SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા–ર મહાજ્ઞાની : મહાતપસ્વી : વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ દીક્ષા અંગીકાર કર્યાં પછી માત્ર ૧૩ વર્ષ બાદ, કેવળ ૨૮ વષૅની કામળ વયે આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવે, એ એક અસાધારણ ઘટના કહેવાય. અને સાથેાસાથ ન્યાય—વાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંતમાત ડ અને કવિરત્ન જેવી પ્રત્યેક ક્ષેત્રની મહાન પદવીએથી નવાજવામાં આવે એવી લબ્ધપ્રતિષ્ઠા મહામના વિભૂતિ માનવદેહ રૂપે ચમત્કાર જ ગણાય ! એ મહામના તે વાત્સલ્યવારિધિ સઘનાયક પ. પૂ. આચાર્ય શ્રી વિજયન'દનસૂરીધરજી મહારાજ સાહેબ. પ સૌરાષ્ટ્રના એટાદ ગામે દશા શ્રીમાળી જૈન નરરત્ન શાહ હેમચંદભાઈનાં ધર્મપત્ની શ્રીમતી જમનાબાઈની કુક્ષીએ સ. ૧૯૫૫ના કારતક સુદ ૧૧ના દિવસે એક પુત્રરત્નને જન્મ થયેા. બાળકની વમાન તેજસ્વિતા અને ભાવિના પુણ્યવતા સંકેતા જોઇ ને નામ રાખવામાં આબુ' નાત્તમ. ઘરનું વાતાવરણ ધર્મમય હતું. પરિણામે નાત્તમે આલ્યકાળમાં જ પંચ પ્રતિક્રમણ, જીવવિચાર આદિક દસ્થ કરી લીધા. એમાં આધવૃત્તિને પ્રેત્સાહિત કરે એવા ખીજા મિત્રે પણ મળતા રહ્યા. આ મિત્રામાં ત્રણ તે સ`યમજીવનની ઝંખનાવાળા મળ્યા. ગુલાખચંદ, અમૃતલાલ અને લવજીભાઈ નામના એ ત્રણે મિત્રાએ સયમ સ્વીકારી ત્યાગમાગે આ. શ્રી. વિજયઅમૃતસૂરિજી, આ શ્રી વિજયલાવણ્યસૂરિજી અને મુનિશ્રી ગુરુવિજયજી નામે પ્રસિદ્ધ બન્યા. આ ચારે મિત્રાના હૃદયપરિવર્તન પાછળ પણુ એક જ ગુરુદેવની શાસનસમ્રાટની પ્રેરણા કામ કરી રહી હતી. સ’. ૧૯૬૬માં શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું એટાદમાં આગમન થયું. તેઓશ્રીનાં વ્યાખ્યાનેથી લામાં અદ્ભુત ચેતનાનો સંચાર થયા. ગુરુદેવની ચક વાણીથી અગણિત હૃદયમાં વૈરાગ્યની ભાવનાને ઉદય થયે!; એમાં ઉપરોક્ત ચારે મિત્રા મુખ્ય હતા. સંયમ સ્વીકારવામાં કુટુંબની સંમતિ મળતી ન હતી. પરિણામે, સસ્પેંસારથી-કુટુંબથી દૂર ભાગીને પણ દીક્ષા લેવાની દૃઢ મનેવૃત્તિ રાખી, પહેલાં નરોત્તમદાસ ભાગ્યા અને અમદાવાદ આવીને પૂજ્યશ્રીને સંયમ આપવા વન'તી કરી. પરંતુ નરોત્તમભાઈ ને એ શકય નહી લાગતા એમના વિદ્વાન શિષ્ય પંન્યાસશ્રી પ્રતાપવિજયજી પાસે જઈને સ. ૧૯૭૦ના મહા સુદ બીજના વળાદ ( અમદાવાદ )માં ચારિત્ર લઈ ને પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી, અને નરોત્તમભાઈમાંથી મુનિશ્રી ન ંદનવિજયજી અન્યા. માતા-પિતા અને ભાઈ એના ધમપછાડા વચ્ચે તેઓશ્રી મેરુ સમાન અડગ રહ્યા. બે ચાતુર્માંસ પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી મહારાજ સાથે કરી, પછી પોતાના તારક ગુરુદેવનાં ચરણકમળમાં ઉપસ્થિત થયા અને તેએશ્રીની અવિરત સેવામાં તન્મય રહેવા લાગ્યા. વિદ્યાભ્યાસ : ગુરુસેવા સાથે સાથે અધ્યયન-તપમાં પણ સતત મગ્ન રહેવા લાગ્યા. કાશીના પ્રકાંડ પંડિત શ્રી શશીનાથ ઞા પાસે ન્યાય, વેદાંત, દનનો તલસ્પર્શી અભ્યાસ કર્યાં. Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249112
Book TitleVijay Nandansuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size122 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy