________________
Compodium of Jainism – Part (II)
E.2.1 જૈન ધર્મ ગ્રંથો અથવા આગમ સાહિત્ય
જૈન શાસ્ત્રો જૈન આગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈનોમાં માત્ર એક જ ધર્મગ્રંથ નથી પરંતુ તેમના ઘણા બધા પુસ્તકો કે લખાણોને તેઓ તેમના ધર્મશાસ્ત્ર કે ધર્મગ્રંથ તરીકે માને છે. જુદા જુદા સંપ્રદાયના લોકો જુદા જુદા શાસ્ત્રોને પ્રમાણભૂત માન્યા છે.
આગમ સુત્રો આચાર વિશેના શાશ્વત સત્ય, વૈશ્વિક લાગણી, મૈત્રી, તર્ક વિશે શાશ્વત સત્ય જેમકે સાપેક્ષવાદ અને અનેકાંતવાદ વગેરે શીખવે છે. તે બીજી પણ ઘણી બધી આધ્યાત્મિક વસ્તુઓ જેવી છે દરેક જીવો પ્રત્યે આદર, આત્મા, કર્મ, બ્રહ્માંડ, સાધુઓના કડક આચારો, શ્રાવકોના નિયમો, કરુણા, અહિંસા અને અપરિગ્રહ વગેરે શીખવે છે.
૪૨ વર્ષની વયે કેવળ જ્ઞાન મેળવ્યા બાદ ભગવાન મહાવીરે બીજા ૩૦ વર્ષ સુધી સ્થાનિક લોકોની ભાષા અર્ધમાગધી પ્રાકૃતમાં સામાન્ય જનતાને દેશના આપી. તેમના અનુયાયીઓ ગણધર તરીકે ઓળખાય છે, તેમણે મૌખિક રીતે આ દેશનાના સારને વ્યવસ્થિત કર્યો જે સૂત્ર તરીકે ઓળખાય છે. સુત્રોને ૧૨ મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે ૧૨ અંગ આગમ સૂત્ર કે ૧૨ અંગ- પ્રવિષ્ટ કે દ્વાદશાંગી (મુખ્ય શાસ્ત્ર) તરીકે ઓળખાય છે.
૧૨માં અંગ આગમ સૂત્રનું નામ દ્રષ્ટિવાદ છે. એવું માનવામાં આવે છે કે આ અંગ આગમ સૌથી પ્રથમ રચવામાં આવ્યું હતું. પરંતુ તે યાદ રાખવામાં સૌથી વધુ કઠિન હતું આથી સાધુઓ તેને સૌથી છેલ્લે ભણતા હતા. આ આગમમાં ૧૪ પૂર્વનો સમાવેશ થાય છે. બધા જ તીર્થંકરોના જીવન, તે સમયે હાજર બધા જ ગોત્ર કે જાતિનું વર્ણન, વિશેષ શક્તિઓ જેવી કે પાણીમાં ચાલવું કે હવામાં ઉડવું તે કેવી રીતે મેળવી શકાય તે બધું દર્શાવવામાં આવ્યું છે. બધા જ જૈન સંપ્રદાયમાં માને છે કે આ આગમ ઈ.સ. પૂર્વે બીજી સદીથી બીજી સદીના સમયગાળામાં લુપ્ત થયું છે (કોઈને યાદ નથી).
આ ૧૨ અંગ-પ્રવિષ્ટ સુત્રો જે ગણધરોએ રચ્યા હતા. તેના ઉપરાંત બીજા કેટલાક સાહિત્ય (અંગ- બાહ્ય આગમ) આ ૧૨ અંગને મૂળભૂત માનીને શ્રુતકેવળી આચાર્યો (સ્થવિર કે મોટા સાધુઓ) દ્વારા સાદા સ્વરૂપમાં લોકોને સમજવા માટે રચવામાં આવ્યા છે. અને તેનો પણ જૈન આગમમાં સમાવેશ કરવામાં આવે છે.
જૈન આગમોમાં ૧૨ અંગ-પ્રવિષ્ટ સૂત્રો (જેમાં ચૌદ પૂર્વ છે) અને અંગ-બાહ્ય આગમ (શ્વેતાંબર મૂર્તિપૂજક પ્રમાણે ૩૪, શ્વેતાંબર સ્થાનકવાસી અને તેરાપંથીમાં ૨૧ અને દિગંબરમાં ૧૪ એવા) જુદી-જુદી પરંપરામાં છે.
ઐતિહાસિક રીતે ગણધરો આગમ સૂત્રોને મૌખિક રીતે યાદ રાખતા હતા અને તેમના શિષ્યોને આ જ્ઞાન આપતા હતા. જેઓ તે યાદ રાખીને બીજી પેઢીમાં પસાર કરતા હતા. આ પ્રથા આચાર્ય
Page 114 of 307