________________
Compodium of Jainism – Part (II)
છોડાવવા માટે મુક્તિ કે મોક્ષનો માર્ગ દર્શાવે છે. આ કાળ ચક્રમાં સૌથી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થઈ ગયા અને અંતિમ તીર્થંકર એટલે કે ૨૪માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થઈ ગયા. કુદરતી રીતે આ ચોવીસ તીર્થંકરોને જોડતી એક સામાન્ય કડી હોય છે. જોકે તેઓ ઇતિહાસના જુદા જુદા સમય દરમ્યાન થાય છે. આ કડીનો મતલબ એવો છે કે શ્રી ઋષભદેવ દ્વારા જે ધર્મ પ્રથમ શીખવાડવામાં આવે છે તે જ ધર્મ બાકીના ૨૩ તીર્થંકરો દ્વારા બધા જ જીવોના કલ્યાણ માટે અને આધ્યાત્મિકતાને ફરીથી સ્થાપવા માટે શીખવાડવામાં આવે છે.
એવા પ્રમાણ પણ મળ્યા છે જેમાં લોકો વૈદિક સમય પહેલા ભગવાન ઋષભ દેવની પૂજા કરતા હતા. ઈતિહાસમાં એવું નોંધવામાં આવ્યું છે કે કલિંગના રાજા, રાજા ખારવેલ ઈ.સ. પૂર્વે ૧૬૧માં તેના મગધ પરના બીજા આક્રમણ સમયે મગધથી કેટલોક કિંમતી ખજાનો લાવ્યા હતા. આ ખજાનામાં અગ્ર-જીનની પ્રતિમા એટલે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવની પ્રતિમા પણ હતી જે ત્રણ સદી પહેલા રાજા નંદ દ્વારા કલિંગમાંથી ઈ.સ. પૂર્વે પાંચમી સદીમા લઈ જવામાં આવી હતી. ઋષભદેવની તે સમયમાં પૂજા થતી હતી અને તેમની પ્રતિમાને તેમના અનુયાયીઓ દ્વારા ખૂબ જ સન્માનપૂર્વક રાખવામાં આવી હતી. પુરાતત્વ વિભાગના બીજા પુરાવા મુજબ સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ એટલે કે તામ્ર યુગમાં એવા અવશેષો મળ્યા છે જે તે સમયમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ દેવની બીજા દેવતાઓની સાથે વ્યાપક પ્રમાણમાં પૂજા કરવામાં આવતી. જે જૈન ધર્મની પ્રાચીનત્તા સૂચવે છે. સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષો જૈન ધર્મનો વ્યાપ ઈ.સ.પૂર્વે ૩૦૦૦ થી ૩૫૦૦ દરમ્યાન સૂચવે છે.
સિંધુ નદીની ખીણની સંસ્કૃતિમાં દેવીની સરખામણીમાં ખૂબ મોટા પ્રમાણમાં દેવીઓના ચિત્ર માટીના પાત્રો પર દોરેલા મળે છે. દેવોને નગ્ન સ્વરૂપે દર્શાવવામાં આવતા હતા. એક મોહર ઉપર ૬ દેવતાઓની આકૃતિ કંડારેલી જોવા મળે છે. દરેક આકૃતિ નગ્ન મુદ્રામાં છે. તે મુદ્રામા તેમને ટટ્ટાર ઊભેલા, ચિંતનની મુદ્રામાં બંને હાથ શરીરની સાથે નજીક રાખીને ઉભેલા દર્શાવવામાં આવ્યા છે. આ કાયોત્સર્ગ એટલે જે ઉભા ઉભા ધ્યાનની મુદ્રા છે તે વિચક્ષણ મુદ્રા જૈનોમાં જોવામાં આવે છે. અને તેમાં નગ્ન સાધુઓ દર્શાવ્યા છે. આથી એવું અનુમાન કરી શકાય કે આ આકૃતિઓ જૈન તીર્થંકરોને કે સાધુઓ દર્શાવે છે.
આ મોહર ઉપર દેવતાઓની આકૃતિઓને ચિંતનની મુદ્રામાં કે બેઠેલી મુદ્રામાં દર્શાવવામાં આવે છે. તે જૈન તિર્થંકરોની હોય તેવું માનવામાં આવે છે કારણ કે જૈન તીર્થંકરોને એક મુખ સાથે દર્શાવવામા આવે છે જ્યારે હિન્દુ પરંપરામાં નર દેવતાઓ સામાન્ય રીતે ત્રણ મુખ અથવા તો ત્રણ આંખો અથવા ત્રિશૂળ કે બીજા કોઈ શસ્ત્રની સાથે દર્શાવવામાં આવે છે.
વધારામાં મોહેં-જો-દરોમાંથી મળેલી કેટલીક મહોરમાં આવા જ પ્રકારની આકૃતિઓ છે જેવી મથુરાની પ્રાચીન જૈન કાળમાં જોવા મળે છે.
Page 95 of 307