________________
Compodium of Jainism – Part (II)
મૂળભૂત શાસ્ત્રની ગેરહાજરીમાં દિગંબરો બે મુખ્ય ગ્રંથ અને આ બે મુખ્ય ગ્રંથો પરની ટીકાઓ અને ચાર અનુયોગ જેમાં ૨૦ થી પણ વધુ ગ્રંથો છે. તેને ધાર્મિક તત્વજ્ઞાન અને આચારોના પાયા તરીકે માને છે. આ શાસ્ત્રો ઈ.સ. ૧૦૦ થી ૧૦૦૦ ની વચ્ચે મહાન આચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. તેઓએ મૂળ આગમ સૂત્રોનો આધાર લઈને તેમની કૃતિઓ રચી છે.
E.2.8.1 દિગંબર ગ્રંથોની યાદી
મૂળ શાસ્ત્રોની ગેરહાજરીમાં દિગંબર શાસ્ત્રની યાદી:
શીર્ષક
વર્ણન
ષટખંડ આગમ અથવા મહા-
મૂળ સૂત્ર
કમ્મ-પયડી પાહુડા અથવા
લેખક આચાર્ય પુષ્પદંત અને ભૂની
વર્ષ
ઈ.સ.૧૬૦
મહાકર્મ પ્રકૃતિ પ્રામૃત
કષાય પાહુડા અથવા કષાય
મૂળ સૂત્ર
આચાર્ય ગુણધર
પ્રાકૃત
ધવલ-ટીકા
ષટખંડ આગમના ૧ થી | વીરસેન
ઈ.સ. ૭૮૦
૫ ભાગની ટીકા
મહા-ધવલ-ટીકા
ષટખંડ આગમના ૬ઠ્ઠા
વીરસેન
ઈ.સ. ૭૮૦
ભાગ પરની ટીકા
જયધવલ-ટીકા
કષાય પાહુડા ઉપરની
વીરસેન અને જિનસેન ઈ.સ. ૭૮૦
ટીકા
કોષ્ટક E.2.G
E.2.8.1.1 ષટખંડ આગમ
ષટખંડ આગમને મહા-કમ્મ-પયડી પાહુડા અથવા મહાકર્મ પ્રકૃતિ પ્રાકૃત તરીકે પણ ઓળખાય છે. પુષ્પદંત અને ભૂતબલીના નામના બે આચાર્યોએ ઈ.સ. ૧૬૦ માં તે લખ્યું હતું. બીજું પૂર્વ આગમ અગરાયનીય તેના આધાર તરીકે વપરાયુ છે. આ ગ્રંથમાં છ ભાગ છે. આચાર્ય વીરસેને તેના પરની ટીકાઓ લખી છે. પ્રથમ પાંચ ભાગ ઉપરની ધવલ-ટીકા અને છઠ્ઠા ભાગ પરની મહાધવલ- ટીકા ઈ.સ.૭૮૦ માં લખાયેલી છે.
E.2.8.1.2 કષાય પાહુડા અથવા કષાય પ્રાકૃત
આચાર્ય ગુણધરે કષાય પાહુડા લખ્યું છે. પાંચમું પૂર્વ જ્ઞાન-પ્રવાદ આ ગ્રંથના આધાર તરીકે લેવામાં આવ્યું છે. આચાર્ય વીરસેન અને તેમના શિષ્ય જિનસેને જય ધવલ- ટીકા નામક ગ્રંથમાં તેની ઉપર ઈ.સ. ૭૮૦ માં ટીકાઓ લખી છે.
E.2.8.1.3 ચાર અનુયોગ
E.2.8.1.3.1 પ્રથમાનુયોગ ધર્મ કથા અનુયોગ
આ અનુયોગમાં નીચે મુજબના ગ્રંથો જેમાં ધાર્મિક કથાઓ, કળા, સાહિત્ય, ઇતિહાસ કાવ્ય વગેરે
Page 130 of 307