________________
Compodium of Jainism – Part (II)
મારવું નહીં, ૨) જૂઠું ન બોલવું, ૩) ચોરી કરવી નહીં અને ૪) પરિગ્રહ રાખવો નહીં. બ્રહ્મચર્યના વ્રતનો છેલ્લા વ્રતની અંદર જ સમાવેશ કરવામાં આવતો હતો. જોકે પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણના ૨૫૦ વર્ષ પસાર થયા બાદ જ્યારે ભગવાન મહાવીરે સિદ્ધાંતો શીખવ્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને પરિસ્થિતિનું ધ્યાન રાખતા ભગવાન મહાવીરે પાંચમા બ્રહ્મચર્ય વ્રતનો એક મહાવ્રત તરીકે ચાર મહાવ્રતની સાથે સમાવેશ કર્યો. ભગવાન મહાવીરના સમયમાં ભગવાન પાર્શ્વનાથના કેશી ગણધરના અનુયાયીઓ વિદ્યમાન હતા. આ એક ઐતિહાસિક સત્ય છે કે કેશી ગણધર અને ગૌતમ ગણધર (જે ભગવાન મહાવીરના મુખ્ય ગણધર હતા), તે બંનેએ મળીને તેમના તફાવતોની ચર્ચા કરી હતી. ગૌતમ ગણધર દ્વારા સંતોષજનક સમજૂતી મળ્યા બાદ કેશી ગણધર અને તેમના સાધુ અને સાધ્વીજીઓ જે ભગવાન પાર્શ્વનાથની પરંપરાને અનુસરતા હતા તેમણે ભગવાન મહાવીરની આગેવાની સ્વીકારી અને તેમની પાસે પુનઃ દીક્ષા લીધી. એક વસ્તુની નોંધ લેવી જોઈએ કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં સાધુ અને સાધ્વીજીઓ કપડા પહેરતા હતા (શ્વેતામ્બર પરંપરા/માન્યતા મુજબ).
E.1.3.3 ભગવાન મહાવીર
ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળમાં ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર હતા. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા મુજબ ભગવાન મહાવીરનું નિર્વાણ વિક્રમ સંવત શરૂ થવાના ૪૭૦ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ.પૂર્વે ૫૨૭ માં થયુ હતું. ભગવાન મહાવીરનું નિર્વાણ ૭૨ વર્ષની વયે થયું હોવાથી તેમનો જન્મ ઇ.સ. પૂર્વે ૫૯૯ માં થયો હોવો જોઈએ. આ ભગવાન મહાવીરને બુદ્ધ કરતા થોડાક પહેલાના સમયમાં થયા હોવાનું સૂચવે છે કારણકે બુદ્ધ ઈ.સ.પૂર્વે ૫૬૭-૪૮૭ માં થઈ ગયા હતા. (વિક્રમ સંવત ઇ.સ. પૂર્વે ૫૭ માં શરૂ થયું હતું.)
ભગવાન મહાવીરના સંઘમાં ૧૪૦૦૦ સાધુઓ, ૩૬૦૦૦ સાધ્વીઓ, ૧૫૯૦૦૦ શ્રાવકો અને ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાથી જૈન ધર્મમાં ચતુર્વિધ સંઘ (તીર્થ) સ્થપાય છે.
તેમના ૧૧ મુખ્ય ગણધરોમાંથી ફક્ત બે, ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી ભગવાન મહાવીરના નિર્વાણ બાદ જીવિત હતા. ભગવાન મહાવીરના નિર્વાણના ૨૦ વર્ષ બાદ સુધર્મા સ્વામીને પણ મોક્ષ મળ્યો. તેઓ અગિયાર ગણધરોમાં સૌથી છેલ્લા હતા કે જેમને મોક્ષ મળ્યો. છેલ્લા કેવળી જંબૂસ્વામી સુધર્મા સ્વામીના અનુયાયી હતા, જેમને ભગવાન મહાવીરના નિર્વાણના ૬૪ વર્ષ બાદ મોક્ષ મળ્યો.
ભગવાન મહાવીરના સમયમાં બે પ્રકારના સાધુ હતા: સચેલક (કપડા સાથે) અને અચેલક (કપડા વિનાના). ભગવાન મહાવીરના નિર્વાણની કેટલીક સદીઓ સુધી આ બંને પ્રકારના સાધુઓ સાથે અસ્તિત્વ ધરાવતા હતા.
Page 97 of 307