SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) E.1.3.4 જૈન પરંપરા અને બૌદ્ધ ધર્મ ભગવાન મહાવીરે ગૌતમ બુદ્ધના સમકાલીન અને વરિષ્ઠ હતા. બૌદ્ધ ધર્મની પુસ્તકોમાં ભગવાન મહાવીરનો ઉલ્લેખ હંમેશા નિગંથ નાતપુત્ત (નિગ્રંથ-જ્ઞાતા પુત્ર) એટલે કે જ્ઞાતૃ સંપ્રદાયના સાધુ તરીકે કરવામાં આવે છે. વધારામાં બૌદ્ધ શાસ્ત્રોમાં જૈન ધર્મને ખૂબ જ પ્રાચીન ધર્મ તરીકે ઉલ્લેખવામાં આવે છે. બૌદ્ધ સંપ્રદાયની ઘણી બધી પુસ્તકોમાં જૈન નગ્ન સાધુઓ કે જે ચૈત્ય કે મંદિરોમાં અહંતની પૂજા કરે છે તેનો તથા ૨૩માં તીર્થંકર પાર્શ્વનાથના ચાતુર્યામ કે ચતુર્વિધ સંઘનો પણ ઉલ્લેખ મળે છે. વધુમાં બૌદ્ધ શાસ્ત્રો તીર્થંકરોની જૈન પરંપરાનો ઉલ્લેખ કરે છે અને તેમાં જૈન તીર્થંકરો જેવા કે ઋષભદેવ, પદ્મપ્રભ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, વિમલનાથ, ધર્મનાથ અને નેમિનાથનો પણ વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. બૌદ્ધ પુસ્તક મનોરથપૂરણીમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાને અનુસરતા ઘણા નર અને નારીનો ઉલ્લેખ મળે છે. જેમાંથી એક ગૌતમ બુદ્ધના કાકા વપ્પાનો પણ ઉલ્લેખ છે. વાસ્તવમાં બૌદ્ધ શાસ્ત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ગૌતમ બુદ્ધ પોતાના નવા ધર્મની સ્થાપના કરતા પહેલા જૈન પરંપરા મુજબ સંયમની આરાધના કરતા હતા. E.1.3.5 જૈન પરંપરા અને હિન્દુ ધર્મ પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ૨૪ તીર્થંકરની જૈન પરંપરા હિન્દુ તેમ જ બૌદ્ધો દ્વારા સ્વીકારવામાં આવી હતી. હિન્દુઓ વાસ્તવમાં ક્યારે પણ વાત નકારતા નથી કે જૈન ધર્મ ઋષભદેવ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો અને તેનો સમય લગભગ આ સૃષ્ટિના સર્જન સમયની આસપાસનો ગણાવે છે. તેઓ ઋષભદેવના માતા-પિતા (પિતા નાભિરાય અને માતા મરૂદેવી) નો પણ તે જ પ્રમાણે સ્વીકાર કરે છે. અને એ પણ સ્વીકારે છે કે ઋષભદેવના જયેષ્ઠ પુત્ર ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું છે. ઋગ્વેદમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને ૨૨મા તીર્થંકર અરિષ્ટનેમીનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. યજુર્વેદમાં પણ ત્રણ નીર્યકરો દેવ, જિતનાથ અને અરિષ્ટનેમીનો ઉલ્લેખ મળે છે. વધુમાં અથર્વવેદમાં તે સમયના હિન્દુઓથી અલગ કરવા માટે વર્ત્ય નામના સંપ્રદાયનો વિશેષ ઉલ્લેખ છે એટલે કે જેઓ વ્રતનું પાલન કરતા હોય. તેવી જ રીતે અથર્વવેદમાં મહાવર્ત્ય નામનો શબ્દ છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ શબ્દ ઋષભદેવને સંબંધિત છે. જેઓ વર્ત્ય સંપ્રદાયના એક મહાન આગેવાન હતા. E.1.4 કેવળજ્ઞાની, શ્રુતકેવળી અને ૧૦ પૂર્વી આચાર્યો કેવળજ્ઞાની એટલે તેઓ કે જેમણે ચાર પ્રકારના ઘાતી કર્મોનો નાશ કરીને સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે. Page 98 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy