SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પંડિત શ્રી મુકુંદ ઝા પાસે વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ કર્યાં. પૂ. ગુરુભગવ`ત પાસે આગમનું ઊંડું જ્ઞાન સ`પાદન કયું. ઉપરાંત, જ્યાતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રને પણ સર્વાંગી અભ્યાસ કર્યાં. અધ્યયન સાથે ગુરુસેવાને આદશ આત્મસાત કર્યા હતા, તેથી ઉડ્ડયન દનની જોડી ગુરુસેવાના દૃષ્ટાંતરૂપ બની રહી. તેઓશ્રીની વિદ્વત્તા પારખીને સ. ૧૯૮૦માં પૂ. શાસનસમ્રાશ્રીએ પંન્યાસપદવીથી અલ કૃત કર્યાં. આ પ્રસંગે સાક્ષર શ્રી આન ંદશંકર ધ્રુવ અને મહાકવિશ્રી ન્હાનાલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવિધાનથી પ્રભાવિત થયા હતા. અજોડ વિદ્વત્તા : તેએશ્રીની વિદ્વત્તાથી સવ પ્રભાવિત થતા. પૂજ્યશ્રી છએ દનનુ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. જૈનસમાજના અગ્રગણ્ય પડિત-પડિંત શ્રી બહેચરદાસ દેશી, ૫. ભગવાનદાસ, પ. હીરાભાઈ તથા ૫. સુખલાલજી જેવા પણ એમની પાસે ચર્ચા માટે આવતા. તે સમયના ખંભાતના નવાબી રાજ્યના પેાલીસ સુપ્રિટેન્ડન્ટ શ્રી ખાપટ સાહેબ પણ કલાર્કા સુધી રાજ વેદાંતચર્ચા કરતા, એવી જ રીતે, જ્યાતિષશાસ્ત્રના પ્રકાંડ પડિત યાતિષાચા શ્રી ગિરજાશ’કર મયાશંકર તે તેએશ્રીને ગુરુ તરીકે જ માનતા હતા. પૂજ્યશ્રીની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ અજોડ હતી જેને લીધે અનેક શાસનપ્રભાવનાનાં કાર્યોંમાં તેઓશ્રીને સુપરિણામગામી સુયશ પ્રાપ્ત થયા. સ.૧૯૯૦માં અમદાવાદમાં ભરાયેલ શ્રી રાજનગર જૈન શ્વે. મૂ. જૈનમુનિ સંમેલનમાં જરૂરી વિષયા અંગે નિર્ણય કરવા સમિતિ નીમી હતી. તે સમિતિના ૧૧ વિષયે વિશેના નિયને ચકાસવા માટે ચાર મુનિવરેશને નીમવામાં આવ્યા હતા, તેમાં આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયાન'નસૂરિજી પણ હતા. શ્રી વીર પરમાત્માની ૨૫૦૦મી નિર્વાણુ શતાબ્દી સમયે જાગેલા વાદ-વિવાદ અને વિરોધ-વટાળમાં તેઓશ્રીની કુશાગ્ર બુદ્ધિશક્તિથી જ એ મહામહોત્સવ નિષિને પાર પડ્યો હતા. એવી જ રીતે, સં. ૨૦૩૨માં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર નવિનમિ ત બાવન જિનાલયનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગામાં તેમનુ માર્ગદર્શન જ સમાન્ય રહ્યું હતું. શાસનપ્રભાવક આચાય પદાલંકૃત : અપૂર્યાં વિદ્વત્તાથી આકર્ષાઈ ને દસમે વર્ષે પન્યાસપત્તથી વિભૂષિત કર્યાં અને શાસનસેવાના અદમ્ય ઉત્સાહનાં દર્શન થતાં, તેમનાથી પ્રભાવિત થઈ ને દીક્ષાના તેરમે વર્ષે તે આચાય પદથી અલંકૃત કરવામાં આવ્યા. સ. ૧૯૮૩માં રાજનગરના અગ્રણી શેઠશ્રી જમનાદાસ ભગુભાઈના આત્મશ્રેયાર્થે એમનાં ધર્મપત્ની માણેકબહેને પોતાના બંગલે માટે બ કરીને ૫૧ છેાડનુ ભવ્ય ઉજમણું કર્યું હતું. તે પ્રસ ંગે પૂ.શાસનસમ્રાટશ્રીએ રાજનગરના સંઘની વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રીને આચાય પદ્મથી વિભૂષિત કર્યા, અને ચાર બિરુદાથી નવાજ્યા. આ પ્રસગે ધ્રાંગધ્રાના મહાઅમાત્મ શ્રી માનસિંહજીએ હાજર રહીને આચાર્ય શ્રીને કામળી એઢાડી સન્માન્યા હતા. ૨૮ વર્ષની નાની વયે આચાય પદ આપવામાં આવ્યું. તેથી જૈનસમાજમાં ઊહાપોહ થઈ ગયા હતા. એમાં વિદ્યાશાળા અગ્રેસર હતી. તેના અગ્રણી શેઠ શ્રી માહનભાઈ ગોકુલભાઈની વિનંતીથી આ નૂતન આચાર્યશ્રી ત્યાં વ્યાખ્યાન આપવા ગયા. અને એવા અપૂર્વ પ્રભાવ પડ્યો કે વિરોધ કરનારા શ્રેતાવગ દિગ્મૂઢ બનીને સાંભળી રહ્યો. એટલું જ નહિ, એક મારવાડી ગૃહસ્થે તે પોતાની પાસેના તમામ રૂપિયા સભામાં ઉછાળીને આચાર્યશ્રી પ્રત્યે પુજ્ય Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249112
Book TitleVijay Nandansuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size122 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy