SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) જેમણે કર્ણાટકમાં ધીરે ધીરે જૈન ધર્મનો ફેલાવો કર્યો. છેવટે જૈન ધર્મ કદંબ શાસનમાં પ્રખ્યાત ધર્મ બન્યો. કર્ણાટકના તલકડના ગંગા શાસકો (૩૫૦ થી ૯૯૯ સુધી), જૈન ધર્મના મુખ્ય આશ્રયદાતા હતા અને કુદરતી રીતે અને વ્યવહારિક રીતે ગંગા શાસનના બધા જ રાજાઓએ જૈન ધર્મના હેતુને સર કર્યો હતો. કર્ણાટકના બદામીનાં ચાલુક્ય વંશના શાસકો (૫૦૦ થી ૭૫૭ સુધી) અને કર્ણાટકના માલખેડના રાષ્ટ્રકૂટ વંશના શાસકો (૭૫૭ થી ૯૭૩ સુધી) એ જૈન ધર્મમાં માનનારા હતા. ૧૦મી થી ૧૨મી સદી દરમિયાન કર્ણાટકના કલ્યાણના પશ્ચિમ ચાલુક્ય વંશના શાસકોએ પણ કદંબના શાસકો. ગંગાના શાસકો અને રાષ્ટ્રકૂટના શાસકો જેવું જ ઉદાર વલણ જૈન ધર્મ પ્રત્યે દાખવ્યું. કર્ણાટકના હાલેબીડુ રાજ્યના હોયસલના શાસકોએ. તેમના ૧૦૦૬ થી ૧૩૪૫ સુધીના શાસન દરમ્યાન જૈન ધર્મને ખૂબ જ મજબૂત રીતે સહાય કરી. આ મહત્વના શાસકો સિવાય કલ્યાણના કલચુરીના શાસકો (૧૧૫૬ થી ૧૧૮૩) જૈન હતા અને કુદરતી રીતે તેમના સમયમાં જૈન ધર્મ રાજ્ય ધર્મ હતો. આ સિવાય કેટલાક નાના રાજાઓ પણ હતા જેમણે જૈન ધર્મ અપનાવ્યો અને તેનો ફેલાવો કર્યો. આંધ્ર અને તમિલનાડુમાં પણ જૈન ધર્મ પ્રચલિત હોવાના પુરાવા મળે છે. આખું દક્ષિણ ભારત ડેક્કન, કર્ણાટક, તમિલનાડુ વગેરે જૈન ધર્મનાં ખાસ કરીને દિગંબર જૈનના ૧૦૦૦ વર્ષ સુધી મુખ્ય મથક રહ્યા. પ્રાંતીય રાજધાનીઓ સિવાય કર્ણાટકનું શ્રવણબેલગોડા પણ વિવિધ પ્રવૃત્તિઓ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. અને હાલના સમયમાં પણ તે એક મુખ્ય કેન્દ્ર છે. બારમી સદીમાં દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ધીરે ધીરે શ્રીવૈષ્ણવવાદ અને વીરસૈવવાદના ફેલાવાને લીધે ઓછો થવા લાગ્યો. દક્ષિણ ભારતમાં હિન્દુઓ સાથેના સંઘર્ષના કારણે જૈન સાધુઓનો વિરોધ કરવામાં આવ્યો, કેટલાક સાધુઓ પર ક્રૂરતા આચરવામાં આવી અને તેમને મારી પણ નાખવામાં આવ્યા. E.1.7.3 પશ્ચિમ ભારતમાં જૈન ધર્મ જૈન ધર્મનો ગુજરાતના શાસકો સાથેનો નાતો ઘણો જ નજદીકી રહ્યો છે. આ રાજ્યમાં આપણે જૈનોનું મજબુત અસ્તિત્વ હાલના સમયમાં પણ જોઈ શકીએ છે. બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન આ રાજ્યના જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત ઉપર મોક્ષ મેળવ્યો હતો. ભગવાન મહાવીરના નિર્વાણના ૯૮૦ વર્ષ બાદ વલભીમાં જૈન સાધુઓની પરિષદમાં સૌથી પ્રથમ વખત જૈન શાસ્ત્રોને લખવામાં આવ્યા હતા. જેમ દક્ષિણ ભારતમાં દિગંબર જૈનના મુખ્ય મથકો છે તેમ પશ્ચિમ ભારત શ્વેતામ્બર જૈન સમાજની ક્રિયાઓનું મુખ્ય કેન્દ્ર છે. જૈનોના આ ભાગમાં સ્થળાંતર વિશે એવું માનવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ સ્થળાંતર પૂર્વ ભારતથી થયું હોવું જોઈએ. આ સમય દરમિયાન જૈનો મગધના રાજ્યમાં પોતાનું પ્રભુત્વ ધીરે ધીરે ખોઈ રહ્યા હતા. આથી તેમણે પશ્ચિમ ભારત તરફ સ્થળાંતર શરૂ કર્યું જ્યાં તેમણે Page 109 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy