________________
Compodium of Jainism – Part (II)
ઘણા જૈન મંદિરોમાં તેમની સ્વતંત્ર મૂર્તિ પણ હોય છે. યક્ષ મોટા ભાગે જિનપ્રતિમાની જમણી બાજુ અને યક્ષિણી તેમની ડાબી બાજુ હોય છે. તેઓનું સ્થાન ક્યારેય જિનપ્રતિમાથી ઊંચું હોતું નથી. તેઓ પરોપકારી યક્ષ અને થક્ષિણી છે. પરંતુ એવા તૈષીલા યક્ષને યક્ષિણી પણ હોય છે કે જેઓ તીર્થંકર ભગવાન અને જિનશાસનને નુકસાન પહોંચાડે છે. જેમ કે શૂલપાણિ યક્ષે ભગવાન મહાવીરને ઉપસર્ગ કર્યા હતા. આવા ખરાબ યક્ષે બીજા કોઈને નુકસાન પહોચાડ્યું હોય તેવી બીજી પણ અનેક કથાઓ છે. આપણે જૈનો યક્ષ અને યક્ષિણીની પૂજા ભૌતિક સુખ, તેમની કૃપા, ભયથી મુક્તિ કે બીમારીથી બચવા માટે કરતા નથી. આપણે તેમનો આદર તેમની તીર્થંકરો અને જૈન ધર્મની સેવાના લીધે કરીએ છે. તેમની પાસેથી ભૌતિક સુખની અપેક્ષા રાખવી જિનવાણીથી વિરુદ્ધ
છે.
સામાન્યત: જોવા મળતા કેટલાક યક્ષ અને યક્ષિણીનું વર્ણન નીચે મુજબ છે:
D.8.1 ચક્રેશ્વરી દેવી
તેઓ આદિનાથ ભગવાનને સમર્પિત દેવી છે. તેઓ પ્રતિચક્રાના નામે પણ ઓળખાય છે. તેમનો વર્ણ સુવર્ણ જેવો છે અને ગરુડ તેમનું વાહન છે. તેમની આઠ ભુજાઓ છે. જમણી બાજુની ચાર ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, બાણ, ચક્ર અને પાશ તથા ડાબી બાજુની ચાર ભુજાઓમાં ધનુષ, વજ્ર, ચક્ર અને અંકુશ રહે છે.
D.8.2 અંબિકા દેવી
તે ૨૨માં તીર્થંકર નેમિનાથ ભગવાનને સમર્પિત દેવી છે. તે અંબાઈ, અંબા કે આમ્ર કુસ્માન્દીની તરીકે પણ ઓળખાય છે. તે સુવર્ણ વર્ણના છે અને સિંહ તેમનું વાહન છે. તેમને ચાર ભુજાઓ છે. તેમની એક જમણી ભુજામાં આમ્રફળ અને બીજી ભુજામાં આમ્રની શાખા તથા એક ડાબી ભુજામાં અંકુશ અને બીજી ડાબી ભુજામાં તેમના બે પુત્રો હોય છે.
D.8.3 પદ્માવતી દેવી
તે ૨૩માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત દેવી છે. તે સુવર્ણ વર્ણના છે અને તેમનું વાહન કુકુટસર્પ (કૂકડાના મોઢા વાળો સાપ) છે. તેમને ચાર ભુજાઓ છે.તેમની જમણી બે ભુજાઓમાં કમળ અને માળા અને ડાબી બાજુની બે ભુજાઓમાં ફળ અને અંકુશ હોય છે.
D.8.4 સરસ્વતી દેવી
સરસ્વતી - વિદ્યાની દેવી, તેમને દરેક જ્ઞાનનો સ્રોત મનાય છે. તેમની દિવ્ય ઉર્જા આધ્યાત્મિક પ્રકાશનો સ્ત્રોત છે. તે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન મેળવવામાં સહાય કરનાર છે. દુનિયામાં દરેક
Page 91 of 307