________________
Compodium of Jainism – Part (II)
હોય એટલે કે વિરતિ હોય તેમને દયા અને દાન આપવું એ યોગ્ય છે. તેરાપંથી સમુદાય ફક્ત એક જ આચાર્યની આગેવાની હેઠળ રહે છે.
ઇ.સ.૧૯૩૬ માં આ હોદ્દો ૨૧ વર્ષના આચાર્ય તુલસીને આપવામાં આવ્યો. જેમણે તેરાપંથી સમુદાયમાં મોટું પરિવર્તન લાવ્યું. ભારતના લગભગ દરેક ભાગમાં તેમણે સફર કરી અને તેમણે શિક્ષા માટે પોતાની ચિંતા જતાવી અને ભણતર પર, સંશોધન પર અને તેરાપંથી સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતા લખાણ ઉપર ખુબ જ ભાર મૂક્યો. તેમના પ્રયત્નોને કારણે જૈન વિશ્વભારતી ભારત સરકાર દ્વારા જૈન તત્વજ્ઞાનને લગતી મહાવિદ્યાલય તરીકે અસ્તિત્વમાં આવી. વધારામાં ૧૯૪૯માં આચાર્ય તુલસીએ નૈતિક સુધારા માટે અને પ્રમાણિક અહિંસક અને શોષણ મુક્ત આ સમાજ માટે અણુવ્રત આંદોલન ચાલુ કર્યું. તેના કેટલાક સભ્યો અજૈન પણ છે. ૧૯૮૦માં તેમણે શ્રમણ અને શ્રમણીનો સંઘ સ્થાપીને એક નવો આવિષ્કાર કર્યો. તેઓ સાધુ અને સાધ્વીના આચાર તો પાળતા હતા પરંતુ તેમને વાહન દ્વારા સફર કરવાની અને શ્રાવકના ઘરે (એકલા અને અલગ જગ્યામાં) ખાવાની અને બીજા કેટલાક આવશ્યક આચારોમાં છૂટ આપવામાં આવી હતી. આચાર્ય તુલસી બાદ આચાર્ય મહાપ્રજ્ઞજી એ ૨૦૦૩થી આ હોદ્દો સંભાળ્યો. વર્તમાન સમયમાં આચાર્ય મહાશ્રમણ તેરાપંથી સમુદાયના આચાર્ય છે.
E.1.5.3 દિગમ્બર સમાજના મુખ્ય સંપ્રદાયો
દિગંબર સંપ્રદાયમાં ૧૬મી સદીના પાછળના ભાગથી ચાલુ કરીને હાલની સદી સુધીમાં ઘણા બદલાવ આવ્યા છે. બનારસીદાસ નામે એક પ્રખ્યાત કવિ અને વિદ્વાન મહત્વના બદલાવના સાક્ષી રહ્યા છે. બનારસીદાસનો જન્મ એક શ્વેતાંબર પરિવારમાં થયો હતો અને તેઓ એક સરળ યુવાન હતા. પરંતુ તેમણે સમયસાર નામે ગ્રંથ વાંચ્યો અને તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારબાદ તેમણે સમયસાર-નાટક લખ્યું જે સમયસારનુ નાટકમાં પરિવર્તિત સ્વરૂપ હતું. કુંદકુંદાચાર્યના કામના પ્રખર વિદ્વાન અને ભક્ત હોવાના કારણે તેઓએ ભટ્ટારક જેઓ દિગંબર મંદિરના માલિક અને વ્યવસ્થાપક કહેવાય છે તેમના શિથિલ આચારો સામે તેમણે બળવો પોકાર્યો કારણ કે તેમને લાગ્યું કે મંદિરની રોજીંદી ક્રિયાઓમાં વપરાતા ફળો, ફૂલો અને મીઠાઈઓમાં મોટા પ્રમાણમાં હિંસા સંકળાયેલી છે. આથી તેમણે મંદિરમાં ફળો, ફૂલો અને મીઠાઇઓના વપરાશને નાબૂદ કરવા માટે સૂચવ્યું
બનારસી દાસના પ્રભાવમાં જયપુરના પંડિત ટોડરમલ પણ આવ્યા. તેમની સિદ્ધાંતો પ્રત્યેની ગાઢ રૂચીના કારણે કુંદકુંદાચાર્યના લખાણ મુજબ તેમણે નિશ્વય નચ ઉપર વધારે ભાર મૂક્યો. તેમના આ સિદ્ધાંતોએ દિગંબર સમાજને પરિવર્તિત કર્યો અને મુશ્કેલીના સમયમાં આ સંપ્રદાયને આગળ વધારવામાં ફાળો આપ્યો.
Page 105 of 307