________________
Compodium of Jainism - Part (II)
દર્શનમાં માનનારા, સંસારી અને સાધુ દરેક તેમનો આદર કરે છે. તેમને ચાર ભુજાઓ છે. એક ભુજામાં પુસ્તક, એક માં માળા અને બીજા બે હાથથી વીણા નામનું વાજિંત્ર પકડે છે. તે કમળના આસન પર બેસે છે અને મોર તેમનું વાહન છે જે સમતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. અમુક પુસ્તકોમાં હંસને એમનું વાહન બતાવવામાં આવ્યું છે.
D.8.5 લક્ષ્મી દેવી
તે
લક્ષ્મી દેવી એ સમૃદ્ધિનું પ્રતીક છે. લોકો સંપત્તિ, સમૃદ્ધિ અને શક્તિ માટે તેમની પુજા કરે છે. તે ઉપરના બે હાથમાં કમળ પકડે છે, તેમના નીચેના ડાબા હાથમાં સિક્કાથી ભરેલો ઘડો હોય છે અને જમણી બાજુના નીચેના હાથથી તેઓ સુવર્ણ મુદ્રાઓ વરસાવે છે.
D.સ.ઇ માણિભદ્ર વીર
માણિભદ્ર વીર યક્ષ છે જેમની પૂજા પ્રાચીન કાળથી ભારતીય સમાજ દ્વારા થતી આવી છે. તે ૬ ભુજાઓવાળા યક્ષ છે જે હાથીના વાહન પર સવાર હોય છે.
D.8.7 ઘંટાકર્ણ વીર
આ દેવતાની પૂજા પોતાના રક્ષણ માટે અને બીજા ખરાબ યક્ષ અને યક્ષિણીની અસરથી બચવા માટે થાય છે. તેમનું તીર દુષ્ટ તત્વોનો નાશ સૂચવે છે. તેમનું ધનુષ તીરને ગતિ આપે છે. તેમનું પ્રતીક ઘંટ છે જે વાતાવરણમાં પવિત્ર અવાજ ઉભો કરે છે. ઘણી વખત લોકો તેમને ભૂલથી ઘંટાકર્ણ મહાવીર કહે છે. આ ભગવાન મહાવીર અને ઘંટાકર્ણ વીરમાં મૂંઝવણ ઉભી કરે છે. તે કોઈ પણ રીતે ભગવાન મહાવીર સાથે જોડાયેલા નથી.
D.8.8 નાકોડા ભૈરવ
આ ભૈરવના દેવ છે. તે મૉટે ભાગે મંદિરના પ્રવેશદ્વાર પાસે જોવા મળે છે. લોકો પોતાની ઈચ્છાપૂર્તિ માટે નજીક કે દૂરથી તેમની મુલાકાત લે છે. તે મંદિરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે
છે.
D.8.9 ભોમીયાજી
આ દેવતા પર્વતના આકારના હોય છે. તે સમેતશિખર પર્વતની પ્રાકૃતિક સકારાત્મક ઉર્જા છે. આ ઉર્જા સમેતશિખરના યાત્રાળુઓને પ્રેરણા આપે છે અને ભક્તોને શાંતિપૂર્વક યાત્રા પુરી કરવા માટે માર્ગદર્શન આપે છે.
Page 92 of 307