SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) E.1.1 Yzell coll E.1 જૈન પરંપરા અને સંપ્રદાયનો ઇતિહાસ આ ભાગમાં જૈન ધર્મના ઈતિહાસનો સમાવેશ કરવો ખૂબ જ કપરું કાર્ય છે પરંતુ આપણે તેની વિશેષતાઓને ટૂંકમાં સમજવાનો અહીં પ્રયત્ન કરીશું. ભારતીય પરંપરામાં મુખ્યત્વે બે માન્યતાઓ છે: વૈદિક અને શ્રમણ. વૈદિક પરંપરા બ્રાહ્મણીક માન્યતામાં આવે છે. શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ પરંપરાનો સમાવેશ થાય છે. વૈદિક પરંપરા વેદ અને વૈદિક સાહિત્યની માન્યતાને સ્વીકારે છે. જૈન અને બૌદ્ધ સંપ્રદાયમાં તેમના પોતાના શાસ્ત્રો અને તેના પોતાના લેખકોને માને છે. જૈન ધર્મ ખૂબ જ પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. જોકે એવું કહેવું ખોટું છે કે ભગવાન મહાવીરે જૈન ધર્મની સ્થાપના કરી હતી. જૈન ધર્મ શાશ્વત ધર્મ છે. તે હંમેશાથી હતો, અત્યારે પણ છે અને હંમેશા રહેશે. ભારતમાં અનાદિકાળથી જૈન ધર્મ રહેલો છે. જૈન ધર્મની જૂજ વસ્તીના પ્રમાણમાં તેમનું ભારતીય સંસ્કૃતિમાં કરેલું પ્રદાન અદમ્ય છે. જૈનો આખા ભારતમાં અને દુનિયાના દરેક ખૂણામાં વસેલા છે. તેઓ તેમના રોજીંદા જીવનની કડક ચુસ્તતાના પાલનના કારણે બધે જ જાણીતા છે. જૈન ધર્મની આભુત પ્રાચીનતા જૈન ધર્મ શાશ્વત ધર્મ છે આથી તેનો પ્રાગૈતિહાસિક સમય અને ઐતિહાસિક સમય રહેલો છે. જૈન ધર્મ દરેક સમયચક્રમાં વિશ્વમાં ફરીથી સ્થાપવામાં આવે છે અને આ તે તેનો પ્રાગ-ઐતિહાસિક સમય છે. આ ઉપરાંત જૈન ધર્મ માટે ઇતિહાસના પુરાવાઓ એ ઈ.સ.પૂર્વે ૩૦૦૦ થી ૩૫૦૦ સુધીમાં મળે છે. E.1.2 પ્રાગૈતિહાસિક સમય જૈન શાસ્ત્રો મુજબ અસંખ્યાત કાળચક્રો થઈ ગયા છે અને એવા જ કાળચક્ર ભવિષ્યમાં પણ થતા રહેશે. દરેક કાળચક્રને બે સરખા ભાગમાં એટલે કે અર્ધચક્રમાં વહેંચવામાં આવે છે: ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. દરેક અર્ધચક્રના બીજા છ ભાગ કરવામાં આવે છે જેને આરા (ચક્રના આરા) કહેવામાં આવે છે. કાળ માટે B.5.5 અને આકૃતિ B.5.અ જુઓ. દરેક અડધા કાળચક્રમાં ૨૪ તીર્થંકર ભગવાન થાય છે. તીર્થંકર તરીકે ઓળખાતા કેવલી ભગવંતો તેમની દેશના દ્વારા ધર્મ અને તત્વજ્ઞાન લોકોને શીખવાડે છે જેના થકી મનુષ્ય દુઃખ અને દર્દ ભરેલા ભવસાગરને તરી જાય છે. તીર્થંકર ભગવંતો દરેક જીવોને જન્મ અને મરણના ચક્રમાંથી Page 94 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy