________________
Compodium of Jainism - Part (II)
પોતાની વ્યવસ્થા આજ દિવસ સુધી જાળવી રાખી છે.
જૈન ધર્મ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ખૂબ જ ફૂલ્યો ફાલ્યો. તેમાંના ઘણા જૈન અનુયાયીઓ હતા. અને આ પ્રક્રિયામાં વધુ વેગ ચાવડા પરિવારના આદરણીય રાજા વનરાજના લીધે તેને વધુ મળ્યો. ઈ.સ.૧૧૦૦ ની આસપાસ જૈન ધર્મ ગુજરાતમાં ઉચ્ચતાના શિખરે પહોંચ્યો જ્યારે ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ અને તેના અનુગામી કુમારપાળે ખુલ્લા હાથે જૈન ધર્મનો આવકાર કર્યો. અને જૈનોના મંદિરને લગતી પ્રવૃત્તિઓ અને સાહિત્યિક પ્રવૃત્તિઓતેને પ્રોત્સાહન આપ્યું. ૧૩ મી સદીની આસપાસ જૈન મંત્રીઓ વસ્તુપાળ તેજપાળ હતા જે જૈન ધર્મના મુખ્ય આશ્રયદાતા બન્યા. તેમણે શત્રુંજય, ગીરનાર અને આબુમાં ખૂબ જ સુંદર મંદિરોની નગરીનું નિર્માણ કર્યું.
ત્યારબાદ જૈનોને કોઈ પહેલા જેવા રાજવી આશ્રયદાતા તો ન મળ્યા પરંતુ તેમની સંખ્યા અને આર્થિક સદ્ધરતાના પ્રભાવે જૈનોએ તેમના ધર્મને સતત સન્માનનું સ્થાન આપ્યું છે. જે આજના સમય સુધી કાયમ છે. ગુજરાતની જેમ જૈન ધર્મ પ્રાચીન સમયથી મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ વિકસ્યો છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં જૈન મંદિરો અને ગુફાઓ ઇલોરામાં જોવા મળે છે. નૅર (ઓસમાનાબાદ જિવી, ખંજનેરી નાસિક જિલ્લો, અને બીજા ઘણા બધા અંતાળ વિસ્તારોમાં પણ આવા સ્થાનો જોવા મળે છે. પ્રખ્યાત અને પ્રભાવશાળી સંતો જેવા કે આચાર્ય સમંતભદ્ર, વીરસેન, જિનસેન અને સોમદેવ વગેરે મહારાષ્ટ્ર સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા હતા અને તેઓએ કેટલાક પવિત્ર પુસ્તકો અને ઉત્તમ સાહિત્યિક કલાકૃતિઓનું નિર્માણ આ વિસ્તારમાં રહીને કર્યું છે. ત્રીજી સદીની આસપાસ કેટલીક શક્તિશાળી રાજ્ય જેવા કે પૈઠણના સાતવાહન, કલ્યાણના ચાલુક્ય અને માલખંડના રાષ્ટ્રકૂટ, દેવગીરીના યાદવો, કોલ્હાપુરના સિદ્ધર અને કોંકણ વગેરે એ જૈનોને ખૂબ જ મોટા પ્રમાણમાં રાજવી આશ્રય આપ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ આપણે જૈન અને જૈન ધર્મને ખુબ જ સન્માન જનક સ્થિતિમાં મહારાષ્ટ્રના પ્રાચીન સમયમાં અને મધ્યકાલીન યુગ સુધી પણ જોઈએ છે.
E.1.7.4 ઉત્તર ભારતમાં જૈન ધર્મ
ઈ.સ. પૂર્વે ૩૦૦માં જૈનોનું સ્થળાંતર પૂર્વ ભારતમાંથી દેશના જુદા જુદા ભાગોમાં શરૂ થયુ. તેની એક શાખા ઉત્તર ભારતમાં બીજી સદીની મધ્યમાં આવીને સ્થાપિત થઈ અને મથુરાના ક્ષેત્રમાં સ્થાયી થઈ. મથુરામાં આગમોની બીજી વાંચના અને આગમોના લખાણનું કાર્ય ઈ.સ. ૨૬૫માં સ્કંદિલાચાર્યના માર્ગદર્શન હેઠળ થયું. એ સ્પષ્ટ છે કે મથુરા લગભગ ૧૦૦૦ વર્ષ સુધી ઈ.સ. ૫૦૦ સુધી જૈનોનું મુખ્ય મથક હતું.
જૈનોની ક્રિયાઓનું બીજું મુખ્યમથક ઉત્તરમાં ઉજ્જૈન હતું. જે મૌર્ય સમ્રાટ સંપ્રતિનું પાટનગર હતું. જૈન સાહિત્યમાં ઉજ્જૈનની નગરીના ઘણા સંદર્ભ મળે છે અને આ નગરે જૈન ધર્મના ઇતિહાસમાં
Page 110 of 307