________________
Compodium of Jainism – Part (II)
આ આગમમાં સાધુ અને સાધ્વીને આચાર પાળવામાં ભૂલ પડે તો તેની કબૂલાત વિશેની પ્રણાલી સમજાવવામાં આવી છે. તેમાં સાંભળનાર સાધુ કે સાધ્વીમાં કઈ વિશેષતાઓ હોવી જોઈએ, કઈ ભાવના સાથે કબૂલાત કે આલોચના કરવી જોઈએ. તેમજ સાધુઓએ કયું પ્રાયશ્ચિત લેવું જોઈએ, તેમાં સાધુ જીવનની બીજી મર્યાદાઓનું પણ વર્ણન છે.
E.2.6.2.2.4 દસશ્રુતસ્કંધ સૂત્ર (આચારદશા)
આ સૂત્રમાં ૧૦ પ્રકરણ આવેલા છે. તેમાં અસમાધિની ૨૦ જગ્યાઓ, આચારમાં નબળાઈ લાવતા ૨૧ મોટા કારણો, ગુરુની 33 પ્રકારની આશાતના, આચાર્યની ૮ સંપદા અને તેના પ્રકારો, ચિત્ત સમાધિની ૧૦ જગ્યાઓ, શ્રાવકની ૧૧ પ્રતિમા, સાધુ અને સાધ્વીજીઓની ૧૨ પ્રતિમાઓ, કલ્પસૂત્ર (પર્યુષણ દરમિયાન બોલવામાં આવે છે), મોહનીય કર્મ બંધના ૩૦ પ્રકારો અને ૯ નિદાન (નિયાણા) વિષેની માહિતી છે.
E.2.6.2.2.5 પંચ કલ્પસૂત્ર*
આ સૂત્ર સાધુ અને સાધ્વીઓ દ્વારા રોજિંદા જીવનમાં કરવાની વિધિઓનું વર્ણન કરે છે. આ આગમના માત્ર છુટાછવાયા પ્રકરણો આજે ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક પહેલાના સમયના સાધુઓ દ્વારા આ સૂત્ર પર લખવામાં આવેલા ભાષ્યો અને યુર્ણિ આજે પણ ઉપલબ્ધ છે.
E.2.6.2.2.6 મહાનિશિથ સૂત્ર
આ સૂત્ર સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતી આલોચના અને પ્રાયશ્ચિત વર્ણવે છે. તે જો કોઈ સાધુ કે સાધ્વી બ્રહ્મચર્ય વ્રત ભંગ કરે તો કેટલા પ્રમાણમાં દુઃખ ભોગવવું પડે તેનું વર્ણન કરે છે. તે સારા અને ખરાબ સાધુના આચારનું પણ વર્ણન કરીને તેને સમજાવે છે.
E.2.6.2.3 મૂળ સૂત્રો
એવા સૂત્રો જે સાધુ જીવનના પ્રાથમિક તબક્કામાં સાધુ અને સાધ્વીજીઓ માટે ભણવા જરૂરી હતા તેને મૂળ સૂત્ર કહેવાયા.
E.2.6.2.3.1 આવશ્યક સૂત્ર
આત્માના શુદ્ધિકરણ માટે નિયમિત રીતે રાત કે દિવસ દરમ્યાન કરવામાં આવતી જરૂરી ક્રિયા કે વિધિઓને આવશ્યક કહેવાય છે. છ આવશ્યકનું વર્ણન આગમમાં કરેલું છે. આ છ આવશ્યકો: સામાયિક, ચતુર્વિશતી-સ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન છે.
E.2.6.2.3.2 દશવૈકાલિક સૂત્ર
Page 125 of 307