________________
Compodium of Jainism – Part (II)
(નોંધ: - જોકે અહીં નોંધવાલાયક બાબત એ છે કે આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ ભરતક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન મોક્ષ મેળવવા માટે શક્તિમાન નથી.)
દિગંબરો માને છે કે ભગવાન મહાવીર લગ્નગ્રંથિથી જોડાયા ન હતા. જ્યારે શ્વેતાંબર માન્યતા મુજબ ભગવાન મહાવીર યશોદા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા અને જ્યારે તેમણે દીક્ષા લીધી ત્યારે તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી પણ હતી.
મૂર્તિપૂજક દિગંબરો તિર્થંકરોની પ્રતિમાનો શણગાર કરતા નથી. જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના લોકો પ્રતિમાનો શણગાર કરે છે. શ્વેતામ્બર પરંપરામાં તીર્થંકરની પ્રતિમા તેમના રાજા તરીકેના જીવનને દર્શાવે છે જેમણે પોતાના આંતરિક શત્રુઓને જીતી લીધા. તે એક સામાન્ય રાજા નહિ પરંતુ આત્માના રાજા છે. તે રાજવી છે, એટલા માટે નહીં કેમ કે તેમણે ઊંચા કુળમાં જન્મ લીધો પરંતુ એટલા માટે કે તેમણે વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી. દિગંબર સંપ્રદાયમાં તીર્થંકરની પ્રતિમા તેમના કેવળજ્ઞાન પછીની અવસ્થાને દર્શાવે છે જે વીતરાગ છે અને દરેક પ્રકારના રાગથી મુક્ત છે.
જૈન સિદ્ધાંતો એ સદીઓથી વ્યવસ્થિત રહ્યા છે અને તેમાં કોઈ મોટા બદલાવ આવ્યા નથી. આથી એમ કહી શકાય કે તે સમયની કસોટી પસાર કરી ચૂક્યા છે. આમાં ઉમાસ્વાતિજીએ લખેલા તત્વાર્થ સૂત્ર જે પ્રથમ સદીમાં લખાયુ હતું તેનો ખૂબ મોટો ફાળો છે. આ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના ભાગલા પડ્યા તે પહેલાં લખાયેલું છે અને જૈનોની બંને શાખાઓ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
E.1.5.2 શ્વેતાંબર સમાજના મુખ્ય સંપ્રદાયો
ઈ.સ.૧૪૫૧માં અમદાવાદના એક શ્રાવક લોકાંશા યતીઓ(શ્વેતાંબર જૈન મંદિરોના અધિકારીઓ) ની ધાર્મિક શિથિલતાનો સ્વીકાર કરી શક્યા નહીં. તે સમયે શાસ્ત્રો ગૃહસ્થો માટે પ્રાપ્ત ન હતા. લોકાશા એક લહિયા હતા અને તેમનું કામ સાધુઓ માટે જૈન શાસ્ત્રોની નકલ કરવાનુ હતું. શાસ્ત્રોના જ્ઞાનને કારણે લોકાશા મંદિર અને મંદિરની વિધિઓ (ચૈત્યવાસી)ની વિરુદ્ધ ઉભા થયા. મૂળ જૈન આગમના જ્ઞાનને કારણે તેમણે મૂળ જૈન આચારોની સરખામણીમાં મૂર્તિપૂજાનો પણ વિરોધ કર્યો આ સ્થાનકવાસી સંપ્રદાય બનવાની શરૂઆત હતી, જે મૂર્તિપૂજામાં ન માનનારા વર્ગ તરીકે ૧૪૭૪ માં અસ્તિત્વમાં આવ્યો અને તેમાં પ્રથમ મુનિ ભાણજી મુનિ બન્યા.
સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુઓ માટે મંદિર માર્ગી સાધુઓ કરતા કડક આચાર સ્થાપવામાં આવ્યા. આ રીતે શ્વેતામ્બર પરંપરાના બે ભાગ પડ્યા. જોકે આ ભાગલા એ યતીઓના દુષ્કર્મને પ્રકાશિત કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થયા.
Page 103 of 307