SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) કળા અને શિલ્પકામ: નામ પ્રમાણે મધુબન એક સુંદર જંગલ છે. આ ટેકરીની તળેટી પર ભોમિયા દાદાનું મંદિર છે જેમાં એક પ્રભાવશાળી પહાડી આકારની મૂર્તિ છે. મૂર્તિના દર્શનથી વ્યક્તિની યાત્રા પરિપૂર્ણ થાય છે. ભોમિયાદાદાના મંદિરથી થોડે દુર ડુંગર ચડવાની શરૂઆત થાય છે. આ પહાડ પર ૬ માઇલનું ચઢાણ છે. છ માઈલ આસપાસ જવા માટે અને ૬ માઈલ ઉતરાણ એમ કુલ ૧૮ માઈલની સફર છે. સમેતશિખરના મહાન પર્વત પર ૩૧ નોંધનીય ટૂંક છે. દરેક ટૂંક તીર્થંકરો, આદિ જિનો અને ગણધરોના પગલાને સમર્પિત છે. ગૌતમ સ્વામીની પહેલી ટૂંક પરથી સમેતશિખરની બધી ટૂંક જોઈ શકાય છે. મૂળનાયક શામળીયા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જલ મંદિર ટૂંકમાં સ્થાપિત થયેલ છે. તીર્થંકર ભગવાન ફક્ત આ જલ મંદિરમાં જ જોવા મળે છે. જ્યારે અન્ય ટૂંકમાં ફક્ત પગલા છે. અંતિમ ટૂંક ભગવાન પાર્શ્વનાથની છે. આ પર્વતની સૌથી ઉંચી ટેકરી ઉપર છે. જયા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું હતું ત્યાં પથ્થર પર ભગવાનના પગલાં છે. ટેકરી પરનું દ્રશ્ય શાંત, સુંદર અને ધ્યાન માટે યોગ્ય છે. ટેકરી પરથી મધુવનના મંદિરોનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. દરેક મંદિરની એક અલગ અને ભવ્ય શૈલી છે. ડુંગરની પ્રાકૃતિક સુંદરતા અવર્ણનીય છે. અનેક વીતરાગી તિર્થંકરોની નિર્વાણ ભૂમિ એવા આ મહાન તીર્થની યાત્રા પર યાત્રાળુઓ સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિમાં આવે છે. D.7.1.10 શ્રી પાવાપુરી તીવ્ર મૂળનાયક: લગભગ ૭ ઈંચ લાંબા ભગવાન મહાવીરના કાળા રંગના પગલા છે. તીર્થ: તે બિહાર રાજ્યના પાવાપુરી ગામની બહાર તળાવની મધ્યમાં છે. ઇતિહાસ: ભગવાન મહાવીરનું છેલ્લું ચોમાસુ આ સ્થાન પર હતું. અનેક રાજા અને સ્થાનિક વેપારીઓ ભગવાન મહાવીરના ઉપદેશો સાંભળવા આવ્યા હતા. ભગવાન મહાવીરે ઘણા લોકોને ઉપદેશ આપી તેમની શંકાઓ દૂર કરી દીક્ષા આપી. ૪૮ કલાક સુધી અંતિમ ઉપદેશો આપ્યા પછી ભગવાનને આ ભૂમિ પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું તેથી આ ભૂમિનું વિશેષ મહત્વ છે. આસો માસની અમાસના દિવસે જ્ઞાનનાં દીપક સમાન ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેમની ગેરહાજરીમાં લોકોએ અસંખ્ય દિવા પ્રગટાવ્યા. તે દિવસની સ્મૃતિમાં દિવાળીના દિવસે હજારો દીવાઓના પ્રકાશથી આખુ શહેર તેજસ્વી બને છે. ભગવાનના મોટાભાઈ નંદીવર્ધને એક નાનું મંદિર બનાવ્યું અને ભગવાનના અંતિમ ઉપદેશના સ્થળે તેઓના પગલા સ્થાપિત કર્યા. કહેવાય છે કે ભગવાનના અંતિમ સંસ્કાર સ્થળેથી દેવતાઓ અને અસંખ્ય માનવોએ ભગવાનના શરીરની રાખ લીધી હતી અને જેઓ રાખ મેળવી ન શક્યા તેઓએ જમીનમાં ખાડો કરી રાખ મિશ્રિત જમીનની ધૂળ લઈ ગયા. આ ખાડો મંદિર બની ગયો જે આજે જલ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં સમવસરણની રચનાની સામે મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી અને સુધર્મા Page 87 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy