SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. મુસ્લિમ શાસનના સમય દરમિયાન જૈન ધર્મને રાજવી કે કોઈ મોટી સહાય મળી નહિ જેવી કે પહેલા મળી હતી. પરંતુ જૈન ધર્મ પોતે બચી રહેવા માટે બીજી કોઈ અડચણો વગર સફળ રહ્યો. આ સમય દરમિયાન મોટાભાગના જૈન મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો અથવા તો તેને મસ્જિદમાં ફેરવી કાઢવામાં આવ્યા. જૈનોને હસ્તલિખિત પ્રતો અને મંદિરોને પણ છુપાવી દેવા પડ્યા હતા. આવું જ એક જૈન મંદિર ગુજરાતમાં ઈ.સ. ૨૦૦૨માં કચરાના ઢગલાની નીચેથી મળી આવ્યું હતું. આ મંદિર ઈ.સ.૮૦૦ માં બંધાયા હોવાનું મનાય છે. જૈનો કેટલાક ઉદાર વલણવાળા મુગલ સમ્રાટો જેવા કે અકબર અને જહાંગીર પાસેથી તેમના પવિત્ર સ્થળો અને તેમના આચારો માટે કેટલીક છૂટછાટો મેળવવામાં સફળ રહ્યા. એવું નોંધવામાં આવ્યું છે કે સમ્રાટ અકબર જૈન ધર્મ પ્રત્યે ખુબ જ અનુકૂળ વલણ ધરાવતા હતા. ઈ.સ.૧૫૮૩માં તેમણે પર્યુષણ દરમિયાન પશુઓના કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના વિશાળ સામ્રાજ્યમાં તેને ગુનો દર્શાવ્યો હતો. જોકે આ મહાન મુગલની સહનશીલ નીતિનો શરૂઆતમાં તેના અનુગામાં જહાંગીર દ્વારા વિરોધ કરીને ઉઠાવી લેવામાં આવી હતી. જૈનોનું એક પ્રતિનિધિ મંડળ ૧૬૧૦માં તેને મળવા ગયો અને તેમણે ફરીથી જહાંગીરના શાસન પ્રત્યે અનુકૂળ વલણ મેળવ્યું અને પશુઓની કતલ ફરીથી પર્યુષણના દિવસો દરમ્યાન પ્રતિબંધિત કરવામાં આવી. મુગલ સામ્રાજ્ય દરમિયાન જો કે જૈન વસ્તી તેના પાડોશી રાજ્યો જેવાકે રાજપુતાના વગેરેમાં વધી હતી. ત્યાં જૈનોએ ઘણા મહત્ત્વના પદો સામાન્ય સેવકો અને મંત્રીના સ્વરૂપે સ્વીકાર્યા હતા. E.1.7.5 આધુનિક યુગમાં જૈન ધર્મ ભારત સરકારના ૨૦૧૧ ના સેન્સસ બ્યુરોના અહેવાલ પ્રમાણે • ભારતની ૨૦૧૧માં કુલ વસ્તી: ૧,૨૧૦,૮૫૪,૯૭૭ • જૈનોની વસ્તી: ૪,૪૫૧,૭૫૩ (૦.૪%) એ જૈનોની કુલ વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ જૈનો (૧૪૦૦૩૪૯) મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર બાદ જૈનોની વસ્તી રાજસ્થાનમાં (૬૨૨૦૨૩), ગુજરાતમાં (૫૭૯,૬૫૪), મધ્યપ્રદેશમાં (૫૬૭,૦૨૮), કર્ણાટક (૪૪૦,૨૮૦), ઉત્તરપ્રદે૧૩,૨૬૭૩ અને દિલ્હીમાં ૧૬૬,૨૩૧) છે. એ નોંધવું મહત્વનું છે કે મહારાષ્ટ્રના મોટાભાગના જૈનો મુંબઈમાં રહે છે અને તેમાંથી મોટાભાગના ગુજરાતી મૂળના છે. ૧૯મી અને ૨૦મી સદીમાં જૈન છાત્રવૃત્તિ, ભણતર અને લખાણ ખૂબ જ પ્રખ્યાત થયા. અને ભણેલા-ગણેલા લોકોને તેના વિશે જ્ઞાન આપવા માટે ઘણી વિદેશી ભાષાઓમાં પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. જૈનો એ બાબત પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે કે વધુ લોકો સુધી આ જ્ઞાન Page 111 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy