________________
Compodium of Jainism – Part (II)
સ્વામીની મૂર્તિઓ છે. આ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ હોવાથી આ ભૂમિનો પ્રત્યેક કણ પવિત્ર છે.
કળા અને શિલ્પકામ: કમળથી ભરપુર તળાવની વચ્ચે આ જલ મંદિરનું બાંધકામ અવર્ણનીય છે. શ્વેતાંબર અને દિગંબર મંદિરોમાં પ્રાચીન મૂર્તિઓ જોવા લાયક છે. ખાસ કરીને તળાવમાં જ્યારે કમળ ખીલે છે ત્યારે આ સ્થળ મનોહર અને અતિ સુંદર લાગે છે. કમળથી વસેલા પાણીમાં પ્રતિબિમ્બિત ઝળહળતું જલ મંદિર એક ભવ્ય દ્રશ્ય છે.
D.7.1.11 શ્રી ગિરનાર તીર્થ
મૂળનાયક: શ્વેતાંબર મંદિરમાં લગભગ પાંચ ફૂટ ઊંચી કાળા આરસની નેમિનાથ ભગવાનની મૂર્તિ છે અને દિગંબર મંદિર ભગવાન નેમિનાથની કાળા રંગની મૂર્તિ છે.
તીર્થ: સૌરાષ્ટ્રમાં ગીર જંગલની ઉત્તરીય સરહદ પર ગિરનાર પર્વત સ્થિત છે.
ઇતિહાસ: બાવીસમાં તીર્થંકર ભગવાન નેમિનાથના દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકના કારણે ગિરનાર પર્વત એક ધાર્મિક પવિત્ર સ્થળ છે. યુવાન રાજકુમાર નેમીકુમાર તે સમયના ક્રૂર રિવાજથી નિરાશ થઈ ગયા. જ્યારે તેઓએ જોયું કે તેમના લગ્નમાં મહેમાનોના ભોજન માટે સેંકડો પ્રાણીઓને કતલ કરવાના હેતુથી વાડામાં રખાયા હતા. આ અન્યાયમાં પોતે કારણભૂત હોવાની અનુભૂતિ થતા તેઓએ પોતાની બધી વસ્તુઓનો ત્યાગ કર્યો. તેઓ સાધુ બન્યા અને સર્વ જીવોને દુઃખમાંથી મુક્ત કરવાના માર્ગની શોધમાં ગિરનાર પર્વત પર ગયા. નેમિનાથના પગલે પગલે કન્યા રાજુલ (રાજિમતી)એ પણ દીક્ષા લીધી અને લાંબી તપસ્યા પછી અહીં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અન્ય ઘણા ઋષિઓને અહીં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. તેથી પ્રાચીનકાળથી અહીં ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે. પ્રથમ આગમ આચારાંગ સૂત્રમાં ગિરનાર વિશેનો સંદર્ભ આ તીર્થની પ્રાચીનતા સૂચવે છે. કેટલાક જૈન સાહિત્યકારો પણ આ મંદિરોના સમય અંતરે પુનર્નિર્માણનો
ઉલ્લેખ કરે છે.
કલા અને શિલ્પકામ: ગિરનાર પર્વત સમુદ્રની સપાટીથી ૧૧૧૭ મીટરની ઊંચાઈએ વધતા જ્વાળામુખીના મૂળમાંથી બનેલી પાંચ વિશાળ શિલા રચના છે. પાંચ ટોચ પર સુંદર શિલ્પવાળા ૧૬ મંદિરો ભારતના જૈન મંદિરોમાં સૌથી પ્રભાવશાળી છે. પ્રથમ ટુંકને પાયાથી ૪૪૦૦ પગથિયા છે અને ત્યાં ૧૧૨૮ એડીમાં ભગવાન નેમિનાથનું કાળા રંગના ગ્રેનાઈટના મંદિરનું નિર્માણ થયું હતું. તેના સ્તંભો પર ઉત્કૃષ્ટ કોતરણી કરવામાં આવી છે અને તે અસામાન્ય રંગીન મોઝેકથી શણગારેલા છે. બીજી ટૂંકમાં અંબિકા દેવીનું મંદિર છે. ત્રીજી અને ચોથી ટૂંકમાં મુનિ શંમ્ભકુમાર અને મુનિ પ્રદ્યુમન કુમારના પગલા છે. પાંચમી ટૂંક જે પાયાથી ૧૦૦૦૦ પગથિયા છે ત્યાં ભગવાન નેમિનાથના પગલા છે. રાજુલની ગુફા, ભગવાન નેમિનાથના નાનાભાઈ રથનેમિનું મંદિર અને અન્ય કેટલાક પવિત્ર ધર્મ સ્થાન છે. પર્વતની લીલીછમ
Page 88 of 307