Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પિરષદ્માં પડિત સુખલાલજીનું વહેંચાયેલું ભાષણ. જૈન ન્યાયના ક્રમિક વિકાસ.
ન્યાય અને ન્યાયશાસ્ત્ર—જે અનુમાન પ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુના નિય કરી શકાય છે, તે અનુમાન પદ્ધતિને ન્યાય કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાન પદ્ધતિના વિચાર મુખ્યપણે હેાય છે, તે શાસ્ત્ર ન્યાયસાહિત્યમાં સ્થાન લે છે. ન્યાય-શાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાન પદ્ધતિનીજ ચર્ચા હેાય તેમ કાંઇ નથી હેતુ, તેમાં સમગ્ર પ્રમાણેાનું નિરૂપણ હેય છે. એટલુ જ નહીં પણ તેમાં પ્રમેયાનુ નિરૂપણ સુધા હોય છે. છતાં એટલું ખરૂ કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણ નિરુપણે અને તેમાંયે અનુમાન પદ્ધતિના નિરૂપણે માટા ભાગ રોકેલા હાય છે, તેથીજ તેવી જાતનું સાહિત્ય પ્રાધાન્યેન પ્રવેશ મન્તિ છે એ ન્યાયને અનુસરી ન્યાય સાહિત્ય કહેવાય છે.
ચેતન સૃષ્ટિમાં મનુષ્ય જાતિનુ મહત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની મુદ્ધિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર-સ્વાત્ર્ય એ તક અને જીજ્ઞાસા શક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કાઈ બહારનું કે અંદરનું દબાણ ન હાય ત્યારે હરકોઇ મનુષ્યની બુદ્ધિ ાઆપ શંકા અને તર્ક કર્યાં કરે છે, અને તેમાંથી જ કલ્પનારાક્તિ ખીલતાં ક્રમે ક્રમે અનુમાન પદ્ધતિ નિષ્પન્ન થાય છે.
આ કારણથી ન્યાય એ કાઇ પણ દેશની કોઇ પણ મનુષ્ય જાતિની વિકસિત કે વિકાસ પામતી બુદ્ધિતુ એક દશ્ય સ્વરૂપ છે. ઘેાડામાં કહીએ તેા મનુષ્ય જાતિની વિચારશક્તિ એ એક માત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે.
છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે. જેમ કે—પશ્ચિમ ન્યાયશાસ્ત્ર, પુર્વીય ન્યાયશાસ્ત્ર. પુના ન્યાયશાસ્ત્રમાં પણ વૈશ્વિક, ખાદ્ધ અને જૈન એ મુખ્ય ભાગા છે.
ત્રણ ભેદોનુ* પારસ્પરિક અંતર—આવા ભાગો પડી જવાનુ મુખ્ય કારણ સપ્રદાય ભેદ એ તા છે જ, પણ બીજાએ ખાસ કારણા છે. જેમકે ભાષાભેદ, નિરુષણ પદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયાની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલા પ્રસ્થાન ભેદ, વૈદિક ન્યાયનુ પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. ઐદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યને સ્વીકાર ન કર્યાં હતાં
Page #2
--------------------------------------------------------------------------
________________
(૨)
પંડિત સુખલાલજીનું ભાષણ.
પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારી ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સંપ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજું પણ બીજ-કારણ છે અને તે વિષય ભેદ છે. વૈદિક ન્યાય કઈ પણ તને સિદ્ધ કરતે હોય ત્યારે તે સાધ્યતત્વને અમુક એક રૂપેજ સિદ્ધ કરે છે. જેમકે આત્મા વગેરે તને વ્યાપક અથવા નિત્યપેજ અને ઘટ આદિ પદાર્થોને અનિત્ય રૂપેજ, બાદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તને એકરૂપેજ સિદ્ધ કરે છે, પણ તે એકરૂપ માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકતના વિરૂદ્ધ પક્ષ સ્થાયીત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જેન જાય એ વૈદિક અને દ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તને માત્ર એકરૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જેને ન્યાય બીજા ન્યાય કરતાં જુદો પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય જૈનાચાર્યોએ રચેલે હોય, જે કેવળ પિરુષેય આગમનું પ્રામાણ્ય સ્વીકારી ચાલતું હોય અને કઈ પણ તત્ત્વનું સાપેક્ષ દષ્ટિએ નિરૂપણ કરતો હોય તે જેને ન્યાય
એક બીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિ–એક સંપ્રદાય અમુક તો ઉપર વધારે ભાર આપતો હોય, ત્યારે જાણે કે અજાણે તેનો પ્રભાવ બીજા પાડોશી સંપ્રદાય ઉપર અનિવાર્ય રીતે પડે છે. જે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાને પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડ્યાની વાત માની લેવા તૈયાર થઇએ તે સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનોની દાર્શનિક પદ્ધતિની અસર બીજા બે સંપ્રદાય ઉપર પડી છે. જો કે સામાન્ય ન્યાયસાહિત્યના વિકાસમાં ત્રણે સંપ્રદાયના વિદ્વાનેએ અને આચાર્યોએ ફાળે આપે છે, છતાં પહેલેથી છેલ્લે સુધી ન્યાયસાહિત્યનો તથા પાઠન-પાઠનને ઇતિહાસ જોતાં એવા નિર્ણય ઉપર આપોઆપ આવી જવાય છે કે ન્યાયના તની વ્યવસ્થા કરવામાં પ્રધાનસ્થાન વૈદિક વિદ્વાનોનું છે. એ વિષયમાં તેઓને પ્રભાવ સ્પષ્ટ છે અને આજ કારણથી ક્રમે ક્રમે બદ્ધ અને જૈન વિદ્વાને પોતાની આગમામાન્ય પાલી અને પ્રાકૃત ભાષા છોડી વૈદિક સંપ્રદાય માન્ય સંસ્કૃત ભાષામાં પિતાની પદ્ધતિએ ન્યાયના ગ્રંથ રચવા મંડી ગયેલા છે.
જૈન સાહિત્યની પ્રધાન બે શાખાઓ –ભગવાન મહાવીરના સમયમાં જૈન સંઘ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશમાં હતો. પછી લગભગ એક સૈકા બાદ તે સંઘ બે દિશાઓમાં વહેંચાય. એક ભાગ દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં. ત્યાર બાદ થોડાક સૈકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલ બે ભાગે સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજે તાંબર - ક્ષિણવતી શ્રમણ સંઘ પ્રધાનપણે દિંગબર સંપ્રદાયી થયે, અને ઉત્તરવતી શ્રમણ સંઘ પ્રધાનપણે વેતાંબર સંપ્રદાયી થયે. આ રીતે વિભક્ત થયેલ શ્રમણ સંઘે જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું. પહેલું દિર
Page #3
--------------------------------------------------------------------------
________________
જેન ન્યાયને ક્રમિક વિકાસ.
(૩) બરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા.
દિગબરીય શ્રમણ સંઘનું પ્રાધાન્ય દક્ષિણમાં હેવાથી તે સંપ્રદાયનું માલિક સાહિત્ય ત્યાંજ ઉત્પન્ન થયું, પાષાણું, વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે, કુંદકુંદ, સમંતભદ્ર વગેરે ત્યાંજ થયા, ‘વેતાંબર શ્રમણ સંઘનું પ્રાધાન્ય પહેલાં તો ઉત્તર હિંદુસ્તાન (રજપુતાના ) માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિંદુસ્થાન ( કાઠિયાવાડ, ગુજરાત ) માં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થેચેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિંદુસ્થાનમાં વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લા લગભગ પંદર વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પોષાયું, વિકસિત થયું, અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાએ આપણી નજરે પડે છે.
બનને શાખાઓ ના સાહિત્યમાં નવયુગ-આ બને શાખાઓના શરૂઆતના ગ્રંથે જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણ પદ્ધતિ માત્ર સિદ્ધાંત રૂપે હતી. તત્ત્વજ્ઞાન હેાય કે આચાર હેય બનેનું નિરૂપણ ઉપનિષદુ જેવી સરળ પ્રા ચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનેમાં ન્યાય દર્શને વિશિષ્ટ સ્થાન અને વિકપ્રિયતા મેળવ્યા પછી જૈનસાહિત્યમાં પણ ન યુગ દાખલ થયે. ન્યાયદર્શનની તપદ્ધતિને પ્રભાવ બોધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો. બધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બનેની મિશ્રિત અસર જે વાભય ઉપર પણ થઈ. તેથી જેન આચાર્યો પણ બોધ આચાર્યોની પેઠે પિતાની અગમસિદ્ધિભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કઇ ખાસ પ્રમાણ નથી, પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જેન સાહિત્યમાં પ્રાકૃત ભાવાનું સામ્રાજ્ય હતું. જેના સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તક પદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ? એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે મને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ.
જેન ન્યાયનું કાળમાન અને વિકાસની દષ્ટિએ તેના ચાર ભાગે– શાસપ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જૈન સા હિત્યમાં સ્વતંત્ર ન્યાયપદ્ધતિ જન્મી તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વય–કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ ?
Page #4
--------------------------------------------------------------------------
________________
પતિ સુખલાલજીનું ભાષણ જેને ન્યાયના જન્મસમયની પૂર્વ સીમા વધારેમાં વધારે વિક્રમના પહેલા સેકાથી આગળ લંબાવી શકાતી નથી અને તેના વિકાસની ઉત્તર સીમા વિકમના અઢારમા સિકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તોયે તેનું કાળમાન તેરસે ચિાદસો વરસ જેટલું તે છે જ.
જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલે ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીને બીજે છઠ્ઠા સૈકાથી દશમા સુધીને ત્રીજો ભાગ અગીઆરમાથી તેરમા સુધીને અને ચોથે ચોદમાથી અઢારમા સુધીના. આ ચાર ભાગને અનુક્રમે બી. જારે પણ કાળ, પલ્લવિતકાળ, પુષિત કાળ, અને ફળકાળના નામે ઓળખીએ તે જેનન્યાયના વિકાસને વૃક્ષના રૂપકથી સમજી શકીએ.
જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં કયા વિષે ઉપર ગ્રંથો લખાયા ? એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં ન્યાય સૂત્રપાત કેણે અને કયારે કર્યો ? એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તક પદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમંત અને વેતાંબર સાહિત્ય વાં તપદ્ધતિની ખલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બંને આ ર્યમાં કેણ પૂર્વવર્તી અને કોણ પશ્ચાતવર્તિ એ હજી નિર્ણત થયું નથી. પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ એવી સંભાવના માટે પ્રમાણે છે. આ બે આચાર્યોના સમયની ઉત્તરસીમાં ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિટિ કરી શકાય તેમ નથી.
સિદ્ધસેન અને સામંતભદ્ર એ બન્નેની કૃતિઓ-સંપ્રદા જુદા હેવા છતાંએ બંનેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વિના રહેતું નથી. દિગંબર સંપ્રદાયમાં ગંધહસ્તિના નામથી સમંતભદ્ર પ્રસિદ્ધ છે; અને તવાઈ ઉપરની ગંધહતિ મહાભાષ્ય ટીકા તેઓની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે. અને આજે ઉપલબ્ધ આતમિમાંસા તે જ મહાભાગ્યનું મંગલ મનાય છે. - તાંબર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગંધહસ્તિ કહેવાય છે અને તરવાથ ઉપર તેઓએ ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું હતું એમ મનાય છે. બંને સંપ્રદાયની આ માન્યતાઓ નિરાધાર નથી, કારણ કે બન્ને સંપ્રદાયના ઘણા ગ્રંથોમાં તે બાબતના સૂચક ઉલ્લેખ મળી આવે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન ન્યાયને કમિક વિકાસ. આ બે આચાર્યોની વિશિષ્ટતા છેડામાં આ પ્રમાણે બતાવી શકાય. સમતભદ્ર પિતાના દરેક ગ્રંથોમાં જૈન દર્શન, તેના પ્રણેતા અન્ન અને તેને મુખ્ય સિદ્ધાંત અનેકાંત એટલાં તત્ત્વોની તર્ક પદ્ધતિએ ઓજસ્વિની પ્રવાહબદ્ધ સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મચર્ચા કરે છે અને સાથે સાથે અન્ય દશને, તેના પ્રણેતાઓ અને એકાંતને સો પહાસ પ્રતિવાદ કરે છે. તેઓની ઉપલબ્ધ કૃતિઓ જોતાં એમ જણાય છે કે, સમંતભદ્ર તર્કસિદ્ધ દાર્શનિક મિમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થકર અને સ્વાદ્વાદ એ વિ
યોની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દર્શનેને સપરિહાસ નિરાસ કર્યો છે. તેઓની મધુર અને પ્રાસાદિક સ્વત:સિદ્ધ સંસ્કૃત ભાષાને પદ્યપ્રવાહ જોઈ આચાર્ય હેમચ તેઓને કવિશ્રેષ્ઠ જણાવવા “ અનુસરે જાય ? એ ઉદાહરણ ટાંકયું છે. સિદ્ધસેને જેન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેને સંક્ષેપમાં અભ્યાસ કરવા ઈચ્છનાર માટે ન્યાયાવતાર નામનો એક નાનકડે પદમય ગ્રંથ રચ્યા છે. જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ વેતાંબર દિગંબર વિદ્વાને અનુસર્યા છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શને સંક્ષેપમાં પણ મિલિક અભ્યાસ કરવા ઈચ્છનાર માટે તે તે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથે રહ્યા છે અને તે રીતે આચાર્ય હરિભદ્રને પદર્શન સમુચ્ચય રચવાની અને માધવાચાર્યને સર્વદર્શન સંગ્રહ રચવાની કલ્પનાને ખેરાક પૂરે પાડ્યો છે. તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનનું નિરૂપણ કરનાર બીજી કઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શન સંગ્રહ કરવાનું પ્રાથમિક ગરવ સિદ્ધસેનને આપવું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદ દ્વત્રિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષો મલિક તેમજ તલસ્પર્શી અભ્યાસ કરે. સિદ્ધસેન દિવાકરને પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિતર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચન સારની પેઠે પૂરે થયેલ છે. આ ગ્રંથ ઉપર Aવેતાંબર અને દિગંબર એમ બને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંતે એટલા સતર્ક અને હૃદયગ્રાહી છે કે, આગળના આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમંતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધસેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક છએ દર્શન અને બોદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કઈ કૃતિ નથી. વાંચકેએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ અને સમંતભદ્રની આતમિમાંસા, યુકત્યનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એક સાથે સામે રાખી અવેલેકવાં, જેથી બંનેનું પરસ્પર સદશ્ય અને વિશેષતા આપેઆપ ધ્યાનમાં આવશે.
બીજા ભાગનું પલ્લવિત કાળ એ નામ રાખ્યું છે, તેને અભિપ્રાય એટલો
Page #6
--------------------------------------------------------------------------
________________
(૬)
પંડિત સુખલાલજીનું ભાષણ. છે કે, સિદ્ધસેન અને સમતભદ્ર દ્વારા બંને સંપ્રદાયમાં જે જેન ન્યાયનું બીભારેપણું થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અકલંક, વિઘાનંદ અને પ્રભાચંદ્ર એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જેને ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જેન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યું છે. મત્સ્યવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય અભયદેવ. એ ત્રણેએ અનુક્રમે કાંઈને કાંઈ વધારે વિશેષતા આપી છે. અકલંક આદિ ત્રણે. દિગંબર આચાર્યોએ જૈન ન્યાયના સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે અને સમતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણને પલ્લવિત પણ કરી છે. તેવી જ રીતે મતલવાદી વગેરે આ યુગના *વેતાંબર આચાયો છે જેનન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયન ગ્રંથ લખ્યા છે અને પિતા પિતાના પહેલાની તર્કવાણને પલ્લવિત પણ કરી છે. ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત તાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બ. રાબર સામે રાખી જોવામાં આવે તે એક બીજા ઉપર પડેલો પ્રભાવ, પરસ્પરનું સદશ્ય અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી.
ત્રીજા ભાગનું નામ પુષિત કાળ છે. પુપો કઈ સંખ્યામાં પલવે જેટલાં નથી હતાં. કદાચિત પુપોનું પરિમાણ પડ્યુથી નાનું પણ હોય છે, છતાં પુષ્પ એ પલવેની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતને વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયને જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયા તેને પરિણામે ત્રીજો યુગ જમે. આ યુગમાં અને આ પછીના ચેથા યુગમાં દિiબર આચાર્યોએ ન્યાયવિષયક કેટલાક ગ્રંથ રચ્યા છે, પણ હજુ સુધી મારી નજરે એ એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈનન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના વેતાંબર સંપ્રદાયમાં વાદીદેવસૂરિ અને હેમચંદ્ર એ બેનું મુખ્ય સ્થાન છે. એ ખરું કે આચાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિએમાં જૈનન્યાયવિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેઓની બે બત્રીશીઓ અને પ્રમાણુમિમાંસા જેનારને તેઓની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે. અને એમ આપોઆપ જણાશે કે મેટા માટા ને લાંબા લાંબા થથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને કુલનુ સૌરભ તેમાં આપ્યું. વાદીદેવસૂરિ કાંઈ કંટાળે એવા ન હતા. તેઓએ તે રત્નાકરની સ્પર્ધા કરે એ એક સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ રચે અને કોઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમજ દાર્શનિક ખંડન મંડન માટે બીજે ક્યાંય ન જવાની સગવડ કરી દીધી.
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન ન્યાયના ક્રમિક વિકાસ.
(૭)
ચેથા ફળકાળ- યુગમાં જે સાહિત્ય રચાયુ તે મૂળરૂપ છે. ફળમાં બીજથી ફુલ સુધીના ઉત્તરોત્તર પરિપાકના સાર આવી જાય છે. તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલે રિપાક એક સાથે આવી જાય છે, આ યુગમાં જે જૈન ન્યાય સાહિત્ય રચાયુ છે તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે. કારણકે ત્યારમાદ તેમાં કોઇએ જરાયે ઉમેરો કર્યાં નથી. મલીની સ્યાદ્રદમજરી ખંઢ કરીને આ યુગના ફુલાયમાન ન્યાયવિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તેા જણારો કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમા અઢારમા સેકામાં થયેલા, લગભગ સે! શટા સુધી મુખ્યપણે શાસ્રયોગ સિદ્ધ કરનારા, સસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાએમાં વિવિધ વિષયેની ચર્ચા કરનારા ઉપાધ્યાય ચોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્ત્વજ્ઞાન, માચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયાના ગ્રંથૈને ખુદ કરી માત્ર જૈન ન્યાય વિષયક ગ્રંથા ઉપર નજર નાખીએ તે! એમ કહેવુ પડે છે કે, સિદ્ધસેન ને સમતભથી વાદિદેવસુર, અને હેમચંદ્ર સુધીમાં જેત ન્યાયના આત્મા જેટલા વિકસીત થયા હતેા, તે પૂરેપૂરા ઉપાધ્યાયજીના તર્ક ગ્રંથામાં મૂર્તિમાન થાય છે; અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગ! પૂર્યાં છે, કે જેનાથી મુદ્રિતમના થઈ આપે!આપ એમ કહેવાઈ જાય છે કે, પહેલા ત્રણ યુગનું અન્ને સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાય વિષયક સપૂર્ણ સાહિત્ય - પલબ્ધ હોય તેાયે જેન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપાધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયેાની વહેચણી કરી તે ઉપર નાના મેટા અનેક જૈન ન્યાયના ગ્રંથો લખ્યા. તેઓએ જૈન તક ભાષા જેવા જેત ન્યાય પ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી, જૈત સાહિત્યમાં તર્ક સગ્રહ અને તર્ક ભાષાની ખેાટ પૂરી પડી, રહસ્ય પાંકિત એકસો આઠ ગ્રંથ કે તેમાંના કેટલાક રચી જેત ન્યાયવઙમયમાં નૈયાયિકપ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથાની ગરજ સારી. નયદીપ, નયરહસ્ય, નયામૃતતર ગણી સહિત નાદેશ, સ્યાદ્વાદ કલ્પલતા, ન્યાયાલાક, ન્યાયખડન ખાદ્ય, અષ્ટસહુસ્રી ટીકા આદિ ગ્રંથ રચી જે ન્યાય વાડ્મયને ઉદયત:ચાય, ગગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનુ નવેદ્ય ધર્યું. અધ્યમસાર, અધ્યાત્મપનિષદ જેવા ગ્રંથેથી જેત ન્યાય વાડ્મયને ગીતા, ચેગવાસિષ્ટ આદિ વૈદિક ગ્રંથા સાથે સંબંધ જોડ્યો. ઘેાડામાં એટલુ જ કહેવુ બસ છે કે, વિદક અને ખાધ સાહિત્યે દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્સવ સાધ્યા હતા, લગભગ તે બધા ઉત્ક ના સ્વાદ જૈન વ:ડ્મયને આાથવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતિત કર્યું અને તેથી તેના એક તેજમાં જે ન્યાયનાં મીજા બધાં તેજો લગભગ સમાઇ જાય છે. એમ કહેવુ પડે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પંડિત સુખલાલજીનું ભાષણ. ઉપસંહાર–આ લેખમાં જેને ન્યાયના વિકાસકમનું માત્ર દિગદર્શન અને તે પણ અધુરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જેન ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યોનાં નામ લેવામાં આવ્યાં છે, તેઓનાં જીવન, તેઓને સમય, તેઓની કાર્યાવલિ વગેરેનો ઉલેખ જરાયે નથી કર્યો. તેવી જ રીતે તેઓના સંબંધમાં જે કાંઈ થોડું ઘણું લખ્યું છે, તેની સાબીતી માટે ઉતારાઓ આપવાના લેભનું પણ નિયંત્રણ કર્યું છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈતા અવકાશ અને સ્વાસ્થને અભાવ એ એકજ છે. આચાર્યોના જીવન આદિની વિગત એટલી બધી લાંબી છે કે તે આપતાં વિષયાંતર થઈ જવાય. તેથી જેઓ તે વિષયના જિજ્ઞાસુ હોય તેઓની જાણ ખાતર એક છેવટે એવું પરિશિષ્ટ - પવામાં આવે છે કે, જેની અંદર ઉપર આવેલા આચાર્યોના સંબંધમાં માહિતી આપનાર ગ્રંથે નોંધેલા છે અને તેઓનું પ્રકાશિત થયેલું કેટલુંક સાહિત્ય નેધેલું છે. એ સાહિત્ય અને એ ગ્રંથ જેવાથી તે તે આચાર્યોના સંબંધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કઈપણ જાણી શકશે.
આ લેખમાં જે ન્યાયના પ્રણેતા અમુકજ વિદ્વાનો ઉલ્લેખ છે. બીજા ઘણાને છોડી દીધા છે. તેનું કારણ એ નથી કે તેઓને જેને ન્યાયના વિકાસમાં સ્વ૮૫ પણ હિસ્સે ન હોય; છતાં તેવા નાના મોટા દરેક ગ્રંથકાર ઉલ્લેખ કરતાં લેખનું કલેવર કંટાળા ભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્યાનું જેને ન્યાયના વિકાસમાં થેડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે તેને જ ઉલ્લેખ કર્યો છે. બાકીનાઓના નામનું બીજું એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે.
આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકેનું ધ્યાન ખેંચુ છું, તે આ– હિંદુસ્થાનના કે બહારના વિદ્વાન ગુજરાતના સાક્ષરોને એમ પૂછે કે ગુજરાતના વિદ્વાનોએ દાર્શનિક સાહિત્ય રહ્યું છે ? અને રમું હેય તે કેવું અને કેટલું? આ પ્રકરને કેઈ પણ સાક્ષર હામાં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનું નાક રાખવા ઈચ્છે તો તેણે જેન વાડ્મય તરફ સપ્રેમ દષ્ટિપાત કરે જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાર્શનિક સાહિત્યનું મુખ ઉજ્જવલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્ય-પ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે તેણે કેવળ સાહિત્ય પાસનાની શુ દ્ધદષ્ટિથી જેન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદ કરી સર્વસાધારણ સુધી તેને ધેધ પોંચો કર. જેનું આ સંબંધમાં બેવડું કર્તવ્ય છે. તેઓએ તો સાંપ્રદાયિક મેહથી પણ પિતાના દાર્શનિક સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવશ્યકતા છે.
સુખલાલ સંઘવી. ગુજરાત પુરાતત્વ મંદિર–અમદાવાદ,
Page #9
--------------------------------------------------------------------------
________________
રિફિટ નં. ૨.
નામ
-
-
-
નિબંધાતર્ગત દાર્શનિકે
વેતાંબરીય. ન્યાય વિષયક કૃતિઓ.
તેમની માહિતીનાં સાધને.
પ્રભાવક-ચરિત, પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ, સિદ્ધસેન દિવાકર | સમ્મતિતર્ક, ન્યાયાવતાર અને બત્રીશીઓ.
જૈનસાહિત્ય સંશોધક વર્ષ અંક ૧.ગુર્નાવલી, વીરવંશાવલી જેન. સાસં. વ. ૧. અં. ૩).
પ્રચ૦, પ્રબં, ચિ, ચતુપ્ર ગુર્નાવલી, વીરવંશાવબાદશાર નયચ, સમ્મતિ ટીકા. ભલવાદી.
લી (જેન. સા. સં. વ. ૧ અં૦ ૩ ). અનેકાંતજ્યપતાકા, બદર્શન સમુચ્ચય, લલિતવિસ્તરા, | પ્રવચ૦ ચતુપ્રશ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર, જૈન દર્શન હરિભદ્ર ન્યાય પ્રવેશ-પ્રકરણ ઉપર ટીકા, શાસ્ત્રવાર્તા–સમય લોક-T(૫. બેચરદાસ કૃત ) ની પ્રસ્તાવને, જેન સાવ સં૦ વ)
અં ૧ વરવંશાવલી, ધર્મસંગ્રહણિની પ્રસ્તાવના, ઉપતત્ત્વનિર્ણય ધર્મસંગ્રહણી અને ન્યાયાવતાર-વૃત્તિ,
મિતિ ભવપ્રપંચાની પ્રસ્તાવના વગેરે. અભયદેવ રાગીય) સન્મતિ ટીક.
પીટર્સને રિપોર્ટ માં લેખકેની અનુક્રમણિકા. વાદી દેવસરિ સ્યાદ રત્નાકર.
પ્ર. ચ. પ્રબં. ચિ. વીરવંશાવલી,
-
-
---
--
આચાર્ય હેમચંદ્ર |
પ્રમાણ મીમાંસા, અન્ય રોગ વ્યવદ ત્રિશિકા | પ્ર. ૨. પ્ર. ચિં. ચતુ. પ્ર., કુમારપાળ પ્રતિબંધ, કુ
| મારપાળ પ્રબંધ. કુમારપાળ ચરિત્ર, રાસમાળા વગેરે.
૬
Page #10
--------------------------------------------------------------------------
________________
મહિણ
સ્યાદ્વાદ મંજરી.
-
-
અધ્યાત્મમત પરીક્ષા સટીક, અધ્યાત્મસાર, અધ્યાત્મ- | યશોવિજયજીવન-ચરિત્ર(આ.બુદ્ધિસાગરકૃત).અ.નંમહોપાધ્યાય યશો
| પનિષદ,આધ્યાત્મિકમતદલન સટીક, અષ્ટસહસ્ત્રી વિવરણ, | ઘન પદ્ય રત્નાવલી પ્રસ્તાવના ( મો. ગી. કાપડીયા કૃત). વિજ્યજી.
| ઉપદેશ રહસ્ય સટીક, જ્ઞાનબિંદુ, જૈનતર્ક ભાષા, દ્વાચિંશ- | આત્માનંદ પ્રકાશ પુત્ર ૧૩ અં. ૬. શાસ્ત્રવાર્તા સંમુચ્ચયની હાવિંશિકા-ટીક ધર્મ પરીક્ષા સટીક, નયપ્રદીપ, નયામૃત | પ્રસ્તાવના, ધર્મ સંગ્રહની પ્રસ્તાવના વગેરે. તરંગીણી, ન્યાયે ખંડન ખાદ્ય-સટીક, ન્યાયાલેક, પાતંજળ
ગદશન વિવરણલેશ, ભાષારહસ્ય ટીક, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, ન રહસ્ય, તત્ત્વાર્થસૂત્ર-વૃત્તિ. વગેરે.
( 4 )
દિગબરીય. સમંતભદ્ર દેવાંગમસ્ત્રોત્ર, તત્ત્વાનુશાસન, યુનત્યનુશાસન; સ્વયંભૂસ્તેત્ર. | જેન હિતધી ભા૬-અં.૨, ૩, ૪, વિદ૬ રત્નમાળા
ભા. ૧, અષ્ટસહસ્ત્રીની પ્રસ્તાવના.. અકલંક રાજવાર્તિક, અદૃશતી, ન્યાયવિનિશ્ચય, લધીયસ્ત્રયી.
લધી સ્ત્રી આદિની પ્રસ્તાવના, વિદુરનમાળા ભા.૨,
રાજવાર્તિકની પ્રસ્તાવના. વિદ્યાનંદ
પ્રમાણુ પરીક્ષા, અષ્ટસહસ્ત્રી, લોકવાર્તિક, આપ્ત | જેન હિતવી ભા. ૮ પૃ. ૪૩૮, યુટ્યનુશાસનની છે. પરીક્ષા, પત્ર પરીક્ષા વગેરે..
અષ્ટસહસ્ત્રીની પ્ર. પ્રભાચંદ્ર | ન્યાય કુમુદ ચંદ્રદય, પ્રમેય કમળ માર્તડ. વિદરત્નમાળા ભા. ૨, પ્રમેય કમળ માર્તડની પ્રસ્તાવના.
નોંધ-આ આચાર્યોએ અનેક વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યાના પ્રમાણો મળે છે, પણ અહીં ફકત તેઓના ન્યાયવિષર્થક સાહિત્યને ઉલ્લેખ પ્રસ્તુત હોવાથી તે દરેક આચાર્યની ન્યાયવિષયક કૃતિએનો જ ઉલ્લેખ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट नं. २ નિબંધ બાહ્ય જનન્યાયના લેખકો
() વેતાંબરીય.
નામ.
ન્યાયવિષયક ગ્રંથો.
effre o rm x 7 anos
શ્રી ગુણરત્નસૂરિ શ્રી ચંદ્રસેન શ્રી ચંદ્રપ્રભસૂરિ શ્રી દેવભદ્ર મલ્લધારી શ્રી દેવચંદ્રજી શ્રી પદ્મસુંદર શ્રી બુદ્ધિસાગર શ્રી મુનિચક શ્રી રાજશેખર શ્રી રત્નપ્રભા શ્રી શુભવિજય શ્રી શાંતિસૂરિ
પડદશ ન સમુચ્ચય વૃત્તિ ઉત્પાદસિદ્ધિ પ્રકરણ પ્રમેયરત્નકેષ ન્યાયાવતાર ટિપ્પન નયચક્ર પ્રમાણસુંદર પ્રમાણલક્ષ્યલક્ષણ અનેકાંતપિતાક ટિપ્પન સ્યાદ્વાદકલિકા, રત્નાકરાવતારિકા ટિપ્પન રત્નાકરાવતારિકા સ્યાદાદ ભાષા
પ્રમાણ પ્રમેયકલિકા વૃત્તિ દિગંબરીય.
(૨)
e
o
z
ગ્રંથકાર.
ન્યાયવિષયક ગ.
Irke| ન જ
અનંતાચાર્ય શ્રી સુમતિ
ન્યાયવિનિશ્ચયાલંકારવૃત્તિ સિદ્ધસેનના સમ્મતિતર્કપર ટીકા, ઉલ્લેખ. શ્રવણ બેલગુલાની મહિષણકૃત પ્રશસ્તિ તથા વાદીરાજ કૃત પાર્શ્વનાથચરિત્ર
1
શ્રી દેવસેન શ્રી ધર્મસાગર સ્વામી,
નયચક્ર, આલાપપદ્ધતિ નયચી
Page #12
--------------------------------------------------------------------------
________________ શ્રી ધર્મભૂષણ ન્યાયદીપિકા, પ્રમાણુવિસ્તાર પ્રમિતિવાદ, મુક્તિવાદ, અવ્યાપ્તવાદ, શ્રી પ્રભાદેવ સ્વામી તર્કવાદ તથા નયવાદ શ્રી નરેન્દ્રસેન પ્રમાણુ પ્રમેય કલિકા શ્રી પંડિતાચાર્ય પ્રમેયરત્નાલંકાર, પ્રમેયરત્નમાલિકા પ્રકા શિકા, સપ્તભંગી તરંગિણું ટીકા. શ્રી ભાવસેનાચાર્ય ન્યાયદીપિકા શ્રી ભાવસેન કવિ વિશ્વસ્તવ પ્રકાશ શ્રી વાદીરાજ મુનિ વાદમંજરી શ્રી વાદસિંહ પ્રમાણનકા, તર્કદીપિકા શ્રી વિમળદાસ સપ્તભંગીતરંગિણી શ્રી શ્રુતસાગર સ્વામી સંમતિ તક શ્રી કૃતસાગર તર્કદીપક परिशिष्ट नं. 3 જૈનેતર ન્યાય ઉપર લખનારા જૈનાચાર્યો. વેતાંબરીય. અનુક્રમ.. નામ, ન્યાયવિષયક ગ. - શ્રી અભ્યાતલક શ્રી ક્ષમાકલ્યાણ શ્રી ગુણરત્ન શ્રી જયસિંહ શ્રી જિનવર્ધને શ્રી નરચંદ્રસૂરિ શ્રી મલવાદી શ્રી ભુવનસુંદર શ્રી રત્નશેખર શ્રી રાજશેખર શ્રી શુભવિજય શ્રીહરિભદ્ર ન્યાયાલંકાર ટિપ્પન તર્ક ફાકકા તર્ક રહસ્યદીપિકા ન્યાય સારવાર (મૂળ ભા, સર્વ કૃત) સપ્તપદાથટીકા કંદલી ટિપ્પન (મૂલ શ્રીધર કૃત ) ન્યાયબિંદુ વૃત્તિટિપ્પન (મુળ વૃત્તિ ધર્મો મહાવિદ્યા વિડંબને વૃત્તિ [ રર રચિત) લક્ષણ સંગ્રહ કંદલિપંજિકા તકભાષાવાતિક [ ગાચાર્ય રચિત ) ન્યાયપ્રવેશ પ્રકરણ-ઋત્તિ (મળ દિન 8 e = 2