________________
Compodium of Jainism – Part (II)
મહાવીર સ્વામી ભગવાન છેલ્લા તીર્થંકર હોવાના કારણે ઘણા બધા ઇતિહાસકારો મહાવીર સ્વામી ભગવાનને જૈન ધર્મના સ્થાપક સમજે છે. ઉપર મુજબના કેટલાક પુરાવા પરથી આ ગેરસમજ દૂર થાય છે. હવે ઇતિહાસકારોએ સ્વીકાર્યું છે કે ભગવાન મહાવીરે જૈન ધર્મની સ્થાપના કરી ન હતી પરંતુ તેમને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો, તેને ફરીથી જાગૃત કર્યો અને ધર્મને સુવ્યવસ્થિત કર્યો કે જે અનાદિકાળથી અસ્તિત્વમાં હતો.
હાલના સમયમાં આપણે અવસર્પિણી ચક્રના પાંચમા આરામાં એટલે કે દુઃખમ આરામાં છીએ. જેમાંથી ૨૫૦૦ વર્ષ પસાર થઈ ચુક્યા છે. આ પાંચમાં આરાની શરૂઆત ઈ.સ. પૂર્વે ૫૨૭માં મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણના ત્રણ વર્ષ અને સાડા ત્રણ મહિના પછી થઈ. ભગવાન ઋષભદેવ ત્રીજા આરાના પાછળના ભાગમાં થઈ ગયા અને બાકીના ૨૩ તીર્થંકરો આ અવસર્પિણીના ચોથા આરામાં થઈ ગયા.
E.1.3 ઐતિહાસિક સમય - જૈન પરંપરા અને પુરાતત્વ વિભાગના પુરાવા
E.1.3.1 એક ઐતિહાસિક પાત્ર તરીકે નેમિનાથ
નેમિનાથ કે અરિષ્ટનેમી, જે ભગવાન પાર્શ્વનાથની પહેલા થઈ ગયા તે કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. તે રાજા સમુદ્રવિજયના પુત્ર અને શૌર્યપૂરના અંધકવર્ષીના પૌત્ર હતા. કૃષ્ણએ તેમના વિવાહ દ્વારકાના રાજા ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે નક્કી કર્યા હતા. નેમિનાથ ભગવાનને રૈવત પર્વત (ગિરનાર) ના શિખરે મોક્ષની પ્રાપ્તિ થઈ હતી.
નેમીનાથનો કેટલાક વૈદિક શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે; રાજા નેબુચદનઝરના ઈ.સ.પૂર્વે દક્ષમી સદીમાં નેમિનાથ ભગવાન મંદિરે જવાના ઉલ્લેખ મળે છે. નેમિનાથની એક ઐતિહાસિક પ્રતિભા તરીકે ઓળખ મેળવવામાં વધુ શંકા નથી પરંતુ તેનો સમયગાળો નક્કી કરવામાં કેટલીક મુશ્કેલી
છે.
E.1.3.2 પાર્શ્વનાથની ઐતિહાસિકતા
પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિકતા સર્વમતે સ્વીકારવામાં આવે છે. તે વારાણસીના રાજા અશ્વસેન અને રાણી વામાના પુત્ર હતા અને તે ભગવાન મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલા થઈ ગયા. ૩૦ વર્ષની વયે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તેઓ સાધુ બન્યા. ત્યારબાદ તેમણે ૮૩ દિવસ સુધી સંયમનું પાલન કર્યું. ૮૪માં દિવસે તેમને કેવળજ્ઞાન ઉપજ્યું. ત્યારબાદ ભગવાન પાર્શ્વનાથે ૭૦ વર્ષ સુધી વિવિધ સિદ્ધાંતો શીખવ્યા. ૧૦૦ વર્ષની ઉંમરે સમ્મેત શિખર પર્વત (પાશ્વનાથ હિલ્સ) ના શિખરે મોક્ષ પામ્યા.
ભગવાન પાર્શ્વનાથના સમયમાં પાળવામાં આવતા ચાર મહાવ્રતો આ મુજબ હતા: ૧) કોઈ ને
Page 96 of 307