________________
Compodium of Jainism – Part (II)
થોડા સમય બાદ એક સમૂહ સ્થાનકવાસી સંપ્રદાયમાંથી છૂટો પડ્યો અને તેમણે પોતાને તેરાપંથી તરીકે ઓળખાવ્યા.
E.1.5.2.1 મૂર્તિપૂજક
મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં તીર્થંકર ભગવાનની મંદિરમાં મૂર્તિ સ્થાપીને તેની પૂજા કરવામાં આવે છે. તેઓ પ્રતિમાની સામે ફળ-ફૂલ, ચંદન વગેરે ધરાવે છે અને તેનો ભવ્ય આભૂષણો અને અંગ-રચના દ્વારા સુંદર શણગાર કરે છે. આ સંપ્રદાયના સાધુઓ બોલતી વખતે તેમના મુખને એક સફેદ કપડાના ટુકડા (મુહપત્તિથી ટાંકે છે. અને બીજા સમયે તેઓ મુત્પત્તિ તેમના હાથમાં રાખે છે. તેઓ ઉપાશ્રય નામની વિશેષ જગ્યાએ રહે છે. આ સાધુઓ શ્રાવકોના ઘરેથી પોતાના પાત્રમાં ખાવાનું(ગોચરી) સ્વીકારે છે અને તેઓ જ્યારે ઉપાશ્રયમાં હોય ત્યારે તેને વાપરે છે. મૂર્તિપૂજક શ્વેતાંબરો મોટાભાગે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં રહેલા છે પરંતુ તે ભારતના બીજા ભાગમાં પણ છૂટાછવાયા વસેલા છે.
E.1.5.2.2 સ્થાનકવાસી
સ્થાનકવાસી સંપ્રદાય એ લોકાશા (નીચે વધુ વિગતથી સમજાવેલું છે) ની આગેવાની હેઠળ સુધારક તરીકે યતીઓના આચારની શિથિલતા અને દંભનો ત્યાગ કરીને મૂર્તિપૂજામાં ન માનનારા સંપ્રદાય તરીકે અસ્તિત્વમાં આવ્યો.
સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ તેમના મુખ ને હંમેશા કપડા(મુહપત્તિ)થી બાંધેલુ રાખે છે. સ્થાનકવાસી સંપ્રદાય શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના ૪૫ આગમમાંથી ૩૨ આગમને માન્યતા આપીને સ્વીકારે છે અને તેને અનુસરે છે. સ્થાનકવાસી સંપ્રદાયના લોકો પણ મોટાભાગે ગુજરાત, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વસે છે.
E.1.5.2.3 તેરાપંથી
તેરાપંથ સંપ્રદાય સ્થાનકવાસી સંપ્રદાયમાંથી છૂટો પડેલો છે. અને તેની સ્થાપના સ્વામી ભિક્ષુ મહારાજે કરેલી છે. આચાર્ય ભિક્ષુ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાધુ હતા અને તેમણે તેમના ગુરુ આચાર્ય રઘુનાથ પાસેથી દીક્ષા લીધી હતી, પરંતુ સ્વામી ભિક્ષુકને કેટલીક ધાર્મિક ક્રિયાઓને લઈને અને કેટલીક ધાર્મિક બાબતે તેમના ગુરુ સાથે અલગાવ હતો. જ્યારે તે તફાવતોએ ગંભીર વળાંક લીધો ત્યારે આચાર્ય ભિક્ષુએ ઇ.સ.૧૭૬૦ માં તેરાપંથ સમુદાયની સ્થાપના કરી. તેરાપંથી સમુદાય સ્થાનકવાસી સંપ્રદાયમાંથી ૧૮મી સદીમાં અલગ પડેલો છે. અને તે પણ સ્થાનકવાસી સંપ્રદાયની જેમ મૂર્તિપૂજામાં માનતો નથી. અહીં નોંધપાત્ર છે કે આ સમુદાયના સભ્યો દયા અને દાનને શ્રાવકની સામાજિક ફરજ (લૌકિક ધર્મ) સમજે છે. જોકે ધાર્મિક રીતે જે લોકો વ્રતોનું પાલન કરતા
Page 104 of 307