________________
Compodium of Jainism – Part (II)
હરિયાળી વચ્ચે આવેલા શ્વેતાંબર અને દિગંબર મંદિરોમાં દર્શન માટે આ જીવનમાં ઓછામાં ઓછી એકવાર જાત્રા કરવી જોઈએ.
D.7.2 સાાંશ
જૈન મંદિરોનું સ્થાપત્ય, શિલ્પ અને કોતરણી ભવ્ય છે. હજારોની સંખ્યામાં તેઓ જાજરમાન છે. તેઓની સ્વચ્છતા અને પવિત્ર વાતાવરણ નોંધપાત્ર છે. શાંત ધ્યાનસ્થ મુદ્રામાં, ગૌરવપૂર્ણ અભિવ્યક્તિ સાથે બેઠેલા અથવા સ્થાયી સ્થિતિમાં તીર્થંકરની મૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત છે. શ્વેતાંબર પંથ મૂર્તિને આંગીથી શણગારે છે. પરંતુ દિગંબર પંથી મૂર્તિને શણગાર વિનાની સિદ્ધ અવસ્થામાં રાખે છે. પોતાના જીવનકાળ દરમિયાન શાંતિ અને સંતોષની ભાવના મેળવવા માટે ભારતના વિવિધ જૈન તીર્થોની યાત્રા કરવી જોઈએ. આ ઉપરાંત ઇતિહાસ, સ્થાપત્ય અને ઘટનાને વણી લેતા અસંખ્ય જૈન તીર્થ ભારતના ખૂણે ખૂણે જોવઆ મળે છે. અખંડ ભારત અર્થાત અફઘાનિસ્તાનથી બર્મા સુધી જૈન ધર્મનો પ્રભાવ હતો તે સ્પષ્ટ જણાય છે. આ વિષય એટલો વિશાળ છે કે એના અભ્યાસ માટે એક જીંદગી પણ ઓછી પડે.
Page 89 of 307