________________
Compodium of Jainism – Part (II)
આ આગમ ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકના આચારોને સમજાવે છે. આ આગમ જૈન ધર્મ મુજબ શ્રાવકના આચારોને સમજવા માટે ખૂબ જ અગત્યનું છે.
E.2.5.8 અંતકૃત દશાંગ સૂત્ર (અનગડદશાઓ)
આ આગમ ૧૦ મહત્વના સાધુઓનો કર્મોનો નાશ કરીને મોક્ષ મેળવવાની કથાઓ કહે છે.
E.2.5.9 અનુત્તરોપ-પાતિક દશાંગ સૂત્ર (અનુત્તરોવ-વાઇ-દસાઓ)
આ આગમ બીજા દસ પવિત્ર સાધુઓ જેમણે ઉંચામાં ઉંચુ સ્વર્ગ જેને અનુત્તર વિમાન કહેવાય છે તેને મેળવ્યું છે તેની કથાઓ કહે છે.
E.2.5.10 પ્રશ્ન-વ્યાકરણ સૂત્ર (પહવાગરણઇમ)
આ આગમ જૈન ધર્મ મુજબ પાંચ મહાવ્રતો અને પાંચ ખરાબમાં ખરાબ પાપોનું વર્ણન કરે છે. E.2.5.11 વિપાક સૂત્ર (વિવાગ સુયમ)
આ આગમ સારા ને ખરાબ કર્મોના ફળને જુદી જુદી વાર્તાઓ દ્વારા સમજાવે છે.
E.2.5.12 દ્રષ્ટિવાદ સૂત્ર
બારમુ અંગ પ્રવિષ્ટ આગમને બધા જ સંપ્રદાયો લુપ્ત થયેલું માને છે. બીજા જૈન સૂત્રોમાં મળતાં દ્રષ્ટિવાદના વર્ણન મુજબ આ અંગ પ્રવિષ્ટ આગમ બધા જ આગમ સૂત્રોમાં સૌથી મોટામાં મોટું હતું અને તેના પાંચ ભાગ હતા (૧)પરિક્રમા (૨) કર્મ સૂત્ર (૩)પૂર્વગત (૪) પ્રથમ અનુયોગ અને (૫) ચૂલિકા. ત્રીજા ભાગ પૂર્વગતમાં ૧૪ પૂર્વનો સમાવેશ થતો હતો. આ પૂર્વમાં જૈન ધર્મનો અદભુત અને અનંત ખજાનો હતો અને દરેક વિષય ઉપરનું જ્ઞાન હતું.
E.2.6 અંગ બાહ્ય આગમ
૧૨ અંગ આગમો જે ગણધરો એ રચ્યા હતા. તે આગમોની ઉપર બીજા કેટલાક ધાર્મિક સાહિત્યની રચના કેટલાક સ્થવિર કે વડીલ સાધુઓએ કરી હતી જેનો પણ જૈન આગમ તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સ્થવિર સાધુઓ બે પ્રકારના હોઈ શકે: શ્રુતકેવળી - જેમણે 14 પૂર્વેનો અભ્યાસ કર્યો છે અને દસ પૂર્વી - જેમણે ૧૦ પૂર્વેનું જ્ઞાન મેળવ્યું છે. શ્રુતકેવળી આગમના સારને સમજવાના દ્રષ્ટિકોણથી વધુ જ્ઞાની હોય છે.
E.2.6.1 જુદી જુદી પરંપરામાં અંગ બાહ્ય આગમ
=
Page 121 of 307