________________
Compodium of Jainism - Part (II)
અજાતશત્રુ બંને ભગવાન મહાવીરના સબંધી હતા.
અજાતશત્રુ બાદ નંદા રાજવંશ (ઈ.સ.પૂર્વે ૪૧૩-૩૨૨) થઈ ગયો. નંદા ૧ રાજાએ કલિંગ પર ચડાઈ કરી અને પ્રથમ જૈન તીર્થંકર ભગવાન ઋષભ દેવની મૂર્તિને તે ત્યાંથી લઈ આવ્યો. નંદા રાજવંશ બાદ મૌર્ય રાજવંશ આવ્યો. તેનો સ્થાપક રાજા ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ.પૂર્વે ૩૨૨-૨૯૮) હતો. તેણે પોતાની રાજગાદીનો ત્યાગ કર્યો અને આચાર્ય ભદ્રબાહુ સાથે દક્ષિણમાં સ્થળાંતર કર્યું. રાજા અશોક (ઈ.સ.પૂર્વે ૨૭૩-૨૩૬), જે ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર હતો તેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતા પહેલા જૈન ધર્મ અપનાવ્યો હતો. જૈન ધર્મનો કાશ્મીરમાં ફેલાવો કરવા માટે અશોક રાજા જવાબદાર હતો. રાજા સંપ્રતિ અશોકનો પુત્ર અને તેનો અનુગામી હતો. તે જૈન ધર્મનો ખૂબ જ મજબૂત અને પ્રખ્યાત આશ્રયદાતા હતો. અને તેણે પૂર્વ ભારતમાં જૈન ધર્મનો ખૂબ જ ફેલાવો કર્યો. મગધની જેમ કલિંગનું રાજ્ય કે ઓરિસ્સા પણ ખૂબ જ શરૂઆતથી જૈન ધર્મનું મુખ્ય મથક રહ્યું છે. જૈન ધર્મ દક્ષિણ ભારતમાં કલિંગના રસ્તે પ્રસર્યો. ઈ.સ.પૂર્વે બીજી સદીમાં કલિંગ ખારવેલથી શાસિત ખૂબ જ મજબૂત સામ્રાજ્ય હતું. ખારવેલ એ જૈન ધર્મનો એક મોટામાં મોટો રાજવી આશ્રયદાતા હતો.
જૈન ધર્મનો પ્રભાવ બંગાળમાં પણ હતો. આજે પણ જૈન અવશેષો, શિલાલેખો અને મૂર્તિઓ બંગાળના વિવિધ ભાગમાંથી મળી આવે છે. બંગાળમાં આજે પણ વર્ધમાન નામે એક જિલ્લો છે. બંગાળના વિવિધ રીતરિવાજો અને ધર્મમાં પણ જૈન ધર્મની મહત્વની અસર જોવામાં આવે છે.
E.1.7.2 દક્ષિણ ભારતમાં જૈન ધર્મ
જૈન ધર્મ કર્ણાટક અને દક્ષિણ ભારતમાં રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પ્રવેશ્યો. જયારે તેમણે આચાર્ય ભદ્રબાહુ જે જૈન ધર્મના એક પ્રતિષ્ઠિત આગેવાન હતા અને તેમના સમયના છેલ્લા શ્રુત કેવળી તરીકે ઓળખાતા સાધુ હતા. તેમની સાથે સ્થળાંતર કર્યું. આચાર્ય ભદ્રબાહુ જૈન સંઘ સાથે દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું કારણ કે તેમણે ઉત્તર ભારતમાં બાર વર્ષના દુષ્કાળની આગાહી કરી હતી. આથી બધા જૈન લેખકો દ્વારા એમ માનવામાં આવે છે કે દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં શરૂ થયો. આચાર્ય ભદ્રબાહુનું નિર્વાણ શ્રવણબેલગોડામાં ઈ.સ.પૂર્વે ૨૯૭માં થયુ. આચાર્ય ભદ્રબાહુ દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો કાયાકલ્પ કરવા માટે જવાબદાર હતા. અમુક ઇતિહાસકારો માને છે કે જૈન ધર્મ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ દક્ષિણ ભારતમાં ગયા તેની પહેલા ત્યાં અસ્તિત્વમાં હતો. જે કંઈ પણ હોય, દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં પ્રચલિત થયો, અને ૧૦૦૦ વર્ષ સુધી ત્યાં આગળ પ્રચલિત રહ્યો. ત્યાં આજે પણ જૈન ધર્મના નોંધપાત્ર અનુયાયીખી રહે છે. એ નોંધવું મહત્વનું છે કે ૧૪મી સદી સુધી દક્ષિણ ભારતના ઈતિહાસમાં જૈન ધર્મે એક મહત્વની ભૂમિકા ભજવી છે.
બનવાસીના કદંબ શાસનના કેટલાક રાજાઓ ત્રીજીથી છઠ્ઠી સદી સુધી જૈન ધર્મના અનુયાયી હતા.
Page 108 of 307