________________
જાય છે.
Compodium of Jainism – Part (II)
E.2.6.2.1.9 કલ્પાવર્તસિકા સૂત્ર (કપ્પાવડમસીઆઓ)
આ આગમ રાજા કૂણિકના પુત્રોની વાર્તા વર્ણવે છે. તેઓ રાજા ચેટકની સામે લડાઈમાં લડ્યા ન હતા. તેઓ સંસારનો ત્યાગ કરીને સાધુ બન્યા અને મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જાય છે.
E.2.6.2.1.10 પુષ્પિકા સૂત્ર (પુધ્ધિાઓ)
આ આગમ કેટલાક દેવતાઓની વાર્તા કહે છે જેમણે પોતાના પૂર્વ જન્મમાં મહાવીરની ભક્તિ કરી હતી.
E.2.6.2.1.11 પુષ્પ ચૂલિકા સૂત્ર
આ આગમ આગળના આગમ જેવી જ કેટલીક બીજી વાર્તાઓ કહે છે.
E.2.6.2.1.12 વૃષ્ણિદાસૂત્ર (વન્ટિંસાઓ)
આ આગમ વર્ણવે છે કે ભગવાન નેમિનાથે કેવી રીતે વૃષ્ણિના ૧૦ રાજાઓને જૈન ધર્મ
અપનાવવા માટે મનાવ્યા હતા.
E.2.6.2.2 છેદ સૂત્ર
છેદ સૂત્રમાં લખવામાં આવેલ વાતો સાધુઓ માટે છે, શ્રાવકો માટે નથી. તે સાધુ જીવનના આચારો, તેની સજા તેને પશ્ચાતાપ વગેરેની માહિતી આપે છે. એ એવું પણ દર્શાવે છે કે સાધુઓ તેમણે કરેલી ભૂલો અને પાપ માટે કેવી રીતે પશ્ચાતાપ લઈ શકે છે.
E.2.6.2.2.1 નિશીથ સૂત્ર
આ આગમ જે સાધુ અને સાધ્વીઓએ નિયમોનો ભંગ કર્યો હોય તેમને સજાના રૂપમાં પ્રાયશ્ચિતની
વિધિ સમજાવે છે.
E.2.6.2.2.2 બૃહત કલ્પ સૂત્ર
આ આગમ સમજાવે છે કે સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરેલા ખોટા કાર્ય માટે કયા પ્રકારના ૧૦ પ્રાયશ્ચિતો શક્ય છે. તેમાં સાધુ અને સાધ્વીના પાળવા લાયક આચારોનું પણ વર્ણન છે.
E.2.6.2.2.3 વ્યવહાર સૂત્ર*
Page 124 of 307