દિગંબર સંપ્રદાય માને છે કે મૂળભૂત ૨૬ આગમ સૂત્ર હતા (૧૨ અંગ પ્રવિષ્ટ + ૧૪ અંગ બાહ્ય આગમ). જોકે તે ભગવાન મહાવીરના નિર્વાણના ૧૫૦ વર્ષ બાદ ધીરે ધીરે ભૂલાતા ગયા. આથી દિગંબરો હાલના આગમ સૂત્રો (જે શ્વેતાંબર સંપ્રદાયના માને છે) તેને મૂળભૂત શાસ્ત્રો તરીકે માનતા નથી. Page 129 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy