________________
Compodium of Jainism – Part (II)
E.1.6 કઠિન સમયમાં જૈન ધર્મનો બચાવ
૧૨મી સદી પછી વેદિક અને મુસ્લિમ ધર્મએ વેદિક સિવાયના બધા જ ધર્મો જેવા કે બૌદ્ધ, જૈન અને બીજા પણ ઘણા ધર્મ પર ખૂબ જ મહત્વની છાપ છોડી. જૈનો લઘુમતીમાં હોવા છતાં તેમનું અસ્તિત્વ અને તેમના આચારો કઠિન સમયમાં જાળવી રાખ્યા. આ પાછળનું મુખ્ય કારણ જૈન સાધુઓ અને જૈન શ્રાવકોનું પરસ્પર અવલંબન છે.
જૈન સાધુઓ શ્રાવક આચારના પાલન ઉપર ખુબ જ ભાર મૂકે છે. સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જૈન ધર્મના સાર ને ભૂલાય નહિ તેવી રીતે શ્રાવકો માટે કેટલીક વધારાની ક્રિયા અને વિધિઓ ઉમેરવામાં આવી. શ્રાવક આચાર વિશે ૪૦ કરતાં પણ વધુ શાસ્ત્રો અસ્તિત્વમાં છે. જૈન સાધુઓએ જૈન શ્રાવકોને મહત્વનું સ્થાન આપ્યું. જૈનો આમ પણ આર્થિક રીતે સદ્ધર હતા. તેઓએ શાસકો અને કેટલીક અજૈન સંસ્થાઓને પણ મદદ કરી.
ક્રિયા અને વિધિ ઉપર વધુ મહત્વ પાંચમી સદીમાં મૂકવામાં આવ્યું. જ્યારે જૈનો હિન્દુ ધર્મની ક્રિયા અને વિધિથી આકર્ષાઈને તેનું પાલન કરવા લાગ્યા હતા કારણ કે તે પાલન કરવામાં સરળ હતું. ઘણા જૈનોએ તે સમયે હિંદુ ધર્મ અપનાવ્યો. જૈન સાધુઓએ આ પરિવર્તન રોકવા માટે કેટલીક ક્રિયા અને વિધિઓનો વધારો કર્યો.
બારમી અને તેરમી સદીમાં જૈન મંદિરો, જૈન પ્રતિમાઓ, જૈન સંપત્તિઓ તેમજ જૈન શાસ્ત્રોને સાચવવાનું ખૂબ જ મુશ્કેલ થવા લાગ્યું. આથી જૈન સમાજે કેટલીક ગોઠવણી કરી. તેમણે કેટલાક સાધુઓને જૈન સંઘનું સંચાલન સોંપી દીધું. તેઓ શ્વેતાંબરમાં ચૈત્યવાસી યતી તરીકે ઓળખાયા અને દિગંબર પરંપરામાં તેઓ ભટ્ટારકો તરીકે ઓળખાયા.
આ બંધારણમાં ફેરફાર કરવાથી મંદિરો અને શાસ્ત્રોનો બચાવ થયો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એવું લાગતું ગયું કે ચૈત્યવાસી યતી અને ભટ્ટારકોને ખૂબ જ સત્તા આપી દેવામાં આવી છે. જૈન સાધુઓનું મુખ્ય ધ્યેય જૈન મુક્તિનો માર્ગ આચરવાનું અને બીજાઓને તેનું માર્ગદર્શન આપવાનો હતો. ઘણા જૈન શ્રાવકો આ પરિસ્થિતિથી વાકેફ થઇ ગયા અને તેમણે ચૈત્યવાસી યતીની પરંપરાને બંધ કરી અને ભટ્ટારકોની સત્તા ઉપર પણ કાપ મૂક્યો. આજના સમયમાં ખૂબ જ ઓછા જૈન મઠ અને ખૂબ જ ઓછા ભટ્ટારકો બાકી રહ્યા છે.
E.1.7 ભારતના જુદા-જુદા ભાગમાં જૈન ધર્મ
E.1.7.1 પૂર્વ ભારતમાં જૈન ધર્મ
શિશુનાગ રાજવંશમાં બિંબિસાર અથવા તો શ્રેણિક અને અજાતશત્રુ અથવા તો કૂણિક નામના બે મહત્વના રાજાઓ થઈ ગયા. જેમણે જૈન ધર્મને પૂરેપૂરી સહાય કરી હતી. બિંબિસાર અને
Page 107 of 307