________________
Compodium of Jainism - Part (II)
જૈનોએ ભારતીય સંસ્કૃતિના ઘણા બધા વિસ્તારો જેવા કે ભાષા અને સાહિત્ય, કળા અને સ્થાપત્ય(મંદિરો, મંદિરોની નગરી, ગુફા મંદિરો, સ્તૂપો શિલ્પો અને ચિત્રો), તત્વજ્ઞાન(અનેકાંતવાદ) નૈતિક મૂલ્યો, ધંધા, રાજનૈતિક વિકાસ, સ્ત્રીઓની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સમાનતા, આત્મનિર્ભરતા વગેરેમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. તેમનું સૌથી મહત્વનું પ્રદાન એ છે કે નાનામાં નાના પાયે પણ અહિંસા, શાબ્દિક તેમજ માનસિક રીતે અહિંસા આચરવી. જૈનો હંમેશા તેમની પ્રમાણિકતા માટે જાણીતા રહ્યા છે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અત્યારે ૨૧ મી સદીમાં જૈન ધર્મ સ્વસ્થ સ્થિતિમાં છે. જૈન ધર્મ ભારતની સીમાઓની બહાર વિકાસ પામ્યો છે અને તેના સિદ્ધાંતોમાં વિશ્વને બદલીને તેમાં કાયમી શાંતિ સ્થાપવાની ક્ષમતા રહેલી છે.
Page 113 of 307
E.2 જૈન ધર્મ ગ્રંથો અને સાહિત્ય