Book Title: Vijay Nandansuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249112/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા–ર મહાજ્ઞાની : મહાતપસ્વી : વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ દીક્ષા અંગીકાર કર્યાં પછી માત્ર ૧૩ વર્ષ બાદ, કેવળ ૨૮ વષૅની કામળ વયે આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવે, એ એક અસાધારણ ઘટના કહેવાય. અને સાથેાસાથ ન્યાય—વાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંતમાત ડ અને કવિરત્ન જેવી પ્રત્યેક ક્ષેત્રની મહાન પદવીએથી નવાજવામાં આવે એવી લબ્ધપ્રતિષ્ઠા મહામના વિભૂતિ માનવદેહ રૂપે ચમત્કાર જ ગણાય ! એ મહામના તે વાત્સલ્યવારિધિ સઘનાયક પ. પૂ. આચાર્ય શ્રી વિજયન'દનસૂરીધરજી મહારાજ સાહેબ. પ સૌરાષ્ટ્રના એટાદ ગામે દશા શ્રીમાળી જૈન નરરત્ન શાહ હેમચંદભાઈનાં ધર્મપત્ની શ્રીમતી જમનાબાઈની કુક્ષીએ સ. ૧૯૫૫ના કારતક સુદ ૧૧ના દિવસે એક પુત્રરત્નને જન્મ થયેા. બાળકની વમાન તેજસ્વિતા અને ભાવિના પુણ્યવતા સંકેતા જોઇ ને નામ રાખવામાં આબુ' નાત્તમ. ઘરનું વાતાવરણ ધર્મમય હતું. પરિણામે નાત્તમે આલ્યકાળમાં જ પંચ પ્રતિક્રમણ, જીવવિચાર આદિક દસ્થ કરી લીધા. એમાં આધવૃત્તિને પ્રેત્સાહિત કરે એવા ખીજા મિત્રે પણ મળતા રહ્યા. આ મિત્રામાં ત્રણ તે સ`યમજીવનની ઝંખનાવાળા મળ્યા. ગુલાખચંદ, અમૃતલાલ અને લવજીભાઈ નામના એ ત્રણે મિત્રાએ સયમ સ્વીકારી ત્યાગમાગે આ. શ્રી. વિજયઅમૃતસૂરિજી, આ શ્રી વિજયલાવણ્યસૂરિજી અને મુનિશ્રી ગુરુવિજયજી નામે પ્રસિદ્ધ બન્યા. આ ચારે મિત્રાના હૃદયપરિવર્તન પાછળ પણુ એક જ ગુરુદેવની શાસનસમ્રાટની પ્રેરણા કામ કરી રહી હતી. સ’. ૧૯૬૬માં શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું એટાદમાં આગમન થયું. તેઓશ્રીનાં વ્યાખ્યાનેથી લામાં અદ્ભુત ચેતનાનો સંચાર થયા. ગુરુદેવની ચક વાણીથી અગણિત હૃદયમાં વૈરાગ્યની ભાવનાને ઉદય થયે!; એમાં ઉપરોક્ત ચારે મિત્રા મુખ્ય હતા. સંયમ સ્વીકારવામાં કુટુંબની સંમતિ મળતી ન હતી. પરિણામે, સસ્પેંસારથી-કુટુંબથી દૂર ભાગીને પણ દીક્ષા લેવાની દૃઢ મનેવૃત્તિ રાખી, પહેલાં નરોત્તમદાસ ભાગ્યા અને અમદાવાદ આવીને પૂજ્યશ્રીને સંયમ આપવા વન'તી કરી. પરંતુ નરોત્તમભાઈ ને એ શકય નહી લાગતા એમના વિદ્વાન શિષ્ય પંન્યાસશ્રી પ્રતાપવિજયજી પાસે જઈને સ. ૧૯૭૦ના મહા સુદ બીજના વળાદ ( અમદાવાદ )માં ચારિત્ર લઈ ને પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી, અને નરોત્તમભાઈમાંથી મુનિશ્રી ન ંદનવિજયજી અન્યા. માતા-પિતા અને ભાઈ એના ધમપછાડા વચ્ચે તેઓશ્રી મેરુ સમાન અડગ રહ્યા. બે ચાતુર્માંસ પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી મહારાજ સાથે કરી, પછી પોતાના તારક ગુરુદેવનાં ચરણકમળમાં ઉપસ્થિત થયા અને તેએશ્રીની અવિરત સેવામાં તન્મય રહેવા લાગ્યા. વિદ્યાભ્યાસ : ગુરુસેવા સાથે સાથે અધ્યયન-તપમાં પણ સતત મગ્ન રહેવા લાગ્યા. કાશીના પ્રકાંડ પંડિત શ્રી શશીનાથ ઞા પાસે ન્યાય, વેદાંત, દનનો તલસ્પર્શી અભ્યાસ કર્યાં. 2010-04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પંડિત શ્રી મુકુંદ ઝા પાસે વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ કર્યાં. પૂ. ગુરુભગવ`ત પાસે આગમનું ઊંડું જ્ઞાન સ`પાદન કયું. ઉપરાંત, જ્યાતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રને પણ સર્વાંગી અભ્યાસ કર્યાં. અધ્યયન સાથે ગુરુસેવાને આદશ આત્મસાત કર્યા હતા, તેથી ઉડ્ડયન દનની જોડી ગુરુસેવાના દૃષ્ટાંતરૂપ બની રહી. તેઓશ્રીની વિદ્વત્તા પારખીને સ. ૧૯૮૦માં પૂ. શાસનસમ્રાશ્રીએ પંન્યાસપદવીથી અલ કૃત કર્યાં. આ પ્રસંગે સાક્ષર શ્રી આન ંદશંકર ધ્રુવ અને મહાકવિશ્રી ન્હાનાલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવિધાનથી પ્રભાવિત થયા હતા. અજોડ વિદ્વત્તા : તેએશ્રીની વિદ્વત્તાથી સવ પ્રભાવિત થતા. પૂજ્યશ્રી છએ દનનુ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. જૈનસમાજના અગ્રગણ્ય પડિત-પડિંત શ્રી બહેચરદાસ દેશી, ૫. ભગવાનદાસ, પ. હીરાભાઈ તથા ૫. સુખલાલજી જેવા પણ એમની પાસે ચર્ચા માટે આવતા. તે સમયના ખંભાતના નવાબી રાજ્યના પેાલીસ સુપ્રિટેન્ડન્ટ શ્રી ખાપટ સાહેબ પણ કલાર્કા સુધી રાજ વેદાંતચર્ચા કરતા, એવી જ રીતે, જ્યાતિષશાસ્ત્રના પ્રકાંડ પડિત યાતિષાચા શ્રી ગિરજાશ’કર મયાશંકર તે તેએશ્રીને ગુરુ તરીકે જ માનતા હતા. પૂજ્યશ્રીની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ અજોડ હતી જેને લીધે અનેક શાસનપ્રભાવનાનાં કાર્યોંમાં તેઓશ્રીને સુપરિણામગામી સુયશ પ્રાપ્ત થયા. સ.૧૯૯૦માં અમદાવાદમાં ભરાયેલ શ્રી રાજનગર જૈન શ્વે. મૂ. જૈનમુનિ સંમેલનમાં જરૂરી વિષયા અંગે નિર્ણય કરવા સમિતિ નીમી હતી. તે સમિતિના ૧૧ વિષયે વિશેના નિયને ચકાસવા માટે ચાર મુનિવરેશને નીમવામાં આવ્યા હતા, તેમાં આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયાન'નસૂરિજી પણ હતા. શ્રી વીર પરમાત્માની ૨૫૦૦મી નિર્વાણુ શતાબ્દી સમયે જાગેલા વાદ-વિવાદ અને વિરોધ-વટાળમાં તેઓશ્રીની કુશાગ્ર બુદ્ધિશક્તિથી જ એ મહામહોત્સવ નિષિને પાર પડ્યો હતા. એવી જ રીતે, સં. ૨૦૩૨માં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર નવિનમિ ત બાવન જિનાલયનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગામાં તેમનુ માર્ગદર્શન જ સમાન્ય રહ્યું હતું. શાસનપ્રભાવક આચાય પદાલંકૃત : અપૂર્યાં વિદ્વત્તાથી આકર્ષાઈ ને દસમે વર્ષે પન્યાસપત્તથી વિભૂષિત કર્યાં અને શાસનસેવાના અદમ્ય ઉત્સાહનાં દર્શન થતાં, તેમનાથી પ્રભાવિત થઈ ને દીક્ષાના તેરમે વર્ષે તે આચાય પદથી અલંકૃત કરવામાં આવ્યા. સ. ૧૯૮૩માં રાજનગરના અગ્રણી શેઠશ્રી જમનાદાસ ભગુભાઈના આત્મશ્રેયાર્થે એમનાં ધર્મપત્ની માણેકબહેને પોતાના બંગલે માટે બ કરીને ૫૧ છેાડનુ ભવ્ય ઉજમણું કર્યું હતું. તે પ્રસ ંગે પૂ.શાસનસમ્રાટશ્રીએ રાજનગરના સંઘની વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રીને આચાય પદ્મથી વિભૂષિત કર્યા, અને ચાર બિરુદાથી નવાજ્યા. આ પ્રસગે ધ્રાંગધ્રાના મહાઅમાત્મ શ્રી માનસિંહજીએ હાજર રહીને આચાર્ય શ્રીને કામળી એઢાડી સન્માન્યા હતા. ૨૮ વર્ષની નાની વયે આચાય પદ આપવામાં આવ્યું. તેથી જૈનસમાજમાં ઊહાપોહ થઈ ગયા હતા. એમાં વિદ્યાશાળા અગ્રેસર હતી. તેના અગ્રણી શેઠ શ્રી માહનભાઈ ગોકુલભાઈની વિનંતીથી આ નૂતન આચાર્યશ્રી ત્યાં વ્યાખ્યાન આપવા ગયા. અને એવા અપૂર્વ પ્રભાવ પડ્યો કે વિરોધ કરનારા શ્રેતાવગ દિગ્મૂઢ બનીને સાંભળી રહ્યો. એટલું જ નહિ, એક મારવાડી ગૃહસ્થે તે પોતાની પાસેના તમામ રૂપિયા સભામાં ઉછાળીને આચાર્યશ્રી પ્રત્યે પુજ્ય 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-ર ભાવ વ્યક્ત કર્યો ! અને વિરોધ કરનાર વિદ્યાશાળાએ જ સર્વ પ્રથમ ચાતુર્માસ માટે વિનંતી કરી ! મહાન જીવનકાર્યો : પૂજ્યશ્રીએ સતત અભ્યાસ મગ્ન રહીને અનેક ગ્રંથની રચના કરી. જૈન સ્તોત્રસંગ્રહ, જેના સિદ્ધાંત મુક્તાવલી, સૂરિસ્તવ-શતક, જેન તર્કસંગ્રહ, શ્રી કદંબગિરિ તેત્ર, બીજા કર્મગ્રંથની ટીકા (શ્રી સ્તવ-પ્રકાશ), ચેથા કર્મગ્રંથની ટીકા (ષડશીતિ પ્રકાશ), સમુદ્ધાતતત્વ, સ્યાદ્વાદરહસ્ય પત્રવિવેચન, પ્રતિષ્ઠાતત્ત્વ, શ્રી પર્યુષણ પર્વ તિથિવિનિશ્ચય, શ્રી પાવતી તેત્ર, શ્રી ગુજરાતી સ્તોત્રસ્તાવનાદિ ગ્રંથે મુખ્ય છે. પૂજ્ય ગુરુભગવંતના સ્વર્ગવાસ સુધી અખંડ 33 વર્ષ પર્યત એકધારી સેવા કરનાર પૂજ્યશ્રીની ગુરુભક્તિ પણ અનન્ય કહી શકાય એવી હતી અને સમય પૂ. ગુરુભગવંતનું પડિલેહણ - સંથારો કરે, કાપ કાઢ, ગોચરી અને સુશ્રષા કરવી—એ તેમને નિત્યક્રમ હતો. આ ઉપરાંત, 65 વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન પૂજ્યવરને હાથે સફળતાથી પાર પાડેલા શાસનપ્રભાવનાનાં કાર્યોની યાદી તે અત્યંત લાંબી બને તેમ છે. તેમાં, મહુવામાં શ્રી નેમિવિહાર પ્રસાદ, શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસર, મારવાડમાં રાણકપુરજી મહાતીર્થ, અમદાવાદમાં હઠીસિંહની વાડીનાં ઐતિહાસિક દેરાસર, મહુવામાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ, પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની છાયામાં અસંખ્ય જિનબિંબની પ્રતિષ્ઠા અને અંજનશલાકાના અનેકાનેક મહત્સવે તેઓશ્રી હસ્તે ઊજવાયા હતા. આ સ્પરાંત, અનેક મુનિવરેને ગણિ-પંન્યાસપદ અને ઉપાધ્યાય તેમ જ આચાર્યપદ અર્પણ કરવાનો ઉત્સવ પણ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયા હતા. અનેક તીર્થસ્થાનેથી સંઘયાત્રા કાઢવામાં પૂજ્યશ્રી પ્રેરણાસ્થાને રહ્યા. એમાં સં. ૨૦૧લ્લા કપડવંજથી શેઠ શ્રી રમણલાલ દિલ્હીવાળા તરફથી શ્રી કેશરિયાજી તીર્થયાત્રા-સંઘપ્રયાણ યાદગાર બનાવ હતો. આ સંઘમાં રેકડેની સંખ્યામાં છરી પાળ જનસમુદાય હતો ! તદુપરાંત, પ્રાચીન જિનાલને જીર્ણોદ્ધાર, ગુરુમંદિરની પ્રતિષ્ઠા, અનેક વ્રત–જપતપની આરાધનાઓ, પૂ. ગુરુદેવના “શ્રી શાસનસમ્રાટ' ગ્રંથને ઉદ્દઘાટન-સમારેહ આદિ અનેકવિધ કાર્યોથી પૂજ્યશ્રીની જીવનરેખાઓ સપ્તરંગી બનીને ઝળકી રહી હતી! સં. ૨૦૩રના માગશર વદ ૧૪ની સાંજે પૂજ્યશ્રી શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ કર્યું, ત્યાં સુધી સતત શાસનપ્રભાવનામાં મગ્ન રહ્યા ! આ વૃત્તિપ્રવૃત્તિના સુપરિણામરૂપ પૂજ્યશ્રી વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ મૂક્તા ગયા. પંન્યાસ શ્રી સેમવિજ્યજી તથા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી તેમ જ મુનિશ્રી અમરવિજયજી, અમરચંદ્રવિજયજી વાચસ્પતિવિજયજી આદિ મુનિવરે અને તેઓશ્રીને પણ શિષ્ય-પ્રશિષ્યની ભવ્ય પરંપરા પૂજ્યવરના “વાત્સલ્યવારિધિ' બિરુદને મૂર્તિમંત કરે છે. (સંકલનકર્તા મુનિશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ). 2010_04