SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પાટલીપુત્ર વાંચના ૨ મથુરા અને વલ્લભી વાંચના 3 વલ્લભી વાંચના Compodium of Jainism - Part (II) ઇ.સ.પૂર્વે ૩૬૭ ઇ.સ.૩૦૩ ઇ.સ.૪૫૩ કોષ્ટક E.2.A E.2.2.1 પાટલીપુત્રમાં પ્રથમ વાંચના ભગવાન મહાવીરના નિર્વાણના ૧૬૦ વર્ષ બાદ આચાર્ય ભદ્રબાહુ જૈન સંઘના અગ્રણી હતા અને મગધ રાજ્યમાં નંદા વંશનું સામ્રાજ્ય હતું. મગધનું પાટનગર પાટલીપુત્ર તે શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર હતું. તે સમયે (ઈ.સ. પૂર્વે ૩૫૦) બાર વર્ષ દુષ્કાળ પડ્યો. આ સમય દરમિયાન અછત અને તંગીના કારણે જૈન સાધુઓ માટે ધર્મના આચારોને પાળવા મુશ્કેલ થઈ ગયા. આથી આચાર્ય ભદ્રબાહુએ તેમના ઘણા બધા અનુયાયીઓ સાથે દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું. આવા સંજોગોમાં તેઓ જૈન ધાર્મિક શાસ્ત્રો અને સાહિત્યને સંપૂર્ણ રીતે સાચવી શક્યા નહીં. દુષ્કાળ બાદ પાટલીપુત્રમાં આચાર્ય સ્થૂલિભદ્રની આગેવાની હેઠળ એક સંમેલન યોજવામાં આવ્યું. જેમાં દરેક જૈન સાધુઓને તેમને જે શાસ્ત્રો યાદ હતા તે પૂછીને સંકલિત કરવામાં આવ્યા. આવી રીતે ૧૨માંથી ૧૧ અંગનું સંકલન કરવામાં આવ્યું. પરંતુ દ્રષ્ટિવાદ જે ૧૨મું અંગ હતું તે કોઈને પણ યાદ ન હતું. આ સમયે આચાર્ય ભદ્રબાહુને એકલાને જ દ્રષ્ટિવાદનું જ્ઞાન હતું. પરંતુ તેઓ એક વિશેષ પ્રકારના યોગ માર્ગને અનુસરવા માટે નેપાળ ગયા હતા. આથી જૈન સંઘે આચાર્ય સ્થૂલિભદ્ર અને બીજા સંતોને વિનંતી કરી કે તેઓ આચાર્ય ભદ્રબાહુ પાસે જાય અને તેમની પાસેથી દ્રષ્ટિવાદને શીખે. દ્રષ્ટિવાદ બારમુ અંગ આગમ હતું જેમાં ચૌદ પૂર્વ-સૂત્ર હતા. આ સાધુઓમાંથી માત્ર સ્થૂલિભદ્ર જ આ જ્ઞાન મેળવવામાં સફળ રહ્યા. જોકે ૧૦ પૂર્વનું જ્ઞાન મેળવ્યા બાદ તેમણે આ જ્ઞાન દ્વારા મળેલી પોતાની જાદુઈ શક્તિનો દુરુપયોગ કર્યો. જ્યારે આચાર્ય ભદ્રબાહુને આ વાતની ખબર પડી ત્યારે તેમણે સ્થૂલિભદ્રને શીખવવાનું બંધ કરી દીધું. જયારે સ્ફૂર્તિ અને સંધે ખુબ જ વિનંતી કરી ત્યારે આચાર્ય ભદ્રબાહુ તેમને બાકી રહેલા પૂર્વના માત્ર સૂત્રો શીખવવા માટે તૈયાર થયા. પરંતુ તેમણે સ્થૂલિભદ્રને આ ચાર પૂર્વ બીજા કોઈને પણ શીખવવાની મનાઈ ફરમાવી. જેના પરિણામ સ્વરૂપ આ ચૌદ પૂર્વ માત્ર સ્થૂલિભદ્ર સુધી જ સીમિત રહ્યા. તેમના કાળધર્મ બાદ સંઘ પાસે અગિયાર આગમ અંગના માત્ર દસ પૂર્વનું જ્ઞાન રહ્યું. સ્થૂલિભદ્ર ભગવાન મહાવીરના નિર્વાણના ૨૧૫ વર્ષ બાદ કાળધર્મ પામ્યા. ટૂંકમાં બાર આગમો જે ગણધરો એ રચ્યા હતા તેમાંથી ચાર પૂર્વને બાદ કરીને બાકીના અગિયાર આગમો આગમની પ્રથમ વાંચનામાં સંકલિત થઇ શક્યા. જોકે આ સંકલન જે સાધુઓએ દક્ષિણમાં સ્થળાંતર કર્યું હતું તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું નહીં. તેમણે એવી દલીલ કરી કે આ આવૃત્તિ અમાન્ય છે અને મૂળ આગમ સૂત્રો લુપ્ત થઇ ચુક્યા છે. ભગવાન મહાવીરના અનુયાયીઓમાં આ પ્રથમ મતભેદ હતો. Page 116 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy