________________
Compodium of Jainism – Part (II)
ભદ્રબાહુના સમય સુધી લગભગ ૧૬૦ વર્ષ સુધી ચાલી. આચાર્ય ભદ્રબાહુ પછીના આચાર્યોની માનસિક ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી ગઈ અને તેઓ આગમ સૂત્રોને સંપૂર્ણ રીતે યાદ રાખી શક્યા નહીં.
જોકે શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ઈ.સ.૩૦૦ની આસપાસ એટલે કે મહાવીર ભગવાનના નિર્વાણના ૮૦૦ વર્ષ પછી આગમ સૂત્રોને યાદ કરીને તેને લખી દેવામાં આવ્યા. તે સમયે કોઈને ૧૨માં અંગ આગમના ચૌદ પૂર્વ યાદ ન હતા. બાકીના ૧૧ અંગ આગમો આંશિક રીતે યાદ હતા.
દિગંબર પરંપરા મુજબ શ્વેતાંબર પરંપરામાં લખાયેલ આગમ સૂત્રોમાં ઘણી બધી ભૂલો છે. આથી તેમણે તે આ આગામોને ભગવાન મહાવીરના મૂળભૂત ઉપદેશ તરીકે નથી સ્વીકાર્યા. અને તેઓ માને છે કે મૂળભૂત આગમ સૂત્રો સમય સાથે લુપ્ત થયા છે.
ભગવાન મહાવીરના નિર્વાણના કેટલાક સમય સુધી જૈન શ્રમણોએ આગમો કોઈ પુસ્તકમાં લખ્યા ન હતા. પરંતુ તેમણે તે યાદ રાખીને સાચવ્યા હતા. તેઓ માનતા હતા કે પુસ્તકમાં લખવાથી અપરિગ્રહ અને રાગ-દ્વેષથી પર રહેવાના નિયમનો ભંગ થશે. ત્યારબાદ એવો સમય આવ્યો જ્યારે તેમણે તેમનું વલણ પુસ્તકોના પરિગ્રહ વિશે સંપૂર્ણ રીતે બદલી નાખ્યું કેમકે જૈન આગમોનો નાશ થવાનો ભય હતો. ગમે તે ભોગે કે તે સમયે વિદ્યમાન જે પણ આગમો હતા તેમનું રક્ષણ કરીને તેમને સાચવી રાખવામાં આવ્યા.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતા પ્રમાણે ત્રણ પ્રકારના આગમો છે. જેમાં ૪૫ આગમો દિવાલ પર અથવા તો તામ્રપત્રો પર લખવામાં આવ્યા છે. તે પાલીતાણા, સુરત અને શંખેશ્વરમાં છે. એવી કેટલીક જગ્યાઓ (જ્ઞાન મંદિરો) અમદાવાદ, પાટણ, સુરત, ખંભાત, જેસલમેર, પિંડવાડા, મહેસાણા, રતલામ, આહોર, ગુદા અને સુરેન્દ્રનગરમાં આવેલા છે. જ્યાં બધા આગમો ઉપલબ્ધ છે.
E.2.2 વાંચના (શ્વેતામ્બર પરંપરા મુજબ આગમના મહત્વના પુનરાવર્તન)
જૈન શાસ્ત્રો અને બીજા જૈન સાહિત્યને સાચવવા માટે જૈનાચાર્યો ભૂતકાળમાં ત્રણ મહત્વની પરિષદો એટલે કે જૈન સાહિત્ય માટેની ત્રણ વાંચનાઓ યોજી હતી. જ્યારે આચાર્યોને એવું લાગ્યું કે મૌખિક પરંપરાથી શ્રુત જ્ઞાન ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યું છે અથવા તો તેમાં કોઈ અવ્યવસ્થા છે ત્યારે ત્રણ વખત તેઓએ આ વાંચના યોજીને બધું વ્યવસ્થિત કર્યું છે. પ્રથમ વાંચના દરમિયાન કોઈ પણ સાહિત્ય લખવામાં આવ્યું ન હતું, પરંતુ દ્વિતીય અને તૃતીય પરિષદ દરમ્યાન મોટાભાગના શાસ્ત્રો, ભાષ્યો અને બીજી કૃતિઓને લખવામાં આવી હતી.
વાંચનાની જગ્યા
Page 115 of 307
સમય