________________
Compodium of Jainism - Part (II)
શ્વેતાંબર મૂર્તિપૂજક
૧૨
૧
૧૧
શ્વેતાંબર સ્થાનકવાસી | ૧૨
૧
૧૧
શ્વેતાંબર તેરાપંથી
૧૨
૧
૧૧
કોષ્ટક E.2.K
અંગ-પ્રવિષ્ટ માગમના વિષયો
E.2.5.1 આચારાંગ સૂત્ર (આયારાંગ સુત્ત)
આ આગમ સાધુ જીવનના આચારો અને તેમના વર્તનનું વર્ણન કરે છે. તેમાં ભગવાન મહાવીરના તપ વિષયનું પણ વર્ણન છે. આ ભાષાકીય દૃષ્ટિએ જોતાં સૌથી જુનામાં જુનું આગમ છે.
E.2.5.2 સૂત્ર-કાંગ સૂત્ર (ચડોગ-સુન)
આ આગમ અહીંસા, જૈન અધ્યાત્મ શાસ્ત્ર તેમજ બીજી ધાર્મિક થીયરી જેવી જે ક્રિયાવાદ, અક્રિયા વાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ વગેરેનું ખંડન કરે છે.
E.2.5.3 સ્થાનાંગ સૂત્ર (ઠાણાંગ-સુત્ત)
આ આગમ જૈન અધ્યાત્મ શાસ્ત્રના મુખ્ય વિષયો અને તેની સૂચિનો સમાવેશ કરે છે.
E.2.5.4 સમવાયાંગ સૂત્ર
આ સૂત્ર સ્થાનાંગ સૂત્રથી અલગ દ્રષ્ટિકોણથી જૈન ધર્મના મુખ્ય દ્રવ્યો અને તેની સૂચિનું વર્ણન કરે
છે.
E.2.5.5 વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ અથવા ભગવતી સુત્ર (વિયાહ-પણત્તિ)
આ આગમ આત્મા, દ્રવ્ય અને બીજા તેને લગતા વિષયોના ગૂઢ જ્ઞાનને સમજાવે છે. તેમાં ૩૬૦૦૦ સવાલો અને જવાબો ચર્ચાના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ અગ્યાર અંગ-પ્રવિષ્ટ આગમમાં સૌથી મોટામાં મોટું છે.
E.2.5.6 જ્ઞાતા ધર્મ-કથાગ સૂત્ર (ણાય ધમ કહા સુત્ત)
આ આગમ જૈન સિદ્ધાંતોને ઉદાહરણ અને કથાઓ દ્વારા સમજાવે છે. ભગવાન મહાવીરના ઉપદેશની રીત ને સમજવા માટે આ ગ્રંથ ખૂબ જ અગત્યનો છે.
E.2.5.7 ઉપાસક દશાંગ સૂત્ર Ğવાસગ સા
Page 120 of 307