________________
Compodium of Jainism - Part (II)
પહોંચવું જોઈએ. બીજા ધર્મોની જેમ આ ધર્મમાં રૂપાંતરિત થઇને સંખ્યા વધારવાના બદલે જૈનો તેમના ધર્મ વિશેનો જ્ઞાન અને તેના સિદ્ધાંતોને અનુસરવાનું પ્રોત્સાહન આપવામાં માને છે. વધુમાં જૈન ઇતિહાસમાં પ્રથમ વખત જૈન ધર્મ એ આફ્રિકા, યુરોપ અને નોર્થ અમેરિકામાં ફેલાયો છે જ્યાં ઘણા બધા જૈન સમુદાયો વસ્યા છે અને વિકસ્યા છે.
શૈક્ષણિક સંસ્થાઓ ઉભી થઈ છે અને ધાર્મિક લખાણોના પ્રકાશનને સહાય કરવામાં આવે છે. કેટલીક ખાસ જૈન સંસ્થાઓ જેવી કે બીમાર પશુઓ માટેના આશ્રયસ્થાન વગેરે ચલાવવામાં આવે છે.
હવે આપણે છેલ્લી એક સદી દરમ્યાન જૈન ધર્મ અને સિદ્ધાંતો માટે વિચાર કરનાર અને તેનો ફેલાવો કરનાર કેટલાક ખાસ વ્યક્તિઓના ઉદાહરણ જોઈએ.
ઈ.સ.૧૮૯૩માં અમેરિકામાં વિશ્વ ધર્મ પરિષદ યોજવામાં આવી હતી અને તેના સંસ્થાપકને એક જૈન પ્રતિનિધિની જરૂર હતી. આ આમંત્રણ આચાર્ય આત્મરામજી પાસે આવ્યું. એક સાધુ તરીકે તેમના માટે સફર કરવી અશક્ય હતી. આથી આ કાર્ય તે સમયના ભારતના જૈન અસોસિએશનના માનનીય સેક્રેટરી શ્રી વીરચંદ ગાંધીના આવ્યું અને તેમના વિદ્વતાપૂર્ણ વક્તૃત્વ માટે તેમને પરિષદમાં સિલ્વર મેડલ આપવામાં આવ્યો. તેમણે ઇંગ્લેન્ડમાં પણ ઘણા પ્રવચનો આપ્યા. તેમણે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં થઈને કુલ ૫૩૫ પ્રવચનો આપ્યા. તેમના એક વિદ્યાર્થી હર્બર્ટ વોરન જેઓ જૈન સાહિત્ય અકાદમીના સેક્રેટરી બન્યા, જે વીરચંદ ગાંધીની મદદથી શરૂ કરવામાં આવી હતી. હર્બર્ટ વોરને જૈન ધર્મ સમજાવતી ઘણી પુસ્તકો સાદી ભાષામાં લખી. વીરચંદ ગાંધી ૩૭ વર્ષની ખુબ જ નાની વયે મૃત્યુ પામ્યા.
ઈ.સ.૧૮૮૪ માં હર્મન જેકોબી જૈન ધર્મના સૂત્રોને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને બે પુસ્તકો લખી. તે જૈન ધર્મના આંતરરાષ્ટ્રીય જાગૃતતા માટે એક સીમાચિહ્ન રૂપ હતું. ૧૯૧૫માં અંગ્રેજ લેખક સિન્કલેર સ્ટીવન્સને 'ધ હાર્ટ ઓફ જૈનીઝમ' નામની એક પુસ્તક પ્રકાશિત કરી. તે જૈન ધર્મનું સહાનુભૂતિપૂર્ણ પુસ્તક હતું. પરંતુ તેમાં મજબૂત ખ્રિસ્તી મિશનરી દ્રષ્ટિકોણ હતા. ઈ.સ.૧૯૨૫માં હેલ્મેટ વોન ગ્લાસનેપે "જૈનીઝમ - એન ઇન્ડિયન રિલિજિયન ઓફ સાલ્વેશન" (જૈન ધર્મ - ભારતમાં મોક્ષ નો એક ધર્મ) નામે જર્મનમાં એક પુસ્તક લખ્યું. જે હવે અંગ્રેજીમાં અનુવાદ થઈને ઉપલબ્ધ છે. વધુ પ્રખ્યાત સ્તરે જૈન ધર્મનું જ્ઞાન અને જૈનો પશ્ચિમ સભ્યતામાં ધીરે-ધીરે પ્રવેશી રહ્યા છે. જૈન સમુદાયની અંદર જૈન ધર્મના સિદ્ધાંતોને વિશ્વ વ્યાપક બનવાની ઈચ્છા જીવે છે.
E.1.8 ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનું પ્રદાન
Page 112 of 307