________________
Compodium of Jainism - Part (II)
આ સમયગાળાના બદલાવના કારણે દિગંબર સમાજની અંદર તેરાપંથી અને તારણપંથ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. તેમની માન્યતાઓ અને ક્રિયાઓ જુદા જુદા પ્રદેશના લોકોમાં થોડી જુદી પડે
છે.
દિગંબર સંપ્રદાયના મુખ્ય પેટા-સંપ્રદાય આ મુજબના છે: બીસ પંથ, તેરાપંથ અને તારણ કે સમૈયા પંથ.
E.1.5.3.1 બીસ પંથ
બીસ પંથ સમુદાયના અનુયાયીઓ ધર્મગુરુને સહાય કરે છે. ધર્મગુરુ એટલે કે ભટ્ટારક તરીકે ઓળખાતા મઠના અધિકારી અને વ્યવસ્થાપક જેઓ સાધુ નથી. જૈન મઠ એ એવી ધાર્મિક સંસ્થાઓ છે જે જૈન આગમનો સંગ્રહ કરીને તેને સાચવે છે. તેમજ મંદિરને લગતી વિવિધ પ્રક્રિયાઓ માટે પૈસાનો વહીવટ સંભાળે છે. જૈન દિગંબર સાધુ પાંચમી સદી સુધી શહેરની બહાર રહેતા હતા. આથી કોઈ મઠ સ્થાપવાની કે ભટ્ટારક રાખવાની જરૂરત ઊભી થઈ ન હતી. હવે માત્ર બે કે ત્રણ મઠ જ બચ્યા છે અને ખૂબ જ ઓછા ભટ્ટારકો બાકી રહ્યા છે. બીસ પંથ સમુદાયના લોકો તીર્થંકર ભગવાનની પ્રતિમાની સ્થાપના કરીને તેમને પૂજા કરે છે અને તેમને તાજા ફળો અને ફૂલો મંદિરમાં ચઢાવે છે.
E.1.5.3.2 તેરાપંથ
તેરાપંથ સમુદાય ઇ.સ. ૧૬૨૭ માં ઉત્તર ભારતમાં મંદિરના અધિકારીઓ (ભટ્ટારકો) સામે બળવો પોકારીને ઉભો થયો હતો. કારણ કે તેઓએ માત્ર મઠના ધાર્મિક અધિકારી તરીકે નહીં પરંતુ દિગંબર સાધુની જેમ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. જેના પરિણામ સ્વરૂપ આ સંપ્રદાયમાં ભટ્ટારકોની સત્તા, અધિકાર કે વર્ચસ્વને સ્વીકારવામાં આવતા નથી. તેરાપંથીઓ તેમના મંદિરમાં તીર્થંકર ભગવાનની પ્રતિમા સ્થાપિત કરે છે. પરંતુ તેની પૂજા દરમિયાન ફૂલો, ફળો કે બીજા કોઈ પણ જીવંત વસ્તુઓને ચઢાવતા નથી.
E.1.5.3.3 તારણ પંથ
તારણ પંથ સમુદાય તેમના સ્થાપક તારણ સ્વામી તરણ-તારણ સ્વામી (૧૪૪૮-૧૫૧૫) ના નામ પરથી ઓળખાય છે. આ સંપ્રદાય ભગવાનની પ્રતિમાઓના બદલે પવિત્ર શાસ્ત્રોની પૂજા કરે છે. તેઓ દિગંબર પરંપરા મુજબના શાસ્ત્રો અને દિગંબર સાધુઓને માને છે. આ સમુદાય મધ્યપ્રદેશના કેટલાક ભાગ સુધી જ સીમિત હતો. પરંતુ હાલમાં ધીરે-ધીરે નાબૂદ થતો જાય છે અને કેટલીક જગ્યાએ કાનજીસ્વામીની પરંપરા સાથે સંકળાયેલો રહ્યો છે.
Page 106 of 307