SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) E.2.2.2 મથુરા અને વલભીપુરમાં બીજી વાંચના પાટલીપુત્રના સંમેલન પછી પણ આગમો લેખિત સ્વરૂપમાં ન હતા અને ઉપદેશક દ્વારા તેમના શિષ્યોને મૌખિક રીતે જ શીખવાડવામાં આવતા હતા. યાદ રાખવાનું કાર્ય ધીરે ધીરે કપરું થતું ગયું. વધારામાં ઈ.સ. પૂર્વે ૧૫૦ માં મૌર્ય વંશના પતન બાદ પાટલીપુત્ર જૈન ધર્મની ક્રિયાઓનું મુખ્ય કેન્દ્ર રહી શક્યું નહીં કારણ કે મિત્ર વંશના રાજાઓ જૈન ધર્મ પ્રત્યે અનુકૂળ વલણ ધરાવતા ન હતા. આથી જૈન સાધુઓ અને શ્રાવકો ભુવનેશ્વર નજીક દક્ષિણ પૂર્વમાં ઉદયગીરીમાં તેમજ પશ્ચિમમાં મથુરા તરફ મોટે પાયે સ્થળાંતર કર્યું. આ બધા કારણોને લીધે ફરીથી આગમ સૂત્રોની આવૃત્તિઓમાં કેટલાક તફાવતો પડવા લાગ્યા. ભગવાન મહાવીરના નિર્વાણના ૮૩૦ વર્ષ બાદ ૧૨ વર્ષ લાંબા દુષ્કાળ પછી સાધુઓ મથુરામાં આર્ય સ્કંદિલની આગેવાની હેઠળ ભેગા થયા. ત્યાં તેમણે કાલિક સૂત્રના આધાર ઉપર જે તેઓ યાદ રાખી શક્યા અને બોલી શક્યા તે સૂત્રોને ભેગા કરીને વ્યવસ્થિત કર્યા. આ વાંચના મથુરામાં થઈ હોવાથી તેને માથુરી વાંચના કહેવામાં આવે છે. મથુરાની પરિષદની સાથે સાથે આચાર્ય નાગાર્જુન વલ્લી (સૌરાષ્ટ્ર)માં સાધુઓની પરિષદ બોલાવી અને આગમને યાદ કરીને તેમને વ્યવસ્થિત કર્યા. ત્યારબાદ આગમોને લખી રાખવામાં આવ્યા અને લાંબા ભાગના ભાવાર્થને સમજાવતી સમીક્ષા તૈયાર કરવામાં આવી આ વાંચનારાને નાગાર્જુન વાંચના પણ કહે છે. E.2.2.3 વલ્લભીપુરમાં તૃતીય વાંચના ઉપર મુજબની પરિષદ જે કંદિલ અને નાગાર્જુને મથુરા અને વલ્લભીમાં કરી હતી તેના ૧૫૦ વર્ષ બાદ ક્ષમા-શ્રમણ દેવર્ધિગણી દ્વારા સાધુઓની એક પરિષદ વલ્લભી (સૌરાષ્ટ્ર)માં યોજવામાં આવી. જેટલા પણ પ્રકીર્ણ સૂત્રો ઉપલબ્ધ હતા તેમને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને જેટલા અંગ આગમો અને બીજા સૂત્રો આગળની બે પરિષદમાં ભેગા થયા હતા તેને આ પરિષદમાં સંરક્ષિત કરવામાં આવ્યા. વધારામાં આ પરિષદ બધા સૂત્રોમાં એકરૂપતા લાવવા માટે અને શક્ય હોય તેટલા તફાવત કે ભેદો દૂર કરવા માટે પણ કરવામાં આવી હતી. સૌથી મહત્વના તફાવત કે ભેદો એ યુર્ણિ કે ટીકાઓમાં લખવામાં આવ્યા. આ કાર્ય ભગવાન મહાવીરના નિર્વાણના ૯૮૦ વર્ષ બાદ થયું. આ ઘટના બાદ મોટાભાગનું આગમ લખાણ જે આજના દિવસમાં ઉપલબ્ધ છે, તે ત્યારે નક્કી કરવામાં આવ્યા પ્રમાણે જ છે. E.2.3 જૈન આગમોનું વર્ગીકરણ Page 117 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy