________________
Compodium of Jainism – Part (II)
શ્વેતાંબર અને દિગંબર બંને સર્વસંમતિથી માને છે કે આજના સમયે પૂર્વે લુપ્ત થઇ ચુક્યા છે. પરંતુ એવી કેટલીક કૃતિઓ છે જે પૂર્વોનો આધાર લઈને તૈયાર કરવામાં આવી છે. ષટખંડ આગમ અને કષાય પાહુડા પૂર્વના આધાર ઉપર દિગંબર આચાર્ય દ્વારા રચવામાં આવેલ ગ્રંથો છે. શ્વેતાંબર દ્વારા પણ માનવામાં આવતા આગમ સાહિત્ય પૂર્વને સ્ત્રોત તરીકે ગણીને રચવામાં આવ્યા છે. હાલના સમયમાં નીચે મુજબના ૪૫ આગમ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય દ્વારા માનવામાં આવે છે અને તે ઉપલબ્ધ છે.
E.2.3.1 શ્વેતાંબર મૂર્તિપૂજક આગમનું વર્ગીકરણ
•
૧૧ અંગ (૧૨ મું અંગ ઘણા સમય પહેલા લુપ્ત થઈ ચૂક્યું છે)
. ૧૨ ઉપાંગ આગમ
•
૬ છેદ સૂત્રો
•
૪ મૂળ સૂત્રો
•
ર ચૂલિકા સૂત્રો અને
•
૧૦ પ્રકીર્ણ સુત્રો
E.2.3.2 દિગંબર આગમનું વર્ગીકરણ
મૂળ આગમ સૂત્રોની ગેરહાજરીમાં દિગંબરો નીચે મુજબનું સાહિત્ય જે તેઓના મહાન આચાર્ય દ્વારા ઈ.સ.૧૦૦ થી ૧૦૦૦ સુધીમાં રચવામાં આવ્યું છે તેને આધાર માનીને જૈન ધર્મ અનુસરે છે. તેમાં
-
• ટખંડ આગમ (પ્રથમ મુખ્ય ગ્રંથ)
•
કષાય પાહુડા (દ્વિતીય ગ્રંથ)
•
ચાર અનુયોગ
પ્રથમાનુયોગ
૦ ચરણાનુયોગ
ગણિતનાનું ચીંગ અથવા કરણાનુયોગ અને
૦ દ્રવ્યાનુયોગ
નોંધ - આ ચાર યોગમાં ૨૦થી પણ વધારે ગ્રંથો છે જેવા કે આચાર્ય કુન્દ કુન્દ દ્વારા રચિત સમયસાર અને પ્રવચનસાર, ઉમાસ્વાતિ દ્વારા રચિત તત્વાર્થ સૂત્ર, પદ્મપુરાણ, આદીપુરાણ, મૂળાચાર અને ગોમ્મતસાર,
E.2.4 પૂર્વ
પૂર્વ ૧૪ હતા અને તેઓ વિશાળ હતા. આગળ જણાવ્યા મુજબ આ ૧૪ પૂર્વે બારમા અંગ
Page 118 of 307