Book Title: Prathamanuyog Shastra ane Tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230168/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુયાગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આ કાલક ' परिआओ पव्वज्जाभावाओ नत्थि वासुदेवाणं । होइ बलाग सो पुरण पढमणुओगाओ णायव्वो । आवश्यक नियुक्ति, गाथा ४१२. દીક્ષા લઈ ન શકવાને કારણે વાસુદેવને દીક્ષાપર્યાય નથી પણ બલદેવે દીક્ષા સ્વીકાર કરે છે માટે તેમને દીક્ષાપર્યાય છે. તે અમે અહીં જણાવતા નથી એટલે જેએ જાણવા ઇચ્છે તેમણે પ્રથમાનુયાગથી તે જાણી લેવા. तत्थ ताव सुम्मसामिणा जंबूनामस्स पढमाणुओगे तित्थयर- चक्कुवट्टि - दसारवं सपरूवणागयं वसुदेवचरियं कहियं ति । વસુરેřી, પ્રથમ સું, પત્ર ૨. સુધર્માંસ્વામીએ જ‰ નામના પોતાના શિષ્ય સમક્ષ પ્રથમાનુયોગના વ્યાખ્યાન પ્રસંગે તીર્થંકર, ચક્રવર્તી અને દશારેનું ચરિત્ર વર્ણવતાં વસુદેવનું ચરિત્ર કહ્યું હતું. 3 मेहावीसीसम्म ओहामिए कालगज्जथेराणं । सज्झतिएण अह सो खिते इमं भणिओ ।। १५३८ ।। સ્થવિર આ કાલકને બુદ્ધિમાન શિષ્ય દીક્ષા મૂકીને ધરવાસમાં ચાલ્યેા ગયા ત્યારે તેમના સહાધ્યાયીએ તેમને ( કાલકાને) ઉપહાસ કરતાં આ પ્રમાણે કહ્યું : afragi satतं ण य णातो तारिसी मुहुत्तो उ । जत्थ थिरो होइ सेहो निक्खतो अहो ! हु बोद्धव्वं ।। १५३६ ।। આપ ઘણું ભણ્યા, પણ તેવું મુક્ત નથી જાણી શકયા કે જે મુદ્દમાં નિષ્કાંત એટલે દીક્ષા લીધેલા શિષ્ય સ્થિર રહે. અહા! હજુ આપને પણ કેટલું જાણવાનુ છે ? Page #2 -------------------------------------------------------------------------- ________________ | પ્રથમાનુગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આઈ કાલક [૧૨૩ तो एव स ओमत्थं भणिओ अह गंतु सो पतिट्ठाणं ।। आजीवीसगासम्मी सिक्खति ताहे निमित्त तु ॥ १५४० ॥ આ પ્રમાણે જ્યારે સહાધ્યાયીએ કાલકાર્યને તેમની ઊણપ જણાવી ત્યારે તેમણે પ્રતિષ્ઠાનપુરમાં જઈને આજીવકોની પાસે નિમિત્તવિદ્યાનો અભ્યાસ કર્યો. अह तम्मि अहीयम्मी वडहेठ निविट्ट अन्नयकयाति । सालाहणो णरिंदो पुच्छतिमा तिण्णि पुच्छाओ ॥ १५४१ ।। અષ્ટાંગનિમિત્તવિદ્યા ભણી ગયા બાદ કેઈક પ્રસંગે સ્થવિર આર્ય કાલક વડના ઝાડ નીચે બેઠા છે, ત્યાં શાલિવાહન રાજા આવી ચડે છે અને આચાર્યને આ પ્રમાણે ત્રણ પ્રશ્નો પૂછે છે : पसुलिडि पढमयाए बितिय समुद्दे व केत्तियं उदयं । ततियाए पुच्छाए महुरा य पडेज व ण व ? त्ति ॥ १५४२ ।। પહેલે પ્રશ્ન : બકરી વગેરે પશુઓની લીડીઓ કેમ થાય છે ? બીજો પ્રશ્ન : સમુદ્રમાં પાણું કેટલું ? ત્રીજો પ્રશ્ન : મથુરાનું પતન થશે કે નહિ ? पढमाए वामकडगं देइ तहिं सबसहस्समुल्लं तु । बितियाए कुंडलं तू ततियाए वि कुंडल बितियं ॥ १५४३ ॥ પહેલા પ્રશ્નના ઉત્તરથી પ્રસન્ન થઈ રાજા શાલિવાહને આચાર્યને લાખમૂલ્યનું ડાબું કહું ભેટ કર્યું. બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરથી રાજી થઈ રાજાએ બે કુંડલે ભેટ કર્યો. आजीविता उवहित गुरुदक्खिण्णं तु एत अम्हं ति। तेहि तयं तू गहितं इयरोचितकालकज्जं तु ॥ १५४४ ॥ આ પ્રસંગે, આર્ય કાલકને નિમિત્તવિદ્યા ભણુવનાર આજીવક સાધુઓ ત્યાં હાજર હતા, તેમણે “આ અમારી ગુરુદક્ષિણ છે” એમ કહી તે ત્રણેય ઘરેણાં લઈ લીધાં. અને આર્ય કાલક પિતાના સમયોચિત કાર્યમાં લાગી ગયા. _णटुम्मि उ सुतम्मो अटुम्मि अणटे ताहे सो कुणइ । लोगणुजोगं च तहा पढमणुजोग च दोऽवेए ।। १५४५ ।। જેનો સૂત્રપાઠ ભુલાઈ ગયો છે, છતાં જેનો અર્થ એટલે કે ભાવ ભુલાયો નથી, એવા લોકોનોગ અને પ્રથમાનુગ નામના બે ગ્રંથની તેમણે પુનઃ રચના કરી. વહુ નિમિત્ત તfથે પદમણનો હૃતિ રચારું जिण-चकि-दसाराणं पुत्वभवाइ निबद्धाइ।। १५४६ ।। ઉપરોક્ત બે ગ્રંથ પછી પહેલામાં ઘણા પ્રકારની નિમિત્તવિદ્યા અને પ્રથમાનુયોગમાં જિનેશ્વર, ચક્રવતી અને દશારોના પૂર્વભવાદિને લગતું ચરિત્ર ગૂંથવામાં આવ્યાં છે. ते काऊणं तो सो पाडलीपुत्ते उवहितो संघं । बेइ कतं मे किंची अणुग्गहट्ठाय त सुणह ॥ १५४७ ॥ આ બન્નેય ગ્રંથની રચના કરીને તેઓ પાટલીપુત્રમાં પહોંચ્યા અને ત્યાંના શ્રીસંઘને કહ્યું કે: મેં કાંઈક કર્યું છે તેને અનુમહ કરીને તમે સાંભળો. Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાના જલિ १२४] तो संघेण निसंत सोऊणय से पडिच्छितं तं तु ।। तो त पतिठितं तू णयरम्मी कुसुमणामम्मि ॥ १५४८ ।। તે પછી પાટલીપુત્રમાં વસતા શ્રીસંઘે તે ધ્યાનમાં લીધું. અને ધ્યાનમાં લઈને તેમના ગ્રંથને આદરપૂર્વક સ્વીકાર્યા. આ રીતે કુસુમપુર-પાટલીપુત્રમાં તે ગ્રંથ માન્ય થયા. एमादीणं करणं गहण णिज्जूहणा पकप्पो ऊ ।। संगहणीण य करणं अप्पाहाराण तु पकप्पो ॥ १५४६ ॥ पंचकल्प महाभाष्य ઈત્યાદિ નષ્ટ-ભ્રષ્ટ, શીર્ણ વિશીર્ણ અને વિસ્મૃત ગ્રંથની નિસ્પૃહણ—ઉદ્ધાર કરવો તેનું નામ પ્રકલપક૯૫ કહેવાય છે. તદુપરાંત અલ્પ યાદશક્તિ ધરાવનાર માટે સંગ્રહણી ગ્રંથની રચના કરવી તે પણ પ્રકલ્પકલ્પ નામથી જ ઓળખાય છે. ४ पच्छा तेण सुत्ते ण गंडियाणुयोगा कया। संगहणीओ वि कप्पट्ठियारणं अप्पधारणारणं उवग्गहकराणि भवंति । पढमाणुओगमाई वि तेण कया। पंचकल्पभाष्य चूर्णी પછી (અછાંગનિમિત્ત ભણી ગયા બાદ) તેમણે સૂત્ર નષ્ટ થઈ ગયેલ હોવાથી ગઠિકાનુયોગની પણ રચના કરી, સંગ્રહણીઓની પણ રચના કરી. અલ્પસ્મરણશક્તિવાળા બાળજીવોને ઉપકાર થશે એમ માનીને પ્રથમાનુયોગ આદિની પણ રચના તેમણે કરી. एतं सव्वं गाहाहिं जहा पढमाणुओगे तहेव इहइ पि वनिज्जति वित्थरतो । आवश्यकचूर्णी, भाग १, पत्र १६०. આ બધું ગાથાઓ દ્વારા જેમ પ્રથમાનુગમાં વર્ણન છે, તે જ પ્રમાણે અહીં વિસ્તારથીલંબાણથી વર્ણન કરવું. पूर्वभवाः खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः । आवश्यकहारिभद्री वृत्ति, पत्र १११-२ આમના (કુલકરના) પૂર્વભવોનું ચરિત્ર પ્રથમાનુગથી જાણી લેવું. तत्र पुष्कलसंवर्मोऽस्य भरतक्षेत्रस्य अशुभभावं पुष्कलं संवर्त्तयति नाशयतीत्यर्थः । एवं शेषनियोगोऽपि प्रथमानुयोगानुसारतो विज्ञेयः । अनुयोगद्वार हारिभद्री वृत्ति, पत्र ८०. પુષ્કલસંવર્ત નામનો મેઘ ભરતક્ષેત્રની અશુભ પરિસ્થિતિનો નાશ કરે છે. આ જ પ્રમાણે બાકીના મેઘાની હકીક્ત વગેરે પ્રથમાનુગથી જાણી લેવું. से किं तं अणुओगे ? अणुओगे दुविहे पग्णत्ते, त जहा-मूलपढमाणुओगे य गंडियाणुओगे य । से कि तं मूलपढमाणुओगे? एत्थ रणं अरहताण भगवंतारणं पुत्वभवा देवलोगगमणाणि चवणाणि य जम्मणाणि य अभिसेया रायवरसिरीओ सीयाओ पव्वज्जाओ तवा य भत्ता केवल Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક [ ૧૨૫ णाणुप्पाया य तित्थप्पवत्तणाणि य संघयण संठाणं उच्चत्त आउं वनविभागो सीसा गणा गणहरा य अज्जा पवत्तणीओ संघस्स चउविहस्स वा वि परिमाण जिण-मणपज्जव-ओहिनाण-सम्मत्तसुयनाणिणो य वाई अणुत्तरगई य जत्तिया य सिद्धा पाओवगया य जे जहिं जत्तियाई भत्ताइ छेयइत्ता अंतगडा मुणिवरुत्तमा तमरओघविप्पमुक्का सिद्धिपहमगुत्तरं च संपत्ता, एए अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया आघविज्जति पण्णविज्जति परूविज्जति, से तं मूलपढमाणुओगे। से कि त गडियाणुओगे? २ अणेगविहे पण्णते, तं जहा-कुलगरगंडियाओ तित्थगरगंडियाओ चकहरगडियाओ दसारगडियाओ वासुदेवगंडियाओ हरिवंसगंडियाओ भद्दबाहुगंडियाओ तवोकम्मगंडियाओ चित्ततरगंडियाओ उस्सप्पिणीगंडियाओ ओसप्पिणीगडियाओ अमर-नर-तिरियनिरयगइगमणविविहपरियट्टणाणुओगे, एवमाइयाओ गंडियाओ आघविज्जति पण्णविज्जति परूविज्जंति, से तगंडियाणुओगे।। સમાવાયાહૂત્ર, મૂત્ર-૨૪૭. અનુગ શું છે? અનુયોગ બે પ્રકારે છે: મૂલપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ, મૂલપ્રથમનુયોગ શું છે? મૂલપ્રથમાગમાં અરહંત ભગવંતોના પૂર્વભવ, દેવલોકમાં અવતાર, દેવલેથી ગુજરવું, જન્મ, મેરુ ઉપર જન્માભિષેક, રાજ્યપ્રાપ્તિ, દીક્ષાની પાલખી, દીક્ષા, તપસ્યા, કેવલજ્ઞાનપ્રાપ્તિ, ધર્મ પ્રવર્તન, સંધયણ, સંઠાણ, ઊંચાઈ, આયુષ્ય, શરીરને વર્ણવિભાગ, શિષ્યો, સમુદાય, ગણધરો, યા, પ્રવર્તાિનીઓ-સમુદાયની આગેવાન સાખીઓ-ચતુર્વિધ સંધની જનસંખ્યા, કેવળજ્ઞાની, મનઃ પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દ શપૂર્વધરો, વાદીઓ, અનુત્તરવિમાનગામીઓની અને સિદ્ધોની સંખ્યા, જેટલા ઉપવાસ કરી સિદ્ધિમાં ગયા ઈત્યાદિ ભાવોનું વર્ણન પ્રથમાનુગામાં કરાયું છે. ગંડિકાનુયોગ એટલે શું ? ગંડિકાનુગ અનેક પ્રકારે છે–કુલકરગંડિકાઓ, તીર્થકરચંડિકાઓ, ચક્રવતગંડિકાઓ, દશારગંડિકાઓ, વાસુદેવચંડિકાઓ, હરિવંશગંડિકાઓ, ભદ્રબાહુગંડિકાઓ, તપ કર્મગંડિકાઓ, ચિત્રાંતરચંડિકાઓ, ઉત્સર્પિણીગંડિકાઓ, અવસર્પિણીસંડિકાઓ, દેવ-મનુય-તિર્યંચ નરકગતિ પરિભ્રમણ આદિને લગતી ચંડિકાઓ ઈત્યાદિ હકીકતો ચંડિકાનુગમાં કહેવાઈ છે • નંદિસૂત્રમાં સુત્ર ૫૬માં સમવાયાંગ સૂત્રને મળતો જ પાઠ છે. ઉપર એકીસાથે જે અનેક ઉતારાઓ આપવામાં આવ્યા છે તે “પ્રથમાનુયોગ શું છે?” તે વિષે વિશિષ્ટ પ્રકાશ પાથરનારા ઉલ્લેખ છે. આજે કોઈક કોઈક વિરલ વ્યક્તિઓને બાદ કરતાં ભાગ્યે જ કોઈને ખબર હશે કે “પ્રથમાનુયોગ એ ધર્મકથાનુયોગને લગતો વિસ્તૃત અને વિશિષ્ટ ગ્રંથ હતો.” એ ગ્રંથ આ યુગમાં જ અપ્રાપ્ય થઈ ગયો છે એમ નથી, પરંતુ સૈકાઓ પૂર્વે તે નષ્ટ થઈ ગયો છેખોવાઈ ગયો છે. આજે માત્ર એ ગ્રંથ વિશેની સ્કૂલ માહિતી પૂરી પાડતા કેટલાક વીખરાયેલા ઉલ્લેખો જ આપણા સામે વર્તમાન છે. આમ છતાં આ વિરલ ઉલેખે દ્વારા આપણને કેટલીક એ ગ્રંથ અંગેની અને તે સાથે કેટલીક બીજી પણ મહત્ત્વની હકીકતો જાણવા મળી શકે છે. આપણે અનુક્રમે તે જોઈ એ : ૧. ઉપર આપેલાં પ્રાચીન અવતરણો પૈકી ત્રીજા અને ચોથા ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં એટલે સૂત્રકાળમાં પ્રથમાનુયોગ નામનો ગ્રંથ હતો જ, જેને નંદિસૂત્રકાર અને સમવાયાંગવકારે મૂલપ્રથમાનુયોગ નામથી ઓળખાવેલ છે. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જ્ઞાનાંજલિ લીધે તેમાંની જે અતે જેટલી હકીકતા મળી આવે તે આધારે તેને પુનરુદ્ધાર સ્થપિર આ કાલકે કર્યા હતા. વસુદેવવિહડી, આવશ્યકચૂર્ણિ, આવશ્યક સૂત્ર અને અનુયાગદારસૂત્રની હારિભદ્દી વૃત્તિ આદિમાં પ્રથમાનુયોગના નામના જે ઉલ્લેખ છે તે આ પુનરુરિત પ્રથમાનુયાગને લક્ષીને છે; જ્યારે આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ( અવતરણ ૧ ) આવતેા પ્રથમાનુયોગ નામનેા ઉલ્લેખ, સભવ છે કે, મૂલપ્રથમાનુયોગને લક્ષીને પણ હાય ! ૨. આડ અને નવ ઉલ્લેખને આધારે આપણને નવા મળે છે કે પ્રથમાનુયાગમાં માત્ર તીર્થંકરોનાં જ જીવનચરિત્ર હતાં, પરંતુ ત્રીજા ઉલ્લેખને આધારે પ્રથમાનુયોગમાં તીર્થંકરોનાં ચરિત્ર ઉપરાંત ચક્રવર્તી અને દશારોનાં પણ ચિત્રો હતાં. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયાગનુ ગમે તે સ્વરૂપ હા, પરંતુ સ્થવિર આર્ય કાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ આચાર્ય શ્રી ભદ્રેશ્વરકૃત કહાવલી, શ્રી શીલાંકાચાકૃત ચઉપણમહાપુરિસચરિય અને આચાર્યં શ્રી હેમચંદ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને મળતુ હાવુ જોઇ એ. ૩. પાંચમે ઉલ્લેખ શ્વેતાં સમજી શકાય છે કે, પ્રથમાનુયોગ ગ્રંથની રચના ગદ્યપદ્યરૂપે હતી. પરંતુ પ્રસ્તુત ગ્ર ંથ આજે આપણા સામે નથી, એટલે તેની ભાષાશૈલી, વનપદ્ધતિ, છંદ વગેરે વિષય, આ ગ્રંથમાં શી શી વિશેષતા અને વિવિધતાએ હશે, એ આપણે ખરા સ્વરૂપમાં સમજી શકીએ તેમ નથી. તે છતાં અનુયોગદ્દારસૂત્ર ઉપરની હારિભદ્દી વૃત્તિ(ઉલ્લેખ છમાં પાંચ મહામેàાનુ વર્ણન જોવા માટે પ્રથમાનુયોગ જોવાની ભલામણ કરી છે. એ ઉપરથી પ્રથમાનુયોગમાં પ્રસંગે પ્રસંગે ઘણી ઘણી હકીકતાને સમાવેશ હેાવાને સંભવ છે. ૪. સમવાયાંગ સૂત્ર અને નંદિસૂત્ર(ઉલ્લેખ ૮-૯)માં પ્રથમાનુયોગને બદલે મૂલપ્રથમાનુયોગ નામ મળે છે, તેનુ ં કારણ મને એ લાગે છે કે; જ્યાં સુધી સ્થવિર આકાલકે પ્રથમાનુયોગને પુનરુદ્વાર નહાતા કર્યાં ત્યાં સુધી સૂત્રકાલીન ગ્રંથમાનુયોગને પ્રથમાનુયાગ નામથી જ એળખવામાં આવતે। હશે, પર ંતુ સ્થવિર આ કાલકે એ ગ્રંથને ઉદ્ધાર કર્યાં બાદ સૂત્રકાલીન પ્રથમાનુયોગને લપ્રથમાનુયોગ નામ આપ્યું હોવું જોઈ એ જેકે સમવાયાંગસૂત્ર-નંદિસૂત્રના ચૂર્ણિકૃત્તિકારોએ વ્યુત્પત્યર્થસિદ્ધ કેટલાક વૈકલ્પિક લાક્ષણિક અર્થ આપ્યા છે, પણ મારી સમજ પ્રમાણે એ વાસ્તવિક અર્થને રપ નથી કરતા. જે પ્રથમાનુયાગમાં માત્ર તીર્થંકરોનાં જ ચરિત્રા હાત તે ચૂર્ણિકૃત્તિકારોના અસ્થ્ય લાક્ષણિક ન રહેતાં વાસ્તવિક બની જાત. પરંતુ, આપણે સભાવના કરી શકીએ છીએ ત્યાં સુધી, પ્રથમાનુયોગમાં માત્ર તીર્થં'કરોનાં જ ચિત્રો હોય અને તેમની સાથે અનિવાર્ય રીતે સંબધ ધરાવતા ચક્રવર્તી– વાસુદેવાદિનાં ચરિત્રો હોય જ નહિ, એ કદીયે બનવા યાગ્ય નથી. એટલે પ્રથમાનુયોગમાં માત્ર તી - કરોનાં ચરિત્રો હાવાની વાત નદિમુત્ર-સમવાયાંગત્રમાં મળતી હોય કે માત્ર તી કર-ચક્રવર્તી દશારોનાં ચરિત્રો હેાવાની વાત પાંચકલ્પભાષ્યાદિમાં મળતી હોય તેાપણ આપણે એ સમજી જ લેવુ જોઈ એ કે પ્રથમાનુયાગમાં, ઉપર કહેવામાં આવ્યું તેમ, ત્રેસઠ શલાકાપુરુષ અને તે સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિનાં ચરિત્રાને સમાવેશ થવા જોઈએ. એટલે ચૂર્ણિકૃત્તિકારોની વ્યાખ્યાને આપણે અહી લાક્ષણિક જ સમજવી જોઈ એ. દિબર આચાર્ય શ્રી શુભચદ્ર પ્રણીત અગપણુત્તીમાં પ્રથમાનુયોગમાં શું છે તે વિષે આ હકીકત જણાવી છે पढमं मिच्छादिट्ठ अव्वदिकं आसिदूण पंडिवज्जं । अयोगों अहियारो तो पढमाणुयोगो सो ॥ ३५ ॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક चवीसं तित्थयरा पइणो बारह छखंडभरहस्स । णव बलदेवा किण्हा णव पडिसत्तू पुराणाई ॥ ३६ ॥ तेति वति पिया माई णयराणि तिन्ह पुव्वभवे । पंचसहस्सपयाणि य जत्थ हु सो होदि अहियारो ॥ ३७ ॥ દિગંબર આચાર્ય શ્રી બ્રહ્મહેમચંદ્ર વિરચિત तित्थयर चक्कवट्टी बलदेवा पंचसहस्सपयारणं एस कहा દ્વિતીય અધિકાર, શ્રુતસ્કંધમાં આ પ્રમાણે નિર્દેશ છે: वासुदेव पडिसत्तू | पढमअणिओगो ॥ ३१ ॥ પ્રથમાનુયાગના પ્રણેતા પ્રથમાનુયોગના સ્વરૂપ વિશે ટૂંકમાં જણાવ્યા પછી તેના પ્રણેતા સ્થવિર આ કાલક વિષે ટૂંકમાં જણાવવામાં આવે છે: [ ૧૨૭ ૧. પચકપમહાભાષ્ય અને તેની ચૂણિ ( ઉલ્લેખ ૩–૪)માં જણાવ્યા પ્રમાણે સ્થવિર આય કાલકે પ્રથમાનુયોગ ગ્રંથનો પુનરુદ્ધાર કર્યાં હતા. તે જ રીતે તેમણે ગ ંડિકાનુયોગ નામના ગ્રંથને પણ ઉલ્હાર કર્યા હતા. લાકાનુયોગ અને જૈન આગમો ઉપરની સંગ્રહણીઆની રચના પણ તેમણે કરી હતી. ગંડિકાનુયોગમાં શું છે તે માટે આમે ઉલ્લેખ જોવા ભલામણ છે. ગણિતાનુયોગમાં અાંગનિમિત્તવિદ્યા ગૂંથવામાં આવી છે. અને સંગ્રહણીએ, એ જૈન આગમોની ગાથાબદ્ધ સક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. આજે આપણે સ્પષ્ટ રીતે જાણી શકતા નથી કે ‘ અહીં જણાવેલી સંગ્રહણીએ કઈ ? ' તે છતાં સંભવતઃ ભગવતીસૂત્ર, પન્નવાસ્ત્ર, જીવાભિગમત્ર, આવશ્યકસૂત્ર આદિમાં આવતી સંગ્રહણીગાથાઓ જ આ સંગ્રહણીએ હાવી જોઈ એ. ૨. સ્થવિર આ કાલકે અષ્ટાંગનિમિત્તવિદ્યાનું અધ્યયન આજીવકશ્રમણા પાસે કર્યું હતુ`. એટલે કે નિમિત્તવિદ્યાના વિષયમાં સ્થવિર આ કાલક માટે આજીવકેનું ગુરુત્વ અને વારસા હતાં. શ્રમણ વાર વમાન ભગવાને અષ્ટાંગનિમિત્તવિદ્યાને સામાન્ય રીતે ભણવાતા નિષેધ કરેલ હોઈ જૈન ભ્રમણામાંથી એ વિદ્યા ભૂંસાઈ ગઈ હતી, પરંતુ સમયબળને કારણે એ જ વિદ્યા પુનઃ શીખવાની આવશ્યકતા જણાતાં આ કાલકને આવક નિર્ક ચેાનુ સાન્નિધ્ય સાધવુ પડયુ છે. પંચકલ્પ ભાષ્યમાં રાજા શાલિવાહને આ કાલકને ઉપહત કરેલ કટક અને 'ડલાને આજીવક શ્રમણા પેાતાની ગુરુદક્ષિણા તરીકે લઈ ગયા.’’ આ ઉલ્લેખથી “ તે જમાનામાં આવકનિ થામાં પરિગ્રહધારી નિથા પણ હતા” એ જાણવા મળે છે. .. ૩. પ્રથમાનુયાગાદિના પ્રણેતા સ્થવિર આર્ય કાલક રાજા શાલિવાહનના સમકાલીન હતા. રાજા શાલિવાહને આ કાલકને પૂછ્યું હતું કે “ મથુરાનું પતન થશે કે નહિ ? ’” તેને ઉત્તર આ કાલકે શે। આપ્યા હતા એ ૫'ચકલ્પમહાભાષ્યમાં જણાવ્યું નથી, તે છતાં રાજાએ પ્રસન્ન થઈ કુંડલ આપ્યાના ઉલ્લેખ છે તે ઉપરથી રાાતે વિજય જણાવ્યા હશે. જે વિજયને ઉલ્લેખ વ્યવહારભાષ્ય-ચૂર્ણિીકામાં અને બૃહકપભાષ્ય ૧-ચૂર્ણિ-રીકામાં આવે છે. એટલે પચકપભાષ્યમાં જે પ્રશ્નોને નિર્દેશ છે એ १. महुराणत्ती दंडे णिग्गय सहसा अपुच्छियं कयरं । तस्स य तिक्खा आणा दुहा गया दो वि पाडेउ ॥ १५२ ॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] જ્ઞાનાંજલિ સંભવિત જ છે. અને આ જ કારણસર રાજા શાલિવાહનનો કાલકાર્ય સાથે સંબંધ ધર્મભાવનામાં પરિણમ્યો હશે એમ લાગે છે. અને આ જ ધર્મ સંબંધને કારણે કાલકાર્યો રાજા શાલિવાહનની ખાતર ભાદ્રપદ શુક્લ પંચમીને બદલે ભાદ્રપદ શુકલ ચતુર્થીને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી હતી. આ ઉપરથી આપણે એટલું નિશ્ચિત કરી શકીએ છીએ કે અષ્ટાંગનિમિત્તવિદ્યાપારંગત, પ્રથમાનુનોગગંડિકાનુયોગલકાનુયોગ–અને જૈન આગમોની સંગ્રહણીઓના પ્રણેતા, તેમ જ પંચમાને બદલે ચતુર્થીને દિવસે સંવત્સરી કરનાર સ્થવિર આર્ય કાલક એક જ છે અને તે રાજા શાલિવાહનના સમકાલીન હતા. આ યુગમાં રાજા શાલિવાહન સાથે સંબંધ ધરાવનાર બીજા કોઈ કાલકાર્યા હોવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજ્ઞાપન સત્રના પ્રણેતા શ્યાભાર્ય-કાલકાર્ય આ કાલકાર્ય કરતાં જુદા જ છે. પ્રથમાનુયોગનું ગુપ્ત સ્થાનમાં અસ્તિત્વ પ્રથમાનુયોગ ગ્રંથ ઘણું ચિરકાળથી નષ્ટ થઈ જવા છતાં પણ એ ગ્રંથે ગુપ્ત સ્થાનમાં હોવાનો અને ત્યાંથી દેવતાએ કોઈ કોઈ આચાર્યને વાંચવા માટે આપ્યાની કેટલીક કિંવદંતીઓ આપણે ત્યાં ચાલતી હતી અને તેના બે ઉલ્લેખ મારા જેવામાં આવ્યા છે, જે પૈકીને એક ઉલ્લેખ જયસાગરકૃત ગુરૂપારdયસ્તવવૃત્તિની પ્રારંભિક પ્રસ્તાવનામાં છે અને બીજો ઉલ્લેખ હર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનશ્ચયમાં છે. પહેલા ઉલ્લેખમાં પ્રથમાનુગગ્રંથની હાથપોથી શાસનદેવતાએ ખરતર આચાર્ય શ્રી જિનદત્તસૂરિને આપ્યા અને વાંચ્યાને ઉલ્લેખ છે. અને બીજામાં ગુજરેશ્વર મહારાજા શ્રી કુમારપાલદેવપ્રતિબાધક આચાર્ય શ્રી હેમચંદ્રને આધ્યાને, એક રાત્રિમાં વાંચી લીધાનો અને તદનુસારે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર રસ્યાનો ઉલ્લેખ છે, જે વિશેનો જરા સરખોય નિર્દેશ આચાર્ય શ્રી હેમચંદ્ર પોતાના શલાકાપુરપચરિત્રમહાકાવ્યમાં કર્યો નથી. આ દેવતાઈ વાતોને આપણે કેટલે અંશે માનવી એ એક ગંભીર કોયડો જ છે. આવી રચનાઓની નકલ કરવા દેવામાં કે કરી લેવામાં ન આવે, એ એક નવાઈની જ વાત છે ને? અતુ, એ બન્નેય ઉલ્લેખ આ નીચે નોંધવામાં આવે છે ? १. “ज्ञानदर्शनचारित्रागण्यपुण्यातिशयसत्त्वरञ्जितश्रीशासनदेवतावितीर्णाज्जयिनीस्थितमहाकालप्रासादमध्यवत्तिशैलमयभारपट्टबीटकान्तःसंगोपितपुरासिद्धसेनदिवाकरवाचितदशपूर्वधरश्रीकालिकसूरिविरचितानेकाद्भुतश्रीप्रथमानुयोगसिद्धान्तपुस्तकरत्नार्थसम्यक्परिज्ञानजगद्विदितप्रभावाः निजप्रतिभावभवविस्मापितदेवसूरयः श्रीजिनदत्तसूरयः” गुरुपारतन्त्र्यस्तववृत्तिः २. श्रीहेमाचार्याः प्रथमानुयोग देवताप्रसादाल्लब्ध्वकरात्राववधार्य च तदनुसारेण त्रिषष्टिચરિત્રાનિ નાથુરિત ! શ્રાદ્ધવિઘવિનિશ્ચય. ગુરુપરતં વ્યસ્તવવૃત્તિના ઉલ્લેખમાં ઢિવિવારવારિત એમ ઉલ્લેખ કર્યો છે તે માત્ર કલ્પિત અને અપ્રામાણિક છે, કારણ કે આવશ્યકચૂર્ણિકાર જિનદાસગણિ અને આવશ્યક તથા गोयावरीए नईए तडे पइट्ठाण नयरं । तत्थ सालवाहणो राया। तस्स खरगओ अमच्चो । अन्नया सो सालवाहणो राया दंडनायगं आणवेइ-महुरं घेत्तूण सिग्घमागच्छ । सो य सहसा अपुच्छिऊण दंडेहिं सह णिग्गतो । ततो चिंता जाया-का महुरा घेत्तव्वा ? दक्षिणमहुरा उत्तरमहुरा वा ?। तस्स आणा तिक्खा, पुणो पूच्छिन तीरति । ततो दंडा दुहा काऊण दोसु वि पेसिया, गहियातो दो वि महुरातो । ततो वद्धावगो पेसिओ । तेणागंतूण राया वद्धावितो –તેવ! તો વિ મઘુરાતો મહિયાત व्यवहारभाष्य-टीका, भाग ४, पत्र ३६ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક [ 129 અનુયોગદ્વાર-વૃત્તિકાર યાકિનીમહત્તરાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્દે ચૂર્ણિ અને વૃત્તિમાં અનેક ઠેકાણે અને અનેક વિષયમાં પ્રથમાનુયોગની સાક્ષી આપી છે, જેમાંના થોડા ઉપયોગી ઉલ્લેખો મેં આ લેખના પ્રારંભમાં આપ્યા છે એટલે પ્રથમાનુયોગની પ્રતિ મેળવવા માટે કે વાંચવા માટે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને દેવતાની જરૂરત જરાય ન હતી, ભલે શ્રી જિનદત્તસૂરિ મહારાજને હ. શ્રી હર્ષભૂષણે કરેલે લેખ પણ કરિપત જ છે. સંભવ છે, ગરપાતંત્ર્યસ્તવવૃત્તિકારની સ્પર્ધામાં હર્ષભૂષણે પણ એક તુકકો ઊભો કર્યો હોય. તુકકો પણ જેતે નહિ, એક રાત્રિમાં જ આચાર્યશ્રી હેમચંદ્ર પ્રથમાનુગ વાંચી લીધો. મને તો લાગે છે કે બન્ને મહાનુભાવોએ તુક્કા જ ઉડાવ્યા છે. આવા દેવતાઈ તુક્કાઓ આપણે ત્યાં ઘણું ચાલ્યા છે. પ્રભાવચરિત્રકાર આચાર્યો પણ એક આવી જ કથા રજૂ છે– એવામાં બુદ્ધાનંદ મરણ પામી વ્યંતર થયો અને પૂર્વના વૈરભાવથી તેણે ભલ્લાદિકૃત નયચક અને પદ્મચરિત્ર એ બન્નેય ગ્રંથ પોતાને તાબે કર્યા અને તે કોઈને વાંચવા દેતો ન હતો.” - પ્રભાવક ચરિત્ર ભાષાંતર, પૃષ્ઠ 123. ખરેખર આવી કથાઓ અર્થ વિનાની જ છે. મલવાદી પ્રાચીન નયચક ગ્રંથને વાંચે છે ત્યારે તેમના હાથમાંથી દેવતા તે ગ્રંથને પડાવી લઈ જાય છે, અને એની જ ભલામણથી નિર્માણ થયેલા નયચક ગ્રંથની રક્ષા કરવાની એ દેવતાને પરવા નથી, ત્યારે તો આવી કથાઓ ઉપહાસજનક જ લાગે છે ? અંતમાં, પ્રાસંગિક ન હોવા છતાંય મેં આ લેખમાં પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણિને ઉલેખની નોંધ કરી છે એટલે મારે કહેવાની વસ્તુ અનુપ્રસન્ત તો છે જ, અને તે એ કે પંચકલ્પમહાભાષ્ય નામ સાંભળી ઘણા વિદ્વાને એમ ધારી લે છે કે પંજા નામનું સૂત્ર હોવું જોઈએ. પરંતુ ખરું જોતાં તેમ છે જ નહિ. પંચક૯૫ભાષ્ય એ ક૫ભાગમાંથી છૂટો પાડેલો એક ભાગ્યવિભાગ તેનું મૂળ સૂત્ર જે કહી શકાય તે તે કલ્પસૂત્ર (બૃહકલ્પસૂત્ર) જ કહી શકાય; જેમ આવશ્યક નિર્યુક્તિમાંથી ઓઘનિર્યુક્તિને જુદી પાડવામાં આવી છે, દશવૈકાલિક નિર્યુક્તિમાંથી પિંડનિર્યુક્તિને જુદી કરી છે તે જ રીતે કલ્પભાગમાંથી પંચકલ્પભાષ્યને પણ અલગ કરવામાં આવ્યું છે. બૃહકલ્પસૂત્રની કેટલીક જૂની પ્રતિઓના અંતમાં જં પસૂત્ર સમાપ્તમ આવો ઉલ્લેખ જોઈ કેટલાક ભ્રમમાં પડી જાય છે, પરંતુ ખરી રીતે ભ્રમમાં પડવું જોઈએ નહિ. એવા નામોલ્લેખવાળી પ્રતિ બધી બૃહત્ક૯પસૂત્રની જ પ્રતિઓ છે. [‘આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ,” ઈ. સ. 1956] જ્ઞાનાં. 17