Page #1
--------------------------------------------------------------------------
________________
ત્રણ પ્રકીર્ણ અભિલેખો
લક્ષ્મણ ભોજક
શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહના ત્રણ અદ્યાવધિ અપ્રકટ રહેલ અભિલેખોની. સવિવેચન વાચના અત્રે પ્રસ્તુત કરવામાં આવે છે.
આ લેખ સં ૧૧૬૦ (ઈ. સ. ૧૧૦૪)ની આરસની જિન પ્રતિમાના કપડવંજથી પ્રાપ્ત થયેલ (અને સંસ્થાને ભેટ મળેલ) પબાસણ પર અંકિત થયો છે. (લા. દ. ભૂ, ક્રમાંક ૧૨૨૫). આની નોંધ તો આગાઉ પ્રકટ થઈ ચૂકેલી છે'; પણ લેખની વાચના ત્યાં ન દીધેલ હોઈ અહીં પૂરો પાઠ આપવો ઉપયુકત છે:
[पं०१]९ संवत् ११६० श्रीचंद्रकुले श्रीवीरभद्राचार्य
संताने श्रेष्ठि नाग पापा थानट्टे हाला लाजा [go ૨) તથા શ્રાવિ પાદ પત્ર (નાર્થ?) શ્રીમદ્
अनंतस्वामि प्रतिमा मोक्षार्थं प(प्रणमंति ।। ' ચંદ્રકલના વીરભદ્રાચાર્ય આમ્નાયને અનુસરતા પરિવારે ભરાવેલી પ્રતિમા સમ્બન્ધના આ લેખમાં શ્રેષ્ઠિ નાગ પછીના પાંચ અક્ષરોનો અર્થ અસ્પષ્ટ છે, પછી આવતા (શ્રાવકોના)નામ (પાપા થાનટ્ટ ? તથા હાલા, લાજા) તથા શ્રાવિકા પાણીનું નામ બરોબર વંચાય છે. પ્રતિમા જિન અનંત(નાથ)ની છે. લેખને અંતે “મોક્ષ પ્રગતિ' જેવા બેતામ્બર સંપ્રદાય માટે અલાક્ષણિક પણ દિગમ્બર સંપ્રદાયની પરિપાટીના અભિલેખોમાં જોવા મળતા શબ્દો છે. વીરભદ્રાચાર્ય કોણ હશે તે આમ તો કહેવું કઠણ છે. ઈસ્વીસનની ૧૧મી સદીના પૂર્વાર્ધમાં એક અજ્ઞાત-ગચ્છીય વીરભદ્રાચાર્ય પ્રણીત આરાધના-પતાકા (સં૧૦૮ ઈસ. ૧૦૨૨), ભક્તપરિજ્ઞા, અને આતુરપ્રત્યાખ્યાન (તૃતીય) નામક ત્રણેક પ્રકીર્ણક વર્ગની રચનાઓ મળે છે. અભિલેખમાં એમના નામ પછી “સંતાને” શબ્દ હોવાથી તેઓ ઈ. સ. ૧૧૦૪ થી પૂર્વે થઈ ગયેલા છે એટલું તો ચોકકસ. સંભવ છે કે પ્રસ્તુત વીરભદ્રાચાર્ય જ અહીં વિવક્ષિત. હોય.
લેખનું બીજું મહત્ત્વ એ છે કે ચંદ્રકુલીન નવાંગવૃત્તિકારના પ્રશિષ્ય દેવભદ્રકૃત પાર્શ્વનાથચરિત્ર (પ્રાકૃત: વિ. સં ૧૧૬૮ / ઈ. સ. ૧૧૧૨)માં કપડવંજમાં વાયટજ્ઞાતીય શ્રેષ્ઠિ ગોવર્ધને (પ્રાય: ઈ. સ. ૧૦૫૦માં) બાવન જિનાલય કરાવેલું એવી નોંધ છે. સંભવ છે કે સંદર્ભગત પ્રતિમાની પ્રસ્તુત મંદિર અંતર્ગત કોઈ દેવકુલિકાદિમાં પ્રતિષ્ઠા થઈ હોય. વૈધે પ્રસ્તુત મંદિરનો ઉલ્લેખ ગણચંદ્રકત મહાવીરચરિય (સં૧૧૩૯ | ઈસ. ૧૮૩)માં થયેલો છે એવી નોંધ કરી છે. મંદિર વાયટગચ્છીય જીવદેવસૂરિશિષ્ય જિનદત્તસૂરિના ઉપદેશથી બનેલું.
(૨) તારંગા પર્વત, મધ્યકાલીન તારણદુર્ગ વા તારણગઢ, પર ગર્જરેશ્વર કુમારપાળે અહંતુ અજિતનાથના મેરુપ્રાસાદનું નિર્માણ કરાવેલું. મૂળનાયકની અસલી પ્રતિમા તથા મંદિરના મૂળ પ્રશસ્તિ-લેખાદિ તો મુસ્લિમ આક્રમણ સમયે નષ્ટ થઈ ચૂકયાં છે, પરન્તુ વાઘેલાયુગ, અને તે કાળ પછીના, કેટલાક અભિલેખો બચ્યા છે ખરા, તેમાં મન્તીશ્વર વસ્તુપાળે કરાવેલ બે જિન પ્રતિમાઓના સં. ૧૨૮૪ | ઈ. સ. ૧૨૨૮ના લેખ ધરાવતા પબાસણો' તથા સં૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯ના ધર્મઘોષસૂરિની આમ્નાયના આચાર્ય ભવનચન્દ્ર દ્વારા પ્રતિષ્ઠિત બે લેખો પ્રસિદ્ધ
Page #2
--------------------------------------------------------------------------
________________
Vol. 1.1995
ત્રણ પ્રકીર્ણ અભિલેખો
૩૫
થઈ ગયા છે. આ સિવાય જીર્ણોદ્ધાર સમયે સાબુ ગોવિન્દ ૧૫મા શતકના ભરાવેલ મૂળનાયકની નવીન પ્રતિમાનો અત્યંત ઘસાયેલો લેખ પણ જેટલો વંચાયો તેટલો પ્રકાશમાં આવી ગયો છે. અઢી-ત્રણ દાયકા પૂર્વે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી થયેલ જીર્ણોદ્ધારમાં ગૂઢમંડપના એક અષ્ટકોણ સ્તબ્બ (ક્રમાંક ૮) પરથી ચૂનાદિનો લેપ ઉખેડયા બાદ નિમ્નલિખિત ૧૭ પંકિતનો લેખ પ્રકાશમાં આવ્યો છે. યથા : (જઓ સંલગ્ન ચિત્ર ૬)
(૨) ઝૂ મા સ્વતિ શ્રીમદ્ દિન(૪) (૨) પુરપાટ સંવ.૨૩૦૨ વર્ષે મા(३) द्रवा शुदि १ गुरावधेह श्री (૪) મદારજુગાધિરાજ શ્રવણ(૧) વિનય રાષે શ્રતિનિr(૬) ૮ તિgમાન શ્રીનિતા(७) मिदेवीय कल्याणकयात्रायां (૮) સંપાદુકય વળા () ત્રિ(૨) ૩-માતિ-મૃતીન શા(૨૦) T૦ તે સુત ૪૦ બT(૧૨) વ..... ના મ f a (૨)
(૨૩)
. देवअजितस्वामि
વિતા | લેખની છેલ્લી ચાર પંકિતઓ ઘસાઈ ગયેલ હોઈ તે પૂરેપૂરી વાંચવી દુષ્કર છે. સાંપ્રત લેખની સાફસફાઈ બાદનાં થોડાં વર્ષો પછી મારી મુલાકાત સમયે તે લેખ વંચાયો તેવો ઉતારી લીધેલો. તે પછી બેએક વર્ષ બાદ પ્રા. મધુસૂદન ઢાંકીએ વારાણસીસ્થિત American Institute of Indian Studies ના તસવીર-સંગ્રહમાંથી સંદર્ભગત લેખનું ચિત્ર મોકલી આપેલું, જેના આધારે કેટલીક વિશેષ સ્પષ્ટતા થઈ શકી છે.
લેખ સં. ૧૩૦૨ { ઈસ. ૧૨૪૬માં અણહિલ(લ્લ) પુરપાટકમાં (વાઘેલા) મહારાજાધિરાજ વિશળદેવનું શાસન ચાલતું હતું ત્યારે તારણિગઢ (તારણદુર્ગે) સંતિષ્ઠમાન શ્રી અજિતસ્વામિ દેવની કલ્યાણક યાત્રા સંબંધનો છે. લેખમાં સંબંધકર્તા સંઘના પ્રમુખ વણિકોનાં નામ આપ્યાં છે. સંભવતા (શ્રાવિકા) શ્રીદેવી તરફથી કોઈ દાન આપ્યાનો પ્રસંગ હોય તેમ લાગે છે.
લેખ વીસળદેવના શાસન સમયનો, અને તેનું નામ દેતો હોઈ, મહત્વનો છે.
લા. દ. ભા. સં. વિ. મું, ના સંગ્રહમાં પ્રસ્તુત અભિલેખ સફેદ આરસ પર કોતરેલ ૪૮ પદ્ય ઉપરાન્તની પ્રશસ્તિના, જમણી તરફનો બચી ગયેલા ૧/૩ ભાગપ્રાય: ૩૯ X ર૭ સે. મી. ના માપના અવશિ છે (મતિ વિભાગ નં. ૧૩). લેખ મળે ૧૯ પંકિતમાં હતો અને પંડિત દીઠ સરેરાશ ૨ થી સહેજ ઝાઝેરાં પધો
Page #3
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મણ ભોજક
Nirgrantha
કોરાયેલાં હશે. લેખની પહોળાઈ કરતાં લંબાઈ ઠીક ઠીક વિશેષ હશે. લેખ કયાંથી મળ્યો તેની નોંધ પ્રાપ્ત નથી. [पं० १] ------नानगस्य प्रभुं तं नमामि ॥१ दुःकर्मव[पं०२] --- ---[न] माम्मि भक्त्या ॥३ (?) प्राग्वाटवंश: सरल: सुपर्वये[पं०३]] --स्वर्णमयी सिद्धिरप्यभूत् सामर (?) स्य तु ॥६ दान[पं० ४] ------॥ ९ ततो यशस्विनस्तस्य यशोदेवः सुतोऽभ[पं०५] --(यद) पद्मयश्चतुर्णा जज्ञिरे क्रमात् । स्त (?) मलाशृंगारा[पं०६] ---..-किल शिरः स्थायीति बिभ्रन् मुदं पातालेशम[पं०७] ------(क) रणव्यापारसमलंकृतः । जिनाजायां यथार्था [पं०८] -----हिंडुक इति ख्यातः सुतोऽभयदमंत्रिण: । आसण: [पं०९] - -----जः ।।२३ मुनिचंद्रस्तुतोऽस्ति मोक्षसिंहो मह[पं० १०] --जेइमे । वं(१)द्या नायिकदेवीति पराजैतरि [पं०११] --परः मदनस्येति भुवि महादेवसुता (१) विश्रुतिं प्रापुः [पं०१२] -किल ॥३१ महिमराज इति प्रथितः सुतो [पं० १३] - या महानंद भगिन्यास्तनयाऽभवत् । जाडके [पं०१४] ------द उपयेमे गुणामृता । आभाक इति विख्यातः [पं० १५] व सदनस्याष्टापदस्यायि च प्रोद्धारोऽस्म भविष्य[पं०१६] ------॥४१ साहू पाल्हणदेवे (१२/) भ्यामनुमत्या स्वगोत्रिणां [पं०१७] -ऽपि सूरयः । चक्रु प्रतिष्ठा संघातः क्रम एव हियु [पं०१८] ------राजकविश्चक्रे प्रशस्ति मल्लदेवजः ॥४८ प्राग्वा [पं० १९] (ट)---देवेन कारितः ।। उत्कीर्णा सूत्र० हरिपालेन शुभं भवतु
લેખનો મોટો ભાગ આમ જતો રહેવાથી તેનો પૂરો પાઠ ઉપલબ્ધ ન હોતાં થોડીક જ વિગતો સમજી શકાય छे. प्रथम पचना भवशिष्ट य२९मा... नानगस्य प्रभु तं नमामि सरमो यश मंडावेछ. भाभा “नग"श વિવક્ષિત હોય તો પ્રશસ્તિકાર કોઈ પર્વતસ્થ જિનેન્દ્રને નમસ્કાર કરતા હોય તેવો અર્થ નીકળી શકે. (તારંગા पर्वत अभिप्रेत शे ?) योथा पधनो प्रारं "प्राग्वाटवंश" शथी थाय छेथी मना विषयना २०५६ કોઈ પોરવાડવંશીય વણિક લાગે છે. એ પછી કારાપકનું વંશવર્ણન શરૂ થતું લાગે છે. તેમાં પ્રારંભે કોઈ અગ્રપુરુષ (નામ ગયું છે)ની પ્રશસ્તિ કરી છે. પછી પંકિત ૪માં, ૧૦મા પદ્યમાં, યશોદેવના પુત્ર અભયદ)નું નામ આવે छ. मागणना पद्यो । समयानी प्रशस्ति पेशे अने तेमां [करण-व्यापार-समलंकृत श६ मावे छे तेथी ते भंत्रीय विधषित श.ति भां- हिंडुक इति ख्यातः सुतोऽभयदमंत्रिण: मेधुंवाध्य भाव मेथी અભયદ મંત્રી હતો તેવું સ્પષ્ટ થઈ જાય છે. તેના પુત્રના નામનો આગલો અક્ષર ગયો છે, પણ પૂરું અભિધાન મહિંદુક' હોવાનો સંભવ છે. એ પછી આગળ આ મહિંદુકની વંશાવળી આપી હોય તેવી કલ્પના કરી શકાય, પણ વ્યકિતઓનો સંબંધ સ્પષ્ટ નથી, ત્યાં પંકિત ૯ માં મુનિચ, મોક્ષસિંહ, મહણસિંહ ૧] સરખાં નામો મળે છે. (આગળ નષ્ટ ભાગમાં બીજા પણ હશે જે કદાચ મહિંદૂકના પુત્રો હોય. પંકિત ૧૦માં નાયિક(કી દેવી નામ આવે છે. પંકિત ૧૧માં “મદન” તેમજ પછી “મહાદેવસુતા”નો ઉલ્લેખ છે જે કદાચ મહિંદૂકના પુત્રોમાંથી
नी पत्नी होय. त्यार बाद पति १२मा “भरिभरा" पं. १३i "महानंदभगिन्यास्तनया" सरमो છે. પં. ૧૪માં “આભાક” નામ આવે છે, અને પં. ૧૫માં અષ્ટાપદના ઉદ્ધારની વાત આવે છે. પં. ૧૬માં સાહુ
Page #4
--------------------------------------------------------------------------
________________
Vol.
1995
ત્રણ પ્રકીર્ણ અભિલેખો
પામ્હણદેવ ઉલ્લિખિત છે. પં. ૧૭માં કોઈ સૂરિ દ્વારા પ્રતિષ્ઠા સંપન્ન થયાનો ઉલ્લેખ છે. પં. ૧૮માં પ્રશસ્તિકારનું નામ મલ્લદેવપુત્ર રાજકવિ પ્રાગ્વાટ [+] દેવનું નામ આપ્યું છે, અને પં. ૧૯માં લેખ કોતરનાર તરીકે સૂત્રધાર હરિપાલનું નામ આપ્યું છે.
લેખમાં અપાયેલ વ્યકિતઓમાંથી મેળ બેસી શકે છે તેમનું કોષ્ટક આ રીતે બની શકે:
પ્રાગ્વાટવંશીય
? ? ?
યશોદેવ
મંત્રી અભયદ (+)હિંડુ(દુક (મહિંદુક)
મુનિચન્દ્ર
મોક્ષસિંહ
મહાણિસિંહ)
નાયિકીદેવી, મહિમરાજ, આભાક, સાહુ પામ્હણદેવ આદિનો ઉપરની વ્યકિતઓ સાથેનો સંબંધ બેસાડી શકાતો નથી. પણ તે આગળની એકાદ બે વિશેષ પેઢીઓના સભ્યો હોઈ શકે છે.
લેખના અક્ષરો મોટા છે, તેની લિપિ ઈસ્વીસનના તેરમા શતકના ઉત્તરાર્ધ અને ચૌદમા શતકના પ્રારંભની જણાય છે. લેખમાં કહેલ યશોદેવ-પુત્ર મંત્રી અભયદ તે અન્ય કોઈ નહીં પણ કુમારપાળનો દંડનાયક, જસદેવનો પુત્ર અભયડ છે. એની દેખરેખ નીચે કુમારપાળે તારંગા પર પ્રસિદ્ધ અજિતનાથનો (મેરુ જાતિનો) પ્રાસાદ (પ્રાય: ઈ. સ. ૧૧૬૦-૧૧૬૬ના અરસામાં) બંધાવેલો એવું સમીપકાલિક સ્રોત બૃહદગચ્છીય સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ ( ઈ. સ. ૧૧૮૫) પરથી સિદ્ધ છે. અભયદ ભીમદેવ દ્વિતીયના સમયમાં કર્ણાવતીનો દંડનાયક હતો, અને બૃહચ્છીય વાદી દેવસૂરિના સંતાનીય ચૈત્યવાસી પ્રદ્યુમ્નસૂરિના આમ્નાયમાં ઉપાસક હતો. પ્રસ્તુત શિલાલેખ સોલંકીયુગના એક પ્રસિદ્ધ મંત્રીવંશનો હોઈ, ખંડિત હોવા છતાં પણ, મહત્ત્વનો છે. લેખ પૂર્ણ રૂપે મળી શક્યો હોત તો ગુજરાતના મધ્યકાલીન રાજકીય, સાંસ્કૃતિક તેમ જ ધાર્મિક ઇતિહાસના એક અજ્ઞાત પાસા પર નવીન જ પ્રકાશ લાધી શકાયો હોત. પ્રશસ્તિકાર મલ્લદેવનો પુત્ર દેવાન્ત નામધારી કોઈ રાજકવિ હતો. એના વિષે તો ભવિષ્યમાં કોઈ સ્રોતમાંથી પ્રકાશ પડી આવે ત્યારે ખરી. લેખનો સમય ઈસ્વીસનની ૧૩મી શતીના ઉત્તરાર્ધનો હશે. શિલા કોરનાર શિલ્પી સૂત્રધાર હરિપાલ હતો.
ટિપ્પણો :
૧. જુઓ પોપટલાલ દોલતરામ વૈધ, કપડવંજની ગૌરવગાથા, આગમોદ્ધારક ગ્રંથમાળા, કપડવણજ (કપડવંજ) ૧૯૮૪, પૃ. ૬, ૮,
અને ૧૮૭, તથા ચિત્ર ૩. ૨. પોપટલાલ વૈધ શ્રેષ્ઠિ યશોનાગ એવું વાંચે છે અને શ્રાવિકાનું નામ પાલિ વાંચે છે તે બરોબર નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________
લક્ષમણ ભોજક
Nirgrantha
૩. જુઓ અમૃતલાલ મોહનલાલ ભોજક, રૂકુત્તા જૈન-આગમ-ગ્રન્થમાલા ગ્રન્થાંક ૧૭ (ભાગ ૧), મુંબઈ ૧૮૪,
પ્રસ્તાવના,” પૃ. ૫૫-૫૬, તથા તેમાં જ મુનિ પુણ્યવિજયજી, “મૈનમામ સંબંધિત સંક્ષિપ્ત વત્તા જ,'' પૃ. ૧૮. X. zu Catalogue of Palm-leaf Manuscripts in the Santinatha Jain Bhandar Cambay (Ed. Muni
Punyavijaya), G. O. s. No. 149, Baroda 1966, p. 342. ૫. વૈદ્ય, કપડવંજની), પૃ૬-૮. ૬. જુઓ જિનવિજય, prીન જૈન તે , શ્રી જૈન આત્માનન્દસભા-ભાવનગર ૧૯૨૯, પૃ. ૩૨૭-૩૨૮, લેખાંક ૫૪૩. ૭. જુઓ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વ સંરહ, ભાગ પહેલો, અમદાવાદ ૧૫૩, પૃ૦ ૧૪૯. ૮. વિમલવસહી, દેલવાડા, (આબૂ)માં નેટ મંત્રીના સં૧૨૦૧ / ઈ. સ. ૧૧૫૫ના અભિલેખમાં “અહિંદુક” નામ આવે છે: એથી
એવું નામ બારમી શતકમાં પડતું હતું તેવું પ્રમાણ મળી રહે છે. (જુઓ મુનિ જયન્તવિજય, અબૂ ભાગ બીજો, ઉજ્જૈન વિ.
સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૮), લેખાંક પ૧, પૃ૦ ૨૬. ૯. મૂળ ગ્રન્થમાંથી પ્રસ્તુત ઉદ્ધરણ માટે જુઓ, ૧૦ તo To 8, પૃ ૧૪૭, પાદટીપ ૩. ૧૦. વૃદહરતરાજુવતિ ને આધારે આ વિષય પર વિરોષ ચર્ચા માટે જુઓ મધુસૂદન ઢાંકી, “સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક
ઉપેક્ષિત પાત્રોમાં સ્વાધ્યાય ગ્રંથ ૧૪, ક્રમાંક ૩, વિસં. ૨૦૩૩ (ઈ. સ. ૧૯૭૭), પૃ૦ ૨૨૪-૨૨૯. ૧૧. સોલંકી યુગમાં ગુજરાતમાં નાનાંમોટાં બસોએક જેટલાં જૈન મંદિરો બંધાયેલાં, જેમાંનાં છ ટકાનો નાશ મુસ્લિમ આક્રમણો
તથા શાસન દરમિયાન થઈ ચૂકયો છે. આ કારણસર પ્રસ્તુત મંદિરોના પ્રશસ્તિલેખો પણ વિનષ્ટ થયા છે. કયાંક કયાંક ટુકડાઓ મળી આવે છે, જેમકે ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિનો લેખ, ગિરનાર પર ઉદયન મંત્રીના વંશજોનો પ્રશસ્તિ લેખ, ઇત્યાદિ. (અહીં તારંગાના અજિતનાથના મંડપના સ્તંભલેખનું ચિત્ર American Institute of Indian Studies, Varanasi ના સૌજન્ય અને સહાયથી પ્રકટ કર્યું છે.)
Page #6
--------------------------------------------------------------------------
________________ 1. અજિતનાથના મેરુપ્રાસાદ ગૂઢમંડપના સ્તમ્ભ પરનો સં.નો અભિલેખ. LOii. વિકાનો ન97)" છે તારી મારી