Book Title: Shriman Pundit Sukhlalji
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230249/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી વિદ્યાગુરુ—શ્રીમાન પૉંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગે છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા વનમાં મે' જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુએ અને ગૃહસ્થ વિદ્યાગુરુએ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું એ વ્યક્તિને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યપ્રવર, સતત જ્ઞાનેાપાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારાના ઉદ્ઘારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સોંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનુ છે, જેએ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે. જીવનના ચૌદમે વર્ષે મને મારી જન્મદાત્રી અને ધર્માદાત્રી માતાએ (જે આજે વૃદ્ધાવસ્થામાં જીવંત છે અને જેમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી છે) તેમનાં ચરણામાં સાંપ્યા અને તેમનાં જ શ્રીચરણામાં હું દીક્ષા અને શિક્ષા પામ્યા. મારી ચેાગ્યતાનુસાર · તેઓશ્રીએ અતિયેાગ્યતાપૂર્વક મને અનેક વિષયોની જાતે તેમ જ અનેક પંડિતા દ્વારા ક્રમિક શિક્ષા આપી. અનેક પ્રકારનાં કાર્યોની કુશળતાની પ્રાપ્તિ પણ મતે તેમના જ દ્વારા થઈ છે અને તેમના જીવનમાંથી મેં ઘણી ઘણી પ્રેરણા અને યોગ્યતા મેળવી છે. આજે મારામાં જે કાંઈ છે તેનુ મૂળ આ ગુરુદેવ જ છે. ખીજુ` સ્થાન પડિત શ્રી સુખલાલજીનુ છે, જેમણે મને એકાંત આત્મીય ભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયાનુ' જ્ઞાન પુસ્તકે દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનના યોગ જ કોઇ એવા વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યમાં પરાવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અલ્પ કરી શકયો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુરુઓને એવા પ્રેમ હતા કે જેથી આજે મારી એ ઊણપ કોઈની નજરે નથી આવતી; છતાં એ વાત તેા દીવા જેવી છે કે મારુ અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યાં છે. એ ગુરુઓમાંથી એક ચુસ્ત્રી કે જેએ મારા જીવનનું સર્વસ્વ હતા, તે તેા આજે સ્વવાસી થઈ ચૂકયા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરુ છુ.. આજે જ્યારે પણ હુ` મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્યવ્યસ્ત હાય તેમ છતાં, પેાતાનું દરેક મહત્ત્વનું કાર્યાં છેડીને પણ મારી સાથે અનાકુળપણે પેાતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતા કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી [ ૨૯૧ અને ફુરણાઓ જાગે છે. ઉપર હું કહી આવ્યો છું કે મારા જીવનમાં મેં અધ્યયન ઘણું ઓછું કર્યું છે, તે છતાં મારા વિદ્યાગુરુશ્રીએ પ્રસંગે પ્રસંગે અનેકવિધ દાર્શનિક, શાસ્ત્રીય આદિ અનેક વિષયો મોટેથી જ એવી રીતે સમજાવ્યા છે, જેથી આજે લગભગ અનાબાધપણે હું મહાશાસ્ત્રોમાં પ્રવેશ કરી શકું છું. આ રીતે મેં મારા જીવનમાં બે ગુરુઓ દ્વારા જીવંત પ્રેરણા મેળવી છે. તેમાં શ્રીમાન પંડિતજીનું સ્થાન પણ અતિ વિશિષ્ટ છે. હું આ બંને ગુરુઓને અંતરમાંથી કદીયે વિસારી શકું તેમ નથી. જ્ઞાનગાંભીર્ય અને પ્રતિભા–શ્રીમાન પંડિતજીએ તેમના જીવનમાં સર્વદેશીય જ્ઞાનની સાધના કરી છે. તેમનું જ્ઞાન કેઈ એક વિષયને લક્ષીને છે તેમ નથી. પણ તેમનું જ્ઞાન ઘણું વ્યાપક અને વિશ્વતોમુખી છે. જૈનસંઘમાં તેમની જોડી ભાગ્યે જ મળી શકે એટલું જ્ઞાન પંડિતજી ધરાવે છે. જૈન દાર્શનિક, આમિક અને કર્મવાદ વિષયક સાહિત્યનું તેમણે ઘણું ઊંડાણથી અવગાહન કર્યું છે. ન યુગમાં જેનદર્શનમાન્ય અનેકાન્તવાદ વિશે તેઓએ તલસ્પર્શી ચિંતન કર્યું છે અને એ વિશેના સંખ્યાબંધ ચિંતનપૂર્ણ લેખો તેઓશ્રીએ લખ્યા છે, જેને આજે જૈનાચાર્યો અને જૈન મુનિવર્ગ આદરથી જુએ છે. જેનેતર દાર્શનિક સાહિત્ય, ઉપનિષદો આદિનું અધ્યયન અને ચિંતન પણ તેઓશ્રીએ એટલા જ ઊંડાણથી કર્યું છે, અને જ્યારથી તેમણે ઈલિશ ભાષાને સ્વાયત્ત કરી તે પછી તો તેમણે સેંકડો પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનોએ લખેલા તત્વચિંતનપૂર્ણ સંખ્યાબંધ ગ્રંથનું અવગાહન કરી પોતાના જ્ઞાનને અમર્યાદિત બનાવ્યું છે. એ જ કારણ છે કે શ્રીમાન પંડિતજી જ્યારે પણ એકના એક વિષયને ફરી ફરી ચર્ચે છે, ત્યારે પણ તેમાં નવીનતા અને પ્રૌઢતાનું સૌને દર્શન થાય છે. પંડિતજીની પ્રતિભા પણ એવી છે કે જેથી તેઓ પ્રત્યેક વિષયને ગંભીર રીતે સ્વાયત્ત કરી લે છે. આજે આટલી ઉંમરે પણ પંડિતજીનો શાસ્ત્રવ્યાસંગ લેશ પણ ઓછો થયો નથી. પોતાની પ્રકૃતિને સ્વસ્થ રાખવા પંડિતજી ઘણું ઘણું લાંઘણો અને અર્ધલાંધણ ખેંચી કાઢે છે, પરંતુ જ્ઞાનોપાસનાની લાંઘણ તેઓ ભાગ્યે જ કરે છે. ગમે તેવી પરિસ્થિતિમાં દિવસે કે રાતે શ્રીમાન પંડિતજીનું તત્વચિંતન નિરાબાધપણે ચાલતું જ હોય છે. શ્રીમાન પંડિતજી માત્ર શાસ્ત્રનિષ્ણાત કાશીના પંડિત જેવા પંડિત નથી, પરંતુ તેઓ ધાર્મિક, સામાજિક, રાજકીય, ભાષાશાસ્ત્ર આદિ અનેક વિષયોનું ઊંડું જ્ઞાન ધરાવે છે. એ જ એમના જ્ઞાનગાંભીર્યનું સાધક બન્યું છે. આજે મને બાસઠ વર્ષ થવા આવ્યા છે. તેમાં હું લગભગ મારા બાળપણથી જ એટલે કે વીસ વર્ષની ઉંમરે શ્રીમાન પંડિતજીનો વિદ્યાર્થી બન્યો છું. મેં પંડિતજીને સતત અધ્યયનપરાયણ અને ચિંતનપરાયણ જ જોયા છે. વિવિધ શાસ્ત્રોના વિવિધ વિષયોની તેમણે એક જ દષ્ટિએ છણાવટ કરી છે. તેમાં વિચારપરાક્ષુખ સાંપ્રદાયિક ભાવનાને કદીયે સ્થાન આપ્યું નથી. તે છતાં તેઓશ્રીએ સાંપ્રદાયિકતાને કદીયે નિરુપયોગી માની નથી; પરંતુ એ સાંપ્રદાયિકતા એવી ન હોવી જોઈએ કે જીવન-વિકાસના માર્ગ અને સત્ય-જ્ઞાનની આરાધનામાં બાધક થાય. શ્રીમાન પંડિતજીએ જેનદર્શનના આ વ્યાપક દષ્ટિબિંદુને લક્ષમાં રાખીને વિદ્યાસાધના કરી છે તેથી જ તેમની દષ્ટિ અતિ ગંભીર, સત્યાથી અને તાવિક બની છે. ધારણુશક્તિ–શ્રીમાન પંડિતજી કે શતાવધાની નથી, તે છતાં તેમની સ્મરણશક્તિ અતિ જીવંત છે. જીવનના આદિકાળથી તેમણે જે જે અધ્યયન કર્યું છે એ બધા વિષે આજે પંડિતજીને માટે તાજા જ જોવામાં આવે છે. મોટે ભાગે અધ્યયન કરનાર માટે એવું હોય છે કે જે વિષયને . જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તે તે સાજાતાજા હોય છે, પણ પાછળથી તે નહિવત બની જાય Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] જ્ઞાનાંજલિ છે, જ્યારે પંડિતજી માટે તેમ નથી. દા.ત., પડિતજીને આપણે કોઈ સંસ્કૃત ભાષાના પ્રયાગ વિષે કાંઈ પૂછીએ કે આ શબ્દપ્રયાગ વિષે કેમ સમજવું, ત્યારે પંડિતજી સિદ્ધહેમવ્યાકરણના અધ્યાય, પાદ અને સૂત્ર સુધ્ધાંને નંબર આપીને આપણતે જવાબ આપશે. એ જ રીતે બીજા વિષયામાં પણ આપણે પૂછીશું તે। તે તે વિષયનાં મૌલિક સ્થાનેાની યાદી આપવાપૂર્વક જ પંડિતજી આપણી સાથે વાત કરશે. દરેક વિષયમાં આવી તાજી સ્મૃતિ એ પડિતજીની અવધાનશક્તિ કે ધારણાશક્તિને જીવંત પુરાવા છે. બીજી રીતે આપણે પડિતજીની ધારણાશક્તિ અને સ્મૃતિને જોઈ એ. તેએશ્રી જ્યારે કોઈ ગ્રંથને કે વિષયને હાથમાં લે છે ત્યારે એક જ ગ્રંથની અનેક વ્યાખ્યા કે તે તે વિષયના અનેક ગ્રંથૈાને એકીસાથે સાંભળી લે છે અને ત્યાર બાદ કયા કયા વ્યાખ્યાકારા કે ગ્રંથાકારોએ કઈ કઈ રીતે તે તે વિષયનું પ્રતિપાદન કર્યું છે, કયાં કયાં એકબીજાનાં મંતવ્યેા જુદાં પડે છે, તે તે આચાર્યાંના પ્રતિપાદનમાં કઈ કઈ વિશેષતાએ છે ઇત્યાદિનું પૃથક્કરણ તે બરાબર કરી લે છે. સે'કડે લેાકપ્રમાણ અનેક ગ્રંથસ ંદર્ભાને મરણુમાં રાખી તેનું આવુ પૃથક્કરણ કરવું એ પડિતજીની ધારણા અને સ્મરણુ શક્તિને સચાટ પુરાવા છે. સામાન્ય રીતે લેાકામાં કિંવદન્તી ચાલે છે કે ‘ સાડી બુદ્ધિ નાઠી.' આ કિવદન્તી સામાન્ય જડ જનતા માટે સાĆક હશે, પરંતુ નાનેપાસનાપારાયણ વ્યક્તિએ માટે એ કદીયે સાÖક નથી, જેની સાક્ષી શ્રીમાન પડિતજી પૂરે છે. આટલી ઉ’મરે પણ પ`ડિતજીની સ્મરણશક્તિ સાજી-તાજી છે, એટલુ જ નહિ, પણ તે સ્મરણશક્તિ આજે યૌવનવયે પહેોંચી છે. શુ' પ્રાચીન કાળમાં કે શુ' આજના યુગમાં આપણને આવા ઢગલાબંધ પુરાવાઓ મળી આવશે કે જેમનું જીવન ચિંતનપરાયણ હાય છે, એવી વ્યક્તિએની બુદ્ધિ, સ્મૃતિ કે પ્રતિભા માંદગીમાં કે મૃત્યુની અન્ય ક્ષણ પન્ત જેવી ને તેવી જ રહે છે. સ્થરવિરશ્રી વસ્વામીએ આરક્ષિતને જીવનના અંત પર્યંન્ત વિદ્યાધ્યયન કરાશ્યું હતું. સ્થવિરશ્રી આરક્ષિતસૂરિ એક સે। વીસ વર્ષની ઉંમરના હતા. તેમણે પેાતાના વિદ્વાન શિષ્ય સ્થવિર આ દુલિકા પુષ્યમિત્રને જીવનના અંત સુધી વિદ્યાદાન દીધું હતું. માથુરી અને વાલભી વાચનાના પ્રવર્તક સ્થવિરેશ પણ વૃદ્ધ હતા. વિશેષાવશ્યકભાષ્ય ઉપર સ્વેપન્ન ટીકા લખનાર આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છઠ્ઠા ગણુધરવાદ સુધી ટીકા લખતાં લખતાં કે લખીને સ્વવાસી થયા. આચાય શ્રી હરિભદ્રસૂરિ તત્ત્વાર્થીની ટીકા રચતાં રચતાં જ પરલેાકવાસી થયા. આચાર્ય શ્રી મલયગિરિ આવશ્યકસૂત્રની અને બૃહત્કલ્પસૂત્રની વ્યાખ્યાઓ અપૂર્ણ રાખીને દેવલાકવાસી થયા. છેલ્લા છેલ્લા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશેાવિજ્યજી પણ સંખ્યાબંધ ગ્રંથાને અધૂરા રાખી સ્વસ્થ થયા. પ્રાચીન યુગમાં થઈ ગયેલા સખ્યાબંધ મહાનુભાવામાંથી એ-પાંચની આ વાત થઈ. વમાનમાં પણ આજે વૃદ્ઘાવસ્થામાં રહેલા અનેક મુનિવરેા એવા છે કે જેઓ સતત અધ્યયનપરાયણ રહે છે. આગમાદ્ધારક શ્રીમાન સાગરાનંદસૂરિ મહારાજના મેં છેલ્લાં છેલ્લાં સુરતમાં દર્શોન કર્યાં, ત્યારે તેમને ઘણી વાર વાયુની અસદ્ઘ તકલીફ રહેતી. ત્રણ-ત્રણ દિવસ સુધી સુવાય, બેસાય કે ઉઠાય નહિ એવી અવસ્થામાં પણ તેમની પાસે કાગળ, પેન્સિલ પડયાં જ હાય. આ અવસ્થામાં જે સ્ફુરણા થાય તેને પોતે તરત ટપકાવી લેતા. આ જ રીતે જૈનેતર અને પાશ્ચાત્ય તત્ત્વચિંતકોની અનેક હકીકતે આપણી સામે છે, જે ઉપરથી આપણને એ ખાતરી થાય છે કે જેમનું જીવન જ્ઞાનાપાસનામય અને તાત્ત્વિક ચિંતનમય હાય છે. તેમની ચૈતન્યશક્તિએ જીવનની અન્ય ક્ષણા પ``ત જીવતી-જાગતી જ રહે છે. શ્રીમાન પ`ડિતજીની પણ ચૈતન્યશક્તિ સુચારુરૂપે વતી-જાગતી જોવામાં આવે છે. ગુણગ્રાહ્કતા——પંડિતજીની દૃષ્ટિ હંમેશાં ગુણગ્રાહિણી જ રહી છે. ગમે તે સંપ્રદાયનાં શાસ્ત્રો Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી [ ર૯૩ વાંચે, ગમે તેવી વ્યક્તિનાં લખાણો વાંચે કે ગમે તે વ્યક્તિનો પરિચય સાધે–એ બધાય પ્રસંગોમાં તેમની દષ્ટિ ગુણગ્રાહિણી જ રહી છે, એ તેમનાં લખાણો ઉપરથી અને તેમની સાથેના વાર્તાલાપ પરથી અનુભવી શકીએ છીએ. શ્રીમાન પંડિતજીનું ગુણગ્રાહકપણું કેવું છે તેના ઉદાહરણે તો મારી પાસે અનેક છે; પણ તેમાંનું એક પ્રસંગે પાત્ત ટાંકું છું. એક વાર હું અને પંડિતજી સાથે બેઠા હતા, ત્યારે વાર્તાનો કોઈ પ્રસંગ આવતાં તેમણે આચાર્ય શ્રી લાવણ્યસૂરિવિરચિત સિદ્ધસેનીયા કાચિંશિકાઓની ટીકા અને મુનિ શ્રી ધુરંધરવિજયજીએ તૈયાર કરેલ નિધનવવાદ આદિ વિષયમાં વાત કરી કે. * મહારાજજી ! મેં આ ગ્રંથે જોયા. વહુના પ્રતિપાદનની શૈલી ગમે તેવી હો, પણ જ્યારે વ્યક્તિને વસ્તુ બરાબર ગ્રાહ્ય થઈ હોય ત્યારે વસ્તુના હાર્દને તે પોતાના લખાણમાં ઉતારી શકે છે, અને એ રીતે આવાં લખાણો તાત્વિક દષ્ટિએ આદરપાત્ર છે.” આ તો માત્ર એક ઉદાહરણ જ આપ્યું છે. પણુ પંડિતજી સાથે વાતો કરવામાં અનેકાનેક પ્રસંગમાં તેમની ગુણગ્રાહકતા તરી જ આવે છે. આ ગુણગ્રાહક્તાને લીધે જ તેઓ દરેક વિષયમાં તટસ્થ પરીક્ષણ પણ વ્યવસ્થિત રીતે કરી જાણે છે. સ્વાતં –પંડિતજી જીવનવ્યવહારમાં અને વિચારમાં હમેશાં સ્વતંત્ર રહ્યા છે. પોતાની વિદ્વત્તા વિષે તેમને કદીયે અભિમાન જાગ્યું નથી. કેઈ પ્રલોભન તેમને કદીયે આકર્ષી શકયું નથી. તેમના જીવનમાં એવા ઘણું પ્રસંગો આવ્યા છે, જેમાં અનેક જુદી જુદી વ્યક્તિઓએ તેમને અનેક રીતે આકર્ષવા પ્રયત્ન આદર્યા છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે કે આ બધું પ્રલોભનરૂપ છે, ત્યારે તેમણે સામી વ્યક્તિને સાફ સાફ કહી જ દીધું છે કે, “તમારા પક્ષમાં કે વાડામાં આકર્ષવા માટે કે અમુક ઉદ્દેશથી જ જો આ હોય તો આપણો સંબંધ અહીં જ પૂરો થાય છે.” પંડિતજીને નામે કોઈ ફળ વેચી ખાવા માગે તો તે કદીયે શકય નથી. પોતાની પ્રજ્ઞાને ગીરે મૂકીને તેઓ કદી વાત કરતા નથીએ પ્રસંગે ઉપસ્થિત થતાં જ તેઓ તેને કાપી નાખે. તેઓ પોતાના વિચારેમાં હમેશાં સ્વતંત્ર જ રહ્યા છે. કેઈનાય ગમા-અણગમાની કે માનાપમાનની તેમણે આ માટે દરકાર રાખી નથી. તેમ છતાં પોતાના વિચારે અયોગ્ય ભાસતાં તેનું પરિવર્તન કરવામાં પણ તેઓ આનાકાની કરે તેવા નથી. પંડિતજીની સેવા–શ્રીમાન પંડિતજીએ વ્યાપક રીતે જૈન પ્રજાની જે સેવા કરી છે તે ચિરસ્મરણીય જ રહેશે. તેમણે જેને તત્ત્વજ્ઞાનના પ્રાસાદભૂત સન્મતિતર્ક જેવા મહાન ગ્રંથને સંશોધિત કરીને એક મહાન કાર્ય કર્યું છે. તે ઉપરાંત પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથને સુયોગ્ય રીતે સંપાદિત કર્યા છે. દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથનો હિંદી અનુવાદ તેમણે કર્યો છે. આજ સુધીમાં તેમણે વિવિધ વિષયના ચિંતનપૂર્ણ લેખો લખ્યા છે. આ બધાં કાર્યોમાં ક્યારેક એકબીજાને ગમતી-અણગમતી બાબતોને સમાવેશ થવા છતાં વિત્ત જેન પ્રજા પંડિતજીની વિશિષ્ટ સેવાને સ્વીકાર કરશે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. અંતિમ નિવેદન–શ્રીમાન પંડિતજીએ જીવનમાં અતિ વિશાળ ચિંતનપૂર્વક વિદ્યાસાધના અને આરાધના કરી છે, એટલું જ નહિ, પણ ભાઈ દલસુખ માલવણિયા જેવા પોતાની જ કક્ષાના તત્ત્વચિંતક શિષ્યને પણ તૈયાર કર્યા છે. ઉપરાંત ડૉ. નથમલજી ટાટિયા, શ્રીમતી ડે. ઇન્દુકળાબહેન વગેરે અનેક વ્યક્તિઓ માટે પ્રૌઢ વિષયના મહાનિબંધ (થીસિસ) લખવામાં સાક્ષી અને પ્રેરણાદાયક બન્યા છે. અનેક વિદ્વાનોએ એમની પાસેથી ગંભીર વિચારો મેળવ્યા છે, અને મારો વિશ્વાસ છે કે પંડિતજી પોતાની જિંદગીમાં ઘણું ઘણું કરી જશે. છતાંય મારી એક હક્કદાર શિષ્ય તરીકે ભીખ છે કે શ્રીમાન પંડિતજીએ પોતાના જીવનમાં અધ્યયન કરતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્યશ્રી Page #5 -------------------------------------------------------------------------- ________________ 294] જ્ઞાનાંજલિ ભલવાદી, યાકિની મહત્તાપુત્ર શ્રી હરિભદ્રાચાર્ય અને યશવિજપાધ્યાય વિશે અને તેમના ગ્રંથરાશિ વિશે પોતાના હૃદયમાં જે વ્યાપક અને ગંભીરાતિગંભીર વિગતોનો સંચય કર્યો છે, તેને યથાસમય મૂર્તરૂપ આપી ભારતીય પ્રજાને અને તે સાથે જૈન પ્રજાને સમૃદ્ધ બનાવે. મારી આ ભીખ માત્ર તટસ્થ રહીને મોઢાની જ ભીખ નથી, પણ તે અંગે જે કાંઈ સાધને આવશ્યક હોય તે બધાંય પૂરાં પાડવાની પ્રતિજ્ઞા સાથેની ભીખ છે. તે માટે અતિ આવશ્યક આર્થિક સાધનનો પણ આમાં સમાવેશ કરીને જ હું ભીખ માગી રહ્યો છું. હું તો વર્ષોથી આવી આશા રાખું છું અને શ્રીમાન પંડિતજીને પ્રસંગે પ્રસંગે વિનંતિ પણ કરું છું અને આજે ગુરુગુણગાન-પ્રસંગે પુનઃ પણ વીનવું છું. શ્રીમાન પંડિતજીએ પ્રસંગે પ્રસંગે ઉપર્યુક્ત મહાપુરુષો વિષે જે ટૂંકી ટૂંકી નોંધ કરી છે અને જે ભાવો વ્યક્ત કર્યા છે તે જોયા પછી અનેકાનેક જૈન વિદ્વાન મુનિવરો અંતરથી માને છે કે આ મહાપુરુષોનું તારિક જીવન અને એમના ગ્રંથરાશિનું તારિક પરીક્ષ શ્રીમાન પંડિતજી સિવાય આલેખી શકે એવી બીજી એક પણ વ્યક્તિ જૈન સમાજમાં તેમ જ અન્ય સમાજમાં છે જ નહિ. [“પંડિત સુખલાલજી : પરિચય તથા અંજલિ, ઈ. સ. 157]