________________
મેળવી શકે છે.
Compodium of Jainism – Part (II)
E.2.6.2.1.2 રાજપ્રજ્ઞપ્તિ સૂત્ર (રાચા-પસેણ-Ěજ્જ
આ આગમ કેશી સાધુની વાર્તાનું વર્ણન કરે છે. કેશી સાધુ એ ભગવાન પાર્શ્વનાથના ગણધર હતા. તેમણે પ્રદેશી રાજાને આત્માના અસ્તિત્વ અને ગુણધર્મ વિશેના સંદેહો દૂર કરી અને તે રાજાને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા. તેમના મૃત્યુ બાદ રાજા સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. તેઓ સ્વર્ગમાંથી પ્રગટ થયા અને તેમણે ભગવાન મહાવીર પર અભૂતપૂર્વ ઠાઠમાઠ અને વૈભવની વર્ષા કરી. આ આગમમાં ૩૨ નાટકો લખાયેલા છે જે પ્રાચીન ભારતની નાટ્ય કલા પર પ્રકાશ ફેંકે છે.
E.2.6.2.1.3 જીવાભિગમ સૂત્ર
આ આગમ બ્રહ્માંડ અને તેમાં વસતા દરેક જીવાત્માના ગૂઢ રહસ્યની વાત કરે છે આ જીવ શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્રના વિદ્વાનોને ખૂબ જ મહત્વની માહિતી પૂરી પાડે છે.
E.2.6.2.1.4 પ્રજ્ઞાપના સૂત્ર (પદ્મવણા)
આ આગમ જુદા જુદા દ્રષ્ટિકોણથી આત્માના સ્વરૂપ ને સમજાવે છે.
E.2.6.2.1.5 સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (સુર્ય પન્નત્તિ)
આ આગમ સૂર્ય, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને તેની ગતિના સંદર્ભમાં સમજાવે છે.
E.2.6.2.1.6 ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર
આ આગમ ચંદ્ર, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને તેની ગતિના સાપેક્ષમાં સમજાવે છે. આ બંને ઉપાંગો ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ એ જૂના સમયના જ્યોતિષશાસ્ત્ર સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે.
E.2.6.2.1.7 જંબુદ્વિપ-પ્રજ્ઞપ્તિ સૂત્ર
આ આગમમાં જંબુદ્રીપનું વર્ણન છે. જંબુદ્રીપ જૈન ભૂગોળ શાસ્ત્ર મુજબ મધ્યલોકના કેન્દ્રમાં આવેલો મોટો દ્વીપ છે. આ આગમ કેટલાક પ્રાચીન રાજાઓ વિષે પણ માહિતી પૂરી પાડે છે.
E.2.6.2.1.8 નીરયાવલી સૂત્ર
આ આગમ ૧૦ રાજકુમાર ભાઈઓની વાર્તા વર્ણવે છે. આ દસ રાજકુમારો રાજા કૂણિકની મદદથી વૈશાલીના રાજા ચેટકની સામે લડાઈ કરે છે. અંતમા આ દસ રાજકુમારો યુદ્ધમાં મર્યા બાદ નરકમાં
Page 123 of 307